Arijit Singh Birthday: એક સમયે રિયાલિટી શોમાંથી બહાર થયા હતા અરિજીત, પછી આ ગીત સાથે ચમક્યો નસીબનો સિતારો

અરિજીત સિંઘ બોલિવૂડ દુનિયાના એક એવા ગાયકો છે, જેમણે પોતાની ઓળખ સ્થાપિત કરવા માટે ઘણા પ્રયત્નો કરવા પડ્યા.

Arijit Singh Birthday: એક સમયે રિયાલિટી શોમાંથી બહાર થયા હતા અરિજીત, પછી આ ગીત સાથે ચમક્યો નસીબનો સિતારો
Arijit Singh
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Apr 25, 2021 | 11:35 AM

Arijit Singh Birthday: અરિજીત સિંઘ બોલિવૂડ દુનિયાના એક એવા ગાયકો છે, જેમણે પોતાની ઓળખ સ્થાપિત કરવા માટે ઘણા પ્રયત્નો કરવા પડ્યા. આજે ભલે અરિજીત પોતાના અવાજથી લોકોના દિલ પર રાજ કરે, પણ એક સમય એવો હતો જ્યારે તેમને ફિલ્મોમાં ગાવા માટે બહુ સંઘર્ષ કરવો પડ્યો હતો.

અરિજીત સિંહે 25 એપ્રિલે તેમનો જન્મદિવસ ઉજવે છે. અરિજીત માટે એવું કહેવામાં આવે છે કે તેમના અવાજમાં દર્દ અને પ્રેમ બંને છે, જે સાંભળનારને મોહિત કરે છે. તો ચાલો તમને તેમના જન્મદિવસ પ્રસંગે તેમની કારકિર્દીથી સંબંધિત ખાસ વાતો જણાવીએ.

અરિજીતને સંગીત વારસામાં મળ્યું છે. તેમની માતા ગાયક હતી અને મામા તબલાવાદક હતા. ત્યાજ, તેમની દાદીને ભારતીય સાંસ્કૃતિક સંગીતમાં રસ હતો. આ પછી, અરિજીતે નક્કી કર્યું હતું કે તે પણ સંગીતમાં પોતાની કારકીર્દિ બનાવશે. જોકે, ફિલ્મ ઉદ્યોગમાં પોતાનું સ્થાન બનાવવું તેમના માટે સહેલું નહોતું. તમને જણાવી દઈએ કે પ્રારંભિક તબક્કે તેમનું ફિલ્મ ‘સાવરિયા’ માટે ગાયેલુ તેમનું ગીત છેલ્લી ઘડિએ ફિલ્મ પરથી નિકાળી દેવામાં આવ્યું હતું અને ટિપ્સ દ્વારા રેકોર્ડ કરાયેલ તેમનો પહેલો આલ્બમ ક્યારેય રિલીઝ થયો ન હતો. જો કે તેમને પ્રથમ રિજેક્શન મળ્યું હતું સિંગિંગ રિયાલિટી શો ફેમ ગુરુકુલથી.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

અરિજીતે તેમના ગુરુ રાજેન્દ્ર પ્રસાદ હજારીના કહેવા પર મ્યુઝિક રિયાલિટી શો ‘ફેમ ગુરુકુલ’માં ભાગ લીધો હતો. આ શોમાં તેમનો અવાજને પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ તે આ શો જીતવામાં નિષ્ફળ થયા હતા. અરિજીત ફક્ત ટોપ 5 પર પહોંચી શક્યા અને પછી તેમને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો. જોકે શંકર મહાદેવન તેમની ગાયકીથી પ્રભાવિત થયા હતા, તેવામાં તેમને ફિલ્મ હાઇ સ્કૂલ મ્યુઝિકલ 2 ના આલ્બમ માટે એક ગીત ઓફર કરવામાં આવ્યું હતું.

આ પછી, અરિજીતે ઘણા ગીતો ગાયા અને કોન્ટ્રાક્ટ પણ મળવા લાગ્યા. તેમણે પ્રીતમ અને વિશાલ શેખર સાથે મળી ને મ્યુઝિક પ્રોગ્રામર તરીકે પણ કામ કર્યું હતું. અરિજીત ફિલ્મોમાં પોતાને પગ જમાવામાં લાગ્યા હતા ત્યારે ફિલ્મ ‘આશિકી 2’ માં તેમને ગાવાનો મોકો મળ્યો. આ ફિલ્મના ગીત ‘તુમ હી હો’ થી તેઓ રાતોરાત મોટા સ્ટાર બની ગયા. આ પછી, બોલિવૂડના દરવાજા અરિજીત માટે ખુલી ગયા.

‘તુમ હી હો’ પછી, અરિજીતે હિટ ગીતોની એક લાઇન લગાવી દિધી. તેમના ગાયેલા ગીત ‘ફિર ભી તુમકો ચાહૂંગા’, ‘પછતાઓગે’, ‘પલ’, ‘ખૈરિયત’, ‘સોચ ના સકે’, ‘ઇલાહી’, ‘હમારી અધૂરી કહાની’ એ શ્રોતાઓનું દિલ જીત્યું. જો કે, હવે અરિજીત ગાયક નથી રહ્યા પણ સંગીતકાર બની ગયા છે. ફિલ્મ ‘પગલૈટ’ માં સંગીતકાર તરીકેની શરૂઆત કરી અને તેમના કામને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. ઓટીટી પર રિલીઝ થયેલી આ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો હતો, જ્યારે અરિજિતની શરૂઆત પણ સફળ રહી હતી.

આ પણ વાંચો :- Nawazuddin Siddiqui એ વેકેશન પર જતા સેલેબ્સની લીધી કલાસ, કહ્યું- અહીં લોકો પાસે ખોરાક નથી અને તમે પૈસા ઉડાવી રહ્યા છો, શર્મ કરો

આ પણ વાંચો :- દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ છે આ સ્ટાર્સની સંપત્તિ, આ યાદીમાં Amitabh Bachchan થી લઈ Shahrukh Khan છે શામિલ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">