AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Birth Anniversary: મિર્ઝા ગાલિબ આજે પણ લોકોના દિલ પર કરે રાજ, તેમના જીવન પર બની છે આ ફિલ્મો અને સિરિયલ

મહાન કવિ મિર્ઝા ગાલિબને કોઈ ઓળખની જરૂર નથી. તેમના શેર આજે પણ લોકોના હોઠ પર છે. ગાલિબના જીવન પર અનેક પુસ્તકો લખવાની સાથે સાથે ફિલ્મો પણ બની છે. એટલું જ નહીં તેમના જીવન પર એક ટીવી સિરિયલ પણ બનાવવામાં આવી હતી.

Birth Anniversary: મિર્ઝા ગાલિબ આજે પણ લોકોના દિલ પર કરે રાજ, તેમના જીવન પર બની છે આ ફિલ્મો અને સિરિયલ
Mirza Ghalib
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 3:00 PM
Share

મહાન કવિ મિર્ઝા ગાલિબને કોઈ ઓળખની જરૂર નથી. તેમના શેર આજે પણ લોકોના હોઠ પર છે. તેમની શાયરી વગર પ્રેમની વાત કરવી શક્ય નથી. તેમની કવિતા અને તેમનું નામ આજે પણ જીવંત છે. ગાલિબનો જન્મ 27 ડિસેમ્બર 1796ના રોજ ઉત્તર પ્રદેશના આગ્રામાં થયો હતો. ગાલિબને તેમની શેર-ઓ-શાયરીને કારણે સર્વત્ર ઓળખ મળી છે.

ગાલિબના જીવન પર અનેક પુસ્તકો લખવાની સાથે સાથે ફિલ્મો પણ બની છે. એટલું જ નહીં તેમના જીવન પર એક ટીવી સિરિયલ પણ બનાવવામાં આવી હતી. એટલું જ નહીં ગાલિબના જીવન પર ઘણી શોર્ટ ફિલ્મો પણ બની છે. તો આજે મિર્ઝા ગાલિબના જન્મદિવસ પર અમે તમને તેમના જીવન પર બનેલી ફિલ્મ અને સિરિયલ વિશે જણાવીએ.

મિર્ઝા ગાલિબ ફિલ્મ

1954માં પહેલીવાર મિર્ઝા ગાલિબના જીવન પર આધારિત હિન્દી ફિલ્મ બની હતી. આ ફિલ્મમાં અભિનેતા ભારત ભૂષણ નજપ આવ્યા હતા. આ ફિલ્મનું નિર્દેશન સોહરાબ મોદીએ કર્યું હતું. આ ફિલ્મમાં અભિનેત્રી સુરૈયા ભારત ભૂષણ સાથે જોવા મળી હતી. આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી હતી. મિર્ઝા ગાલિબના જીવન પર આધારિત ફિલ્મે સૌના દિલ જીતી લીધા હતા.

મિર્ઝા ગાલિબ સિરિયલ

ગાલિબને ખૂબ પસંદ કરવામાં આવતા હતા. જેના કારણે તેમના જીવન પર ફિલ્મની સાથે સિરિયલ પણ બનાવવામાં આવી હતી. આ સિરિયલમાં નસીરુદ્દીન શાહ ગાલિબના રોલમાં જોવા મળ્યા હતા. આ શોના દરેક એપિસોડની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ગુલઝારે આ શો લખ્યો હતો. આ શોની ખાસ વાત એ હતી કે તેમાં જગજીત સિંહ દ્વારા ગાયેલી ગઝલો પણ બતાવવામાં આવી હતી. નસીરુદ્દીન શાહની કારકિર્દી માટે આ શો ઘણો સારો સાબિત થયો.

પાકિસ્તાની ફિલ્મ

ગાલિબને ભારતની સાથે સાથે પાકિસ્તાનમાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. તેમના જીવન પર પાકિસ્તાનમાં પણ ફિલ્મ બની હતી. આ ફિલ્મમાં એક્ટર સુધીર લીડ રોલમાં જોવા મળ્યા હતા. પાકિસ્તાનમાં પણ આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મ વર્ષ 1961માં રિલીઝ થઈ હતી.

તમને જણાવી દઈએ કે મિર્ઝા ગાલિબના જીવન પર ઘણી ટૂંકી ફિલ્મો પણ બની છે, જે ઈન્ટરનેટ પર સરળતાથી ઉપલબ્ધ છે. આજે પણ ચાહકો ગાલિબ પર બનેલી ફિલ્મો જોવાનું પસંદ કરે છે.

આ પણ વાંચો: નવા વર્ષમાં બમ્પર નોકરીઓ આવશે, પરંતુ કોરોનાનું નવું સ્વરૂપ ચિંતા વધારી શકે છે

આ પણ વાંચો: AIIMS Recruitment 2021: AIIMS ગોરખપુરમાં પ્રોફેસરની જગ્યાઓ માટે ભરતી, આ રીતે કરો અરજી

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">