AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aryan Khan Case: આર્યન ખાન કેસનો મહત્વના સાક્ષી સેમ ડિસોઝા આવ્યો સામે, અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા

સેમ ડિસોઝાએ દાવો કર્યો છે કે ગોસાવી અને પ્રભાકરે આર્યન કેસમાં શાહરૂખ ખાનના મેનેજર પાસેથી ટોકન મની તરીકે 50 લાખ રૂપિયા લીધા હતા. આખી ડીલ 18 કરોડમાં નક્કી કરવામાં આવી હતી. આ સમગ્ર ડીલ પાછળ ગોસાવીની સાથે સુનીલ પાટીલ (Sunil Patil)નામનો શખ્સ હતો.

Aryan Khan Case: આર્યન ખાન કેસનો મહત્વના સાક્ષી સેમ ડિસોઝા આવ્યો સામે, અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા
kiran gosavi
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 6:46 AM
Share

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના ડ્રગ્સ કેસમાં (Aryan Khan Drug Case) આરોપ લાગ્યો હતો કે, ધરપકડ સમયે આર્યન સાથે વ્યક્તિની તસ્વીર વાયરલ થઈ હતી. તે કિરણ ગોસાવીએ સેમ ડિસોઝા (Sam D’Souza નામની વ્યક્તિએ આર્યન કેસને દબાવવા માટે SRKની મેનેજર પૂજા દદલાની 25 કરોડની ડીલ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

અંતે ગોસાવીએ 18 કરોડમાં ડીલ ફાઇનલ કરવાનું કહ્યું હતું. ગોસાવીએ કહ્યું હતું કે આમાંથી 8 કરોડ NCB અધિકારી સમીર વાનખેડેને (Sameer Wankhede) આપવા પડશે. આ આરોપ ગોસાવીના બોડીગાર્ડ પ્રભાકર સૈલે કર્યો હતો. પ્રભાકરે કહ્યું હતું કે તેણે ફોન પર ગોસાવી અને સેમની વાતચીત સાંભળી હતી. આ આરોપ પછી સેમ ડિસોઝાનું નામ ઘણું ગુંજી રહ્યું હતું. પરંતુ સેમ નામની વ્યક્તિ હવે સામે આવી ગઈ છે.

સેમ ડિસોઝાએ દાવો કર્યો છે કે ગોસાવીએ આર્યન કેસમાં શાહરૂખ ખાનના મેનેજર પાસેથી ટોકન મની તરીકે 50 લાખ રૂપિયા લીધા હતા. આખી ડીલ 18 કરોડમાં નક્કી કરવામાં આવી હતી. આ સમગ્ર ડીલ પાછળ ગોસાવીની સાથે સુનીલ પાટીલ નામનો શખ્સ હતો. તે કિરણ ગોસાવી પાસેથી સૂચનાઓ લેતો હતો. સેમે એવો પણ દાવો કર્યો છે કે આર્યન પાસેથી ડ્રગ્સ મળી આવ્યું નથી. કિરણ ગોસાવી શાહરૂખ ખાન પાસેથી પૈસા પડાવવા માંગતો હતો.

સેમ ડિસોઝાએ જણાવ્યું કે આર્યન ખાન પાસેથી ડ્રગ્સ મળ્યું નથી એક ખાનગી મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં સેમ ડિસોઝાએ જણાવ્યું કે આર્યન ખાન પાસેથી ડ્રગ્સ મળ્યું નથી. સેમે કહ્યું, “સુનીલ પાટીલે મને ફોન કર્યો અને કહ્યું કે મારી પાસે કાર્ડેલિયા જહાજ વિશે કેટલીક માહિતી છે. તેણે મને NCB અધિકારીનો સંપર્ક કરવા વિનંતી કરી. જ્યારે હું કનેક્ટ થયો ત્યારે મને કિરણ ગોસાવીનો ફોન આવ્યો. ગોસાવીએ કહ્યું કે અમે અત્યારે અમદાવાદમાં છીએ અને સવારે સાત વાગ્યે મુંબઈ પહોંચી જઈશું. ”

વધુમાં સેમ ડિસોઝાએ જણાવ્યું હતું કે, “ગોસાવીએ મને કહ્યું કે આર્યન ક્લીન છે. તેની પાસેથી કંઈ મળ્યું નથી. અમે તેને મદદ કરી શકીએ છીએ. આ પછી ગોસાવીએ આર્યન ખાનને સિલ્વર રંગની બેગ બતાવી અને બેગની તસ્વીર પણ લીધી. સેમે કહ્યું કે તે પછી ગોસાવી NCB ઓફિસ ગયા. ગોસાવીએ આર્યનનો અવાજ રેકોર્ડ કર્યો. આમાં આર્યન કહી રહ્યો હતો કે ‘પાપા, હું NCBમાં છું’.

સુનીલ પાટીલ પાસેથી જાણવા મળ્યું હતું કે ગોસાવીએ પૂજા પાસેથી 50 લાખ રૂપિયાની ટોકન મની માંગી હતી’ સેમ ડિસોઝાએ કહ્યું કે આ પછી તેણે કોન્ફરન્સ કોલમાં પૂજા દદલાની સાથે વાત કરી હતી. સેમે કહ્યું, “મેં પૂજા દદલાનીને કહ્યું કે હું આ વિશે વધુ જાણતો નથી. જેઓ આ મામલો સંભાળી રહ્યા છે. તે પછી અમે તેને લોઅર પરેલમાં મળ્યા. તે સમયે ગોસાવી, હું, ચીકી પાંડે અને પૂજા દદલાનીના પતિ પણ ત્યાં હતા. મને સુનિલ પાટીલ દ્વારા ખબર પડી કે ગોસાવીએ આર્યનને મદદ કરવા માટે રૂ. 50 લાખની ટોકન મની માંગી હતી.

કિરણ ગોસાવી છેતરપિંડી, તેણે સમીર વાનખેડેના નામે સોદો કર્યો’ સેમ ડિસોઝાએ કહ્યું કે કિરણ ગોસાવી છેતરપિંડી છે. આ રીતે ગોસાવીએ સમીર વાનખેડેના નામે સોદો કર્યો હતો. હાલ પુણે પોલીસે કિરણ ગોસાવીની અટકાયત કરી છે. ક્રાઈમ બ્રાન્ચે તેને ત્રણ વર્ષ જૂના છેતરપિંડીના કેસમાં પકડ્યો છે.

આ પણ વાંચો : તહેવારોની સીઝનમાં ઘટી શકે છે ખાદ્યતેલના ભાવ, SEAના આ નિર્ણયથી થશે રાહત

આ પણ વાંચો : આજે છે રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીનો 58મો જન્મદિવસ, જાણો તેમની સાથે જોડાયેલી ખાસ વાતો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">