AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અભિનેતા Rajinikanthની તબિયત લથડી, ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

સોમવારે જ રજનીકાંતને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રજનીકાંતે તેમનો પુરસ્કાર નિર્માતાઓ, દિગ્દર્શકો, ફિલ્મ ફર્ટિનિટી અને ચાહકોને સમર્પિત કર્યો છે.

અભિનેતા Rajinikanthની તબિયત લથડી, ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
Rajinikanth
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 10:54 PM
Share

સાઉથના સુપરસ્ટાર રજનીકાંત (Rajinikanth)ને ગુરુવારે ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની ટીમના જણાવ્યા અનુસાર તેમને ‘રૂટીન ચેકઅપ’ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તે સાંજે 4.30 કલાકે હોસ્પિટલ પહોંચ્યા હતા. સોમવારે જ રજનીકાંતને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

દિલ્હીમાં આયોજિત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારા રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. રજનીકાંતે તેમનો પુરસ્કાર નિર્માતાઓ, દિગ્દર્શકો, ફિલ્મ ફર્ટિનિટી અને ચાહકોને સમર્પિત કર્યો છે. રજનીકાંતની આગામી ફિલ્મ અન્નત્થે 4 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. સિરુથાઈ શિવા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ સન પિક્ચર્સ દ્વારા નિર્મિત છે.

ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

27 ઓક્ટોબરે ચેન્નાઈના એક ખાનગી સ્ટુડિયોમાં અન્નત્થેનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. અભિનેતા રજનીકાંતે બુધવારે એક ખાનગી સ્ક્રીનિંગમાં પરિવાર સાથે ફિલ્મ જોઈ હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં 70 વર્ષીય ફિલ્મ અભિનેતાને તેમના બ્લડ પ્રેશરમાં થાક અને વધઘટનો અનુભવ થતાં હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે તેઓ એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. બાદમાં તેમને બે દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

થોડા દિવસો પછી તેમણે જાહેરાત કરી કે તેઓ રાજકીય પાર્ટી શરૂ નહીં કરે, જે તેમને 2021માં તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા શરૂ કરવા માટે યોજના બનાવી હતી. તેમણે કહ્યું કે તેમની તાજેતરની તબિયતની બીક ભગવાન તરફથી ચેતવણી છે. તે સમયે તેમણે કહ્યું હતું કે હું તેને ભગવાન દ્વારા આપવામાં આવેલી ચેતવણી તરીકે જોઉં છું.

જો મેં પાર્ટી શરૂ કર્યા પછી માત્ર મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા જ પ્રચાર કર્યો તો હું લોકોમાં રાજકીય ઉથલપાથલ સર્જી શકીશ નહીં. રાજકીય અનુભવ ધરાવનાર કોઈ પણ આ વાસ્તવિકતાને નકારી શકશે નહીં. આ પહેલા સુપરસ્ટારનું કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ થઈ ચૂક્યું છે.

મંગળવારે અભિનેતા રજનીકાંતે પોતાની સ્ટાઈલ જેવી એક અલગ એપ લોન્ચ કરી છે, જેનું નામ Hoote છે. તે વૉઈસ આધારિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે અને તેનું નામ Hoote છે. આ પ્લેટફોર્મ એક નહીં પરંતુ આઠ ભાષાઓના સપોર્ટ સાથે આવે છે. જેમાં ભારત સહિત વિદેશી ભાષાઓ પણ સામેલ છે. ભારતીય ભાષાઓમાં હિન્દી, તમિલ, મરાઠી, મલયાલમ, કન્નડ, બંગાળી અને ગુજરાતીનો સપોર્ટ છે.

જો કે આ એપ માટેની સફર એટલી સરળ નહીં હોય કારણ કે ભારતીય બજારમાં પહેલેથી જ ઘણી સોશિયલ મીડિયા એપ્સ છે. Hoote એપને એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે મેસેજ ટાઈપ થતો નથી પણ બોલવામાં આવે છે અથવા એમ કહીએ કે આ એપ વોઈસ નોટ આધારિત એપ છે. એકવાર વૉઈસ નોટ રેકોર્ડ કરીને યૂઝર્સ તેમાં પોતાના અનુસાર સંગીત અને ઇમેજ ઉમેરી શકે છે.

આ પણ વાંચો :- Allu Arjun દર્શકોને અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી જોવાની કરી અપીલ, કરણ જોહરે તેમને કહ્યા રિયલ સુપરસ્ટાર

આ પણ વાંચો :- Shah Rukh Khanના પુત્ર આર્યનને મળી ગયા જામીન, અભિનેતાના ઘરની બહાર લાગી ભીડ, જુઓ Photos

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
g clip-path="url(#clip0_868_265)">