Bollywood News: અક્ષય કુમારની ‘Sooryavanshi’ આ દિવસે થશે રિલીઝ, શું તોડશે કમાણીના તમામ રેકોર્ડ ?
Sooryavanshi Release Date : કેટરીના કૈફ સૂર્યવંશીમાં અક્ષય કુમાર સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સાથે, રણવીર સિંહ અને અજય દેવગન મહેમાન ભૂમિકામાં જોવા મળશે.
અક્ષય કુમારની (Akshay Kumar) ફિલ્મ સૂર્યવંશીની (Sooryavanshi) ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ઘણી વખત મુલતવી રાખવામાં આવી છે. હવે, 22 ઓક્ટોબરથી મહારાષ્ટ્રમાં સિનેમા હોલ ખોલવાના સમાચાર આવ્યા છે ત્યારે મનોરંજન ઉદ્યોગમાં ખુશીની લહેર છે. નિર્માતાઓ તેમની ફિલ્મની રિલીઝ તારીખ જાહેર કરી રહ્યા છે. દિવાળીના અવસર પર અક્ષય કુમાર પોતાના ચાહકોને ભેટ આપવા જઈ રહ્યો છે.
અક્ષયે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી અને માહિતી આપી કે પોલીસ દિવાળીના અવસર પર આવી રહી છે પરંતુ તેણે તારીખ જાહેર કરી નથી. હવે ચાહકો જાણવા માંગે છે કે સૂર્યવંશી દિવાળીના દિવસે રિલીઝ થશે કે પછીના દિવસે. એક અહેવાલ મુજબ અક્ષય કુમારની સૂર્યવંશી દિવાળીના બીજા દિવસે 5 નવેમ્બરે થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. જોકે હજુ સુધી તારીખની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, જો ફિલ્મ દિવાળીના દિવસે રિલીઝ કરવામાં આવે છે તો તેનું બોક્સ ઓફિસ પ્રદર્શન સારુ નથી રહેતું કારણ કે દિવાળીના દિવસે લોકો પુજા પાઠ અને અન્ય પ્રવૃત્તિઓમાં વધારે વ્યસ્ત હોય છે.
દિવાળીના બીજા દિવસે રજા હોય છે, જેના કારણે ફિલ્મ કલેક્શનનો રેકોર્ડ બનાવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં હેપ્પી ન્યૂ યર, પ્રેમ રત્ન ધન પાયો અને ગોલમાલ અગેન દિવાળીના બીજા દિવસે રિલીઝ થઈ છે અને બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું છે.
નિષ્ણાતોનું કહેવું છે કે સૂર્યવંશીના નિર્માતાઓનો નિર્ણય એકદમ સાચો છે. ઘણી વખત મુલતવી રાખવામાં આવ્યા બાદ પણ ફિલ્મ અંગે ઉત્તેજના યથાવત રહે છે. કોરોના હોવા છતાં પણ, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુંદર કમાણી કરવામાં સફળ સાબિત થશે.
તમને જણાવી દઈએ કે સૂર્યવંશી અગાઉ 24 માર્ચ 2020 ના રોજ રિલીઝ થવાની હતી પરંતુ કોરોના રોગચાળાને કારણે તેને સ્થગિત કરવામાં આવી હતી. તે પછી, આ ફિલ્મને વર્ષ 2021 ની શરૂઆતમાં રિલીઝ કરવાની તૈયારી કરવામાં આવી હતી, પરંતુ કોરોનાની બીજી લહેરને કારણે તેને ફરી એકવાર મુલતવી રાખવી પડી.
કેટરીના કૈફ સૂર્યવંશીમાં અક્ષય કુમાર સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સાથે, રણવીર સિંહ અને અજય દેવગન મહેમાન ભૂમિકામાં જોવા મળશે.
આ પણ વાંચો –
ભારત સામે UK ઝૂકવાથી લઈને પ્રથમ વખત ભદ્ર મંદિરમાં ગરબાના આયોજન સુધી: એક જ ક્લિકમાં વાંચો આ મોટા સમાચાર
આ પણ વાંચો –
કોરોના જ્ઞાનશાળા: જો તમે વેક્સિનના બંને ડોઝ લીધા છે, તો કેટલા દિવસો સુધી ચિંતા કરવાની જરૂર નથી?
આ પણ વાંચો –