AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : બ્રાહ્મણો પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ અનુરાગ કશ્યપે માફી માંગી, કહ્યું હું મારી મર્યાદા ભૂલી ગયો હતો

Anurag Kashyap Public Apology : પોતાના નવિદેન બાદ વિવાદમાં ફસાયેલો બોલિવુડનો ફેમસ ડાયરેક્ટર અનુરાગ કશ્યપે માફી માંગી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી બ્રાહ્મણ સમાજના લોકો પાસે માફી માંગી છે. થોડા દિવસો પહેલા સમાજ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યારબાદ ધમાલ મચી હતી.

Breaking News : બ્રાહ્મણો પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ અનુરાગ કશ્યપે માફી માંગી, કહ્યું હું મારી મર્યાદા ભૂલી ગયો હતો
| Updated on: Apr 22, 2025 | 1:38 PM
Share

બોલિવુડના ફેમસ ડાયરેક્ટર અનુરાગ કશ્યપના જાતિગત નિવેદન બાદથી ધમાલ મચી છે. તેમણે બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યારબાદ અલગ -અલગ જગ્યાએ તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાય હતી. ફિલ્મમેકરે દાવો કર્યો હતો કે, પરિવારને ધમકી મળી રહી છે. આ વચ્ચે તેમણે એક પોસ્ટ શેર કરી બ્રાહ્મણ સમાજના લોકો પાસે માફી માંગી છે.

નિવેદનને લઈ સતત ચર્ચામાં

અનુરાગ કશ્યપ વિવાદાસ્પદ નિવેદનને લઈ સતત ચર્ચામાં રહે છે. ત્યારબાદ ફિલ્મમેકર વિરુદ્ધ બ્રાહ્મણ સમાજના લોકોમાં નારાજગી જોવા મળી હતી. મનોજ મુંતશિર શુક્લાએ પણ તેમને મર્યાદામાં રહેવાની સલાહ આપી હતી. સોશિયલ મીડિયા પર પણ તેમનો ઘણો વિરોધ થઈ રહ્યો છે. હવે અનુરાગ કશ્યપે સ્વીકાર્યું છે કે તે પોતાની મર્યાદા ભૂલી ગયો હતો. તેમણે એક લાંબી પોસ્ટ શેર કરીને માફી માંગી છે.

અનુરાગ કશ્યપે માફી માંગી

અનુરાગ કશ્યપે પોસ્ટ શેર કરી લખ્યું , હું ગુસ્સામાં કોઈને જવાબ આપવામાં મારી મર્યાદા ભૂલી ગયો અને આખા બ્રાહ્મણ સમાજને ખરાબ કહ્યું હતુ. એ સમાજ જેના તમામ લોકો મારી જિંદગીમાં રહ્યા છે. આજે પણ છે અને ઘણું યોગદાન આપે છે. આજે તે બધા મારાથી દુઃખી છે. મારા પરિવારને મારાથી દુઃખી છે. ઘણા બુદ્ધિજીવીઓ, જેમનો હું આદર કરું છું, મારા ગુસ્સા અને મારી બોલવાની રીતથી દુઃખી છે.”

શું હતો સમગ્ર વિવાદ

અનુરાગ કશ્યપે કોઈને જવાબ આપવા માટે બ્રાહ્મણ સમાજ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યારબાદ ધમાલ મચી હતી. તેમણે પહેલા પણ માફી માંગી હતી પરંતુ અલગ અંદાજમાં. તેમણે કહ્યું કે, તેમણે શબ્દો ખોટા પસંદ કર્યા છે પરંતુ ભાવ યોગ્ય હતો. જ્યારે આ મામલો શાંત ન થયો તો હવે તેમણે લાંબી પોસ્ટ લખી સોરી કહ્યું છે.

બ્રાહ્મણ સમાજમાં રોષ

અનુરાગ કશ્યપની ટિપ્પણી સામે બ્રાહ્મણ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ફિલ્મ ડાયરેક્ટરે સોશિયલ મીડિયા પર વિવાદિત ટિપ્પણી કરી હતી. ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. અનુરાગ કશ્યપે ઉશ્કેરણીજનક ટિપ્પણી કરી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. અનુરાગ કશ્યપ બ્રાહ્મણ સમાજની માફી માગે તેવી માગ કરવામાં આવી છે.

બોલિવૂડ ડિરેક્ટર અભિનવ કશ્યપના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણવા અહી ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">