Arjun Kapoor એ બહેન અંશુલા સાથે મળીને ભેગા કર્યાં 1 કરોડ રૂપિયા, 30,000 લોકોની કરી મદદ

|

Apr 30, 2021 | 6:31 PM

અર્જુન કપૂર આ દિવસોમાં કોરોના રોગચાળાથી પીડિત લોકોની મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ માટે અર્જુને તેમની બહેન અંશુલા કપૂર સાથે મળીને 1 કરોડ રૂપિયાથી વધુ એકત્ર કર્યા છે.

Arjun Kapoor એ બહેન અંશુલા સાથે મળીને ભેગા કર્યાં 1 કરોડ રૂપિયા, 30,000 લોકોની કરી મદદ
Arjun Kapoor

Follow us on

બોલીવુડ અભિનેતા અર્જુન કપૂરે (Arjun Kapoor) કોરોના રોગચાળાથી અસરગ્રસ્ત લગભગ 30,000 લોકોની મદદ કરી ચુક્યા છે. અર્જુનના આ ઉમદા કામમાં તેમની સાથે તેમની બહેન અંશુલા કપૂર (Anshula Kapoor) પણ છે. આ બંને ભાઈ-બહેનોની જોડીએ ફેનકાઈન્ડ (Fankind) નામના સેલિબ્રિટી ફંડ રેસિંગ પ્લેટફોર્મ પરથી એક કરોડથી વધુનું ભંડોળ એકઠું કર્યું છે. આનાથી લોકોની મદદમાં પણ રોકાયેલા છે.

અર્જુન કપૂરે (Arjun Kapoor) પોતાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે હવે અમે મુશ્કેલીમાં ફસાયેલા લોકોને મદદ કરી શકીએ છીએ. અર્જુને પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે ‘મેં પોતાને લોકોનું જીવન બચાવવા વાળા આ સાહસ માટે ઝોકી દિધુ છે. આનાથી મને ગર્વનો અનુભવ થાય છે. આ પ્લેટફોર્મ ગંભીર સંકટથી લડતા લોકોને મદદ કરી રહ્યું છે.

અર્જુને કહ્યું કે ‘આ રોગચાળાએ આપણને દુ:ખની ખાઈમાં ધકેલી દીધો છે. અમે બધા લોકો અમારી રીતે જે પણ થઈ શકે તેટલી મદદ કરી રહ્યા છીએ. રાશન કિટથી લઈને ગરમ ખોરાક સુધી, સ્થળાંતર કામદારો માટે રોકડ, ઉપરાંત કોવિડ -19 ને રોકવા માટે કીટ આપવાનું કામ કરી રહ્યા છે. આ પહેલથી ઘણા લોકોને મદદ કરવામાં સફળતા મળી છે. અમને આશા છે કે વાયરસ સામે લડવામાં આજ રીતે નાના પગલા મદદરૂપ થશે. ‘

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

 

 

 

અર્જુન કપૂર આ દિવસોમાં પોતાની ફિલ્મની સાથે ‘Star Vs Food’ શોમાં પણ પોતાની રસોઈ કુશળતા બતાવી રહ્યા છે. આ શો દરમિયાન અર્જુન કપૂરે તેમની પર્સનલ લાઇફને લગતી કેટલીક વાતો શેર કરી છે. તેમના માતાપિતા બોની કપૂર અને મોના કપૂરના ડિવોર્સથી લઈને પોતાના વધેલા વજન અને ફિટનેસ અંગે ખુલીને વાત કરી.

અર્જુન માતાપિતાના અલગ થવાનાં સમયે જમવામાં શાંતી ગોતી રહ્યા હતા. મેં ખાવાનું શરૂ કરી દિધુ હતું, અને જમવામાં ખૂબ આનંદ માણવા લાગ્યો. એક બિંદુ પછી જ્યારે તમને રોકવા માટે કોઈ ન હોય, ત્યારે તે છોડવું મુશ્કેલ બની જાય છે. એક એવો સમય હતો જ્યારે મને દમ હતો. હું 16 વર્ષની ઉંમરે 150 કિલોનો થઈ ગયો હતો. ફિલ્મ ‘ઇશ્કઝાદે’ માં પદાર્પણ કરતા પહેલા તેમને વજન 50 કિલોથી પણ વધારે પોતાનું વજન ઓછું કર્યું હતું.

 

આ પણ વાંચો :- ‘છોટા બચ્ચા જાન કે ના કોઈ આંખ દિખાના રે … નો તે માસૂમ બાળક થઈ ગયો છે એટલો મોટો, જુઓ ન જોયેલા ફોટા

આ પણ વાંચો :- Priyanka Chopra એ કરી મદદની અપીલ, કહ્યું – ‘ કોરોનાથી મારા દેશમાં લોકો મરી રહ્યા છે, તમારી જરૂરત છે’

 

Next Article