AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘરમાં ઘૂસીને અરીસો બતાવ્યા પછી કેવી હતી પાકિસ્તાનીઓની પ્રતિક્રિયા ? જાવેદ અખ્તરે જણાવ્યું

જ્યારે જાવેદ અખ્તરે પાકિસ્તાનના લોકોની સામે 26/11ના હુમલાનો ઉલ્લેખ કર્યો તો ત્યાંના લોકોની પ્રતિક્રિયા શું હતી. લેખકે હવે આ વિશે માહિતી આપી છે.

ઘરમાં ઘૂસીને અરીસો બતાવ્યા પછી કેવી હતી પાકિસ્તાનીઓની પ્રતિક્રિયા ? જાવેદ અખ્તરે જણાવ્યું
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2023 | 2:23 PM
Share

દિગ્ગજ લેખક જાવેદ અખ્તરે તાજેતરમાં પાકિસ્તાનના લાહોરમાં 26/11ના મુંબઈ હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને સ્પષ્ટપણે કહ્યું હતું કે, હુમલાખોરો પાકિસ્તાનમાં મુક્તપણે ફરે છે. જાવેદ અખ્તરના આ નિવેદનની ભારતમાં ખૂબ પ્રશંસા થઈ રહી છે. હવે જાવેદ અખ્તરે કહ્યું છે કે, જ્યારે 26/11 હુમલાના મામલામાં તેણે પાકિસ્તાનીઓને અરીસો બતાવ્યો ત્યારે ત્યાંના લોકોની પ્રતિક્રિયા કેવી હતી.

આ પણ વાંચો  : લાહોરમાં જાવેદ અખ્તરે કહ્યુ 26/11 ના હુમલાખોરો પાકિસ્તાનમાં મુક્તપણે ફરે છે, કંગના રનૌતે કર્યા વખાણ

એક ઈન્ટરવ્યુમાં જાવેદ અખ્તરે કહ્યું, “તે બધા લોકોએ તાળીઓ પાડી હતી. તેઓ બધા મારી સાથે સંમત થયા. એવા ઘણા લોકો છે જે ભારતને પસંદ કરે છે અને હંમેશા સંબંધ રાખવા માંગે છે. આપણે દેશને અખંડ ગણવાનું શરૂ કર્યું છે. આ તે મામલો નથી. ભારત સાથે જોડાવા માંગતા લાખો લોકો સાથે આપણે કેવી રીતે જોડાઈશું?

બંને દેશો વચ્ચેની વાતચીત પર શું કહ્યું?

આ દરમિયાન જાવેદ અખ્તરને પૂછવામાં આવ્યું કે શું ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત માટે આ યોગ્ય સમય છે? આ માટે તેણે કહ્યું, “મારી પાસે આ પ્રકારની ક્ષમતા નથી. જેઓ સત્તામાં છે, પદ પર છે, તેઓ સમજે છે કે શું થઈ રહ્યું છે, પરિસ્થિતિ શું છે અને કેવી રીતે આગળ વધવું.

તેમણે કહ્યું, “પાકિસ્તાની સેના, પાકિસ્તાની લોકો, પાકિસ્તાની સરકાર એક નથી. જેઓ દેશ ચલાવે છે તેઓ સારી રીતે જાણે છે. મને થોડી જાણકારી છે. ભારતમાં આપણને પાકિસ્તાની લોકો વિશે મર્યાદિત જાણકારી છે. તેની સાથે પણ એવું જ છે.

કંગના રનૌતે પણ એક વીડિયો શેર કર્યો હતો

કંગના રનૌતે જાવેદ અખ્તરનો એક વીડિયો શેર કર્યો અને કહ્યું, “જબ મે જાવેદ સાબ કી પોએટ્રી સુનતી હુ તો લગતા થા યે કેસા માં સરસ્વતીજી કી ઈન પર ઈતની કૃપા હે, લેકિન દેખો કુછ તો સચ્ચાઈ હોતી હે ઈન્સાન મે તભી તો ખુદાઈ બોતી હે ઉનકે સાથ મે…જય હિંદ જાવેદ અખ્તર સાહબ… ઘર મેં ઘુસ કે મારા.. હાહાહા.”

જાવેદ અખ્તરે શું કહ્યું?

જાવેદ અખ્તરે કહ્યું, “મહત્વની વાત એ છે કે હાલના દિવસોમાં જે ફિઝા છે ઓછી થવી જોઈએ. અમે બોમ્બે (મુંબઈ)ના લોકો છીએ. અમે જોયું છે કે અમારા શહેર પર કેવી રીતે હુમલો કરવામાં આવ્યો. તે લોકો કંઈ નોર્વેથી તો આવ્યા ન હતા કે ન તો તેઓ ઇજિપ્તથી આવ્યા હતા. એ લોકો હજુ પણ તમારા દેશમાં ખુલ્લેઆમ ફરે છે. તેથી જો આ ફરિયાદ કોઈ ભારતીયના દિલમાં હોય તો તમને ખરાબ ન લાગવું જોઈએ.

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">