AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Satish Kaushik Death : અભિનેતા સતીશ કૌશિકનું નિધન, અનુપમ ખેરે ટ્વિટ કરીને આપી માહિતી

જાણીતા ભારતીય અભિનેતા અને દિગ્દર્શક સતીશ કૌશિકનું બુધવારે 66 વર્ષની વયે નિધન થયું છે. અનુપમ ખેરે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર તેમના મિત્ર સતીશ કૌશિકના મૃત્યુની માહિતી આપી હતી. તેમણે કૌશિકના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

Satish Kaushik Death : અભિનેતા સતીશ કૌશિકનું નિધન, અનુપમ ખેરે ટ્વિટ કરીને આપી માહિતી
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2023 | 9:22 AM
Share

Satish Kaushik passed away: જાણીતા ભારતીય અભિનેતા અને દિગ્દર્શક સતીશ કૌશિકનું બુધવારે 66 વર્ષની વયે અવસાન થયું. અનુપમ ખેરે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર તેમના મિત્ર સતીશ કૌશિકના મૃત્યુની માહિતી આપી હતી. તેમણે કૌશિકના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

સતીશ કૌશિકને શ્રદ્ધાંજલિ આપતા અનુપમ ખેરે ટ્વીટ કર્યું, “હું જાણું છું કે ‘મૃત્યુ આ દુનિયાનું છેલ્લું સત્ય છે!’ પરંતુ મેં ક્યારેય મારા સપનામાં પણ વિચાર્યું ન હતું કે હું જીવતો હતો ત્યારે મારા શ્રેષ્ઠ મિત્ર સતીશ કૌશિક વિશે લખીશ.” 45 વર્ષની મિત્રતા પર આવો અચાનક પૂર્ણવિરામ! ઓમ શાંતિ!

જાને ભી દો યારોંથી કર્યું હતુ ડેબ્યુ

હરિયાણાના મહેન્દ્રગઢમાં 13 એપ્રિલ, 1956ના રોજ જન્મેલા સતીશ કૌશિકે 1983માં આવેલી ફિલ્મ ‘જાને ભી દો યારોં’થી પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેમણે 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. વર્ષ 1993માં ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’થી તેણે ફિલ્મ નિર્દેશનની દુનિયામાં પગ મૂક્યો અને લગભગ દોઢ ડઝન ફિલ્મોનું નિર્દેશન કર્યું. સતીશ કૌશિકે દરેક જોનરમાં કામ કર્યું, પરંતુ તેમની કોમેડીમાં કોઈ બ્રેક નહોતો.

સતીશ કૌશિકે તેમનું પ્રારંભિક શિક્ષણ દિલ્હીના કરોલ બાગથી કર્યું હતું. આ પછી તેમણે દિલ્હી યુનિવર્સિટીની કોરેમલ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું. પછી તેમણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન લીધું. વર્ષ 1978 માં અહીંયા છોડ્યા પછી, તેમણે ફિલ્મ અને ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં પ્રવેશ મેળવ્યો.

સતીશ કૌશિકે વર્ષ 1987માં ફિલ્મ મિસ્ટર ઈન્ડિયાથી ફિલ્મ અભિનેતા તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ પછી, 1997 માં, તેમણે દિવાના મસ્તાનામાં પપ્પુ પેજરના પાત્રમાં તેના શ્રેષ્ઠ અભિનયથી દર્શકોનું દિલ જીતી લીધું. આ સિવાય સતીશ કૌશિકને વર્ષ 1990માં ફિલ્મ રામ લખન માટે અને 1997માં સાજન ચલે સસુરાલ માટે બેસ્ટ કોમેડિયનનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. અભિનય ક્ષેત્રે, સતીશ કૌશિક તેમના ઉત્તમ કોમિક ટાઈમિંગ માટે જાણીતા હતા.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">