AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahmastra: અયાન મુખર્જીએ ‘બ્રહ્માસ્ત્ર’નું ટીઝર ફરી રીલીઝ કર્યું, કારણ જાણી તમે ખુશ થઈ જશો

'બ્રહ્માસ્ત્ર'નું (Brahmastra) ટીઝર ફરીથી પોસ્ટ કરવાનું કારણ એક જ છે, પરંતુ તેના કારણે ફેન્સ અયાનના ખૂબ વખાણ કરી રહ્યા છે.

Brahmastra: અયાન મુખર્જીએ 'બ્રહ્માસ્ત્ર'નું ટીઝર ફરી રીલીઝ કર્યું, કારણ જાણી તમે ખુશ થઈ જશો
Brahmastra Image Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2022 | 3:11 PM
Share

‘બ્રહ્માસ્ત્ર’ના (Brahmastra) નિર્દેશક અયાન મુખર્જીએ (Ayan Mukerji) ફરી એકવાર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું ટીઝર રિલીઝ કરીને ચર્ચાઓ વધારી દીધી છે. પણ તેણે આવું કેમ કર્યું? શુક્રવારે, તેણે તેના ઇન્સ્ટા હેન્ડલ પરથી ‘બ્રહ્માસ્ત્ર’નું નવું ટીઝર રિલીઝ કર્યું, જે થોડા સમયમાં જ વાયરલ થયું. જો કે, કોઈને ન સમજાયું કે શા માટે તે જ ટીઝર ફરીથી રિલીઝ કરવામાં આવ્યું, જે ચાર દિવસ પહેલા કરવામાં આવ્યું હતું. પરંતુ લોકોએ તેની પાછળનું કારણ શોધી કાઢ્યું છે.

રિપોસ્ટ કર્યા બાદ આમાં મોટો ફેરફાર થયો છે. જો કે ટીઝરમાં આ ફેરફાર માત્ર એક જ છે, પરંતુ તે ઘણું મહત્વ ધરાવે છે. આમાં માત્ર એટલું જ કરવામાં આવ્યું છે કે અમિતાભ બચ્ચનનું નામ રણબીર કપૂરના નામની પહેલા કરવામાં આવ્યું છે. હવે તમે અનુમાન કરી શકો છો કે આ શા માટે કરવામાં આવ્યું હતું.

View this post on Instagram

A post shared by Ayan Mukerji (@ayan_mukerji)

ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના પહેલા ટીઝરમાં મુખ્ય ભૂમિકા ભજવી રહેલા રણબીર અને આલિયા ભટ્ટનું નામ પહેલા રાખવામાં આવ્યું હતું. તે પછી અમિતાભ બચ્ચન, નાગાર્જુન, મૌની રોય વગેરે સહાયક ભૂમિકામાં હતા. નવા ટીઝરમાં માત્ર અમિતાભ બચ્ચનનું નામ જ આગળ કરવામાં આવ્યું છે. રણબીર અને આલિયાની પાછળ બાકીના કલાકારોનું નામ જ છે.

ચાહકો કરી રહ્યા છે વખાણ

ફેન્સ પણ નવા બદલાવ પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું છે કે બચ્ચન સરને જવાબ આપવો જોઈતો હતો. અમિતાભનું નામ ફોરવર્ડ કરવા બદલ એક ચાહકે અયાનનો આભાર માન્યો હતો. અન્ય એક પ્રશંસકે અયાનને પૂછ્યું કે તેને સિક્વન્સ કેમ બદલી? તમને જણાવી દઈએ કે ‘બ્રહ્માસ્ત્ર’ 9 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. તે ત્રણ ભાગમાં બનેલી ફિલ્મ છે. આમાં રણબીર શિવાની મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે તેની પત્ની આલિયા ઈશાના રોલમાં છે. અમિતાભ બચ્ચન ધર્મેન્દ્ર ચતુર્વેદીનું પાત્ર ભજવી રહ્યા છે. નાગાર્જુન અજય વશિષ્ઠના રોલમાં છે. મૌની રોયના પાત્રનું નામ દમયંતી છે.

g clip-path="url(#clip0_868_265)">