Amitabh Bachchan સર્જરી બાદ ફરી એકવાર કામ પર પાછા ફર્યા, દોહિત્રી નવ્યા નવેલી નંદાએ એક રસપ્રદ ટિપ્પણી કરી
અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદાએ અમિતાભ બચ્ચનના ફોટા પર એક રસપ્રદ ટિપ્પણી કરી છે. અમિતાભ બચ્ચન તાજેતરમાં જ તેમની આંખની સર્જરી કરાવી પાછા ફર્યા છે.
અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદાએ અમિતાભ બચ્ચનના ફોટા પર એક રસપ્રદ ટિપ્પણી કરી છે. અમિતાભ બચ્ચન તાજેતરમાં જ તેમની આંખની સર્જરી કરાવી પાછા ફર્યા છે અને ફરી એકવાર કામ શરૂ કરી દીધું છે. હવે તેમણે સોશિયલ મીડિયા પર પોતાનો ફોટો અને વીડિયો પોસ્ટ કર્યો છે. ફોટોમાં અમિતાભ બચ્ચન નવા પ્રોજેક્ટ પર કામ કરતા જોઈ શકાય છે. ફોટો શેર કરતી વખતે અમિતાભ બચ્ચને લખ્યું, ‘જો પ્રેમનો ખોરાક સંગીત છે તો તે વગાડવું જોઈએ અને મારે તેનું એક્સેસ જોઈએ.’ આના પર અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદાએ દિલની ઈમોજી શેર કરીને લવ યુ લખ્યું છે. જ્યારે આ પ્રસંગે અમિતાભ બચ્ચને પણ સંગીતનું મહત્વ જણાવ્યું છે. તેમણે લખ્યું છે, ‘સ્વર … નોટ .. તે સંગીતથી સંબંધિત છે. આને કારણે જ સ્વર્ગ અને આત્માનું મિલન થાય છે’.
View this post on Instagram
આ પ્રસંગે અમિતાભ બચ્ચને તેમની ઘણી તસવીરો પણ શેર કરી છે. જેમાં તે સંગીત સાંભળતા જોવા મળી રહ્યા છે. અમિતાભ બચ્ચને ગયા અઠવાડિયે સોશ્યલ મીડિયા પર માહિતી આપી હતી કે તેમની આંખની સર્જરી થઈ છે. આને કારણે ચાહકો તેમની તબિયત વિશે જાણવા ઉત્સુક હતા. અમિતાભ બચ્ચન જલ્દીથી ફિલ્મ ચેહરેમાં જોવા મળશે. તે સિવાય આ ફિલ્મમાં ઈમરાન હાશ્મીની પણ મહત્વની ભૂમિકા છે ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. અમિતાભ બચ્ચન ફિલ્મ ઝુંડમાં જોવા મળશે, ત્યાં જ તે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં પણ જોવા મળશે. તે સિવાય રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મહત્વની ભૂમિકા ભજવશે.
View this post on Instagram
અમિતાભ બચ્ચન બોલિવૂડ અભિનેતા છે, તેમણે ઘણી ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી છે. અગાઉ તે કોરોનાથી પીડાયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સિવાય તેમની પુત્રવધૂ એશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન અને પૌત્રી આરાધ્યાના પણ ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા.
આ પણ વાંચો: Twinkle Khanna એ Akshay Kumar સાથે બે ફોટા ખેચીને કહ્યા છૂટાછેડા ટાળવા માટેના ફોર્મ્યુલા