AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અલ્લુ અર્જુને તમાકુની ‘એડ’ ઠુકરાવતા બોલિવૂડ સ્ટાર્સ ટ્રોલર્સના નિશાને, અક્ષય કુમારે ચાહકોની માફી માંગી

અક્ષય કુમારે (Akshay Kumar) તેની તમાકુની જાહેરાતને લઈને માફી માંગી છે. જેમાં તેણે લખ્યું છે કે, "હું આ જાહેરખબર અંગે પૂરી નમ્રતા સાથે પાછી ખેંચી લઉં છું. હું આગળના કોઈપણ વિકલ્પની પસંદગી સમજદારીપૂર્વક કરીશ.

અલ્લુ અર્જુને તમાકુની 'એડ' ઠુકરાવતા બોલિવૂડ સ્ટાર્સ ટ્રોલર્સના નિશાને, અક્ષય કુમારે ચાહકોની માફી માંગી
AKshay Kumar apologizes to fans
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 8:32 AM
Share

બોલિવૂડના (Bollywood) ફેમસ એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar) આ દિવસોમાં પોતાની ફિટનેસને લઈને ચર્ચામાં છે. અક્ષય કુમાર એક તમાકુની જાહેરાતને (Tobacco Advertisement) લઈને સોશિયલ મીડિયામાં ચર્ચામાં હતો. તેણે તમાકુની જાહેરાત કરી હતી, જેના વિશે તેના ચાહકો અભિનેતાથી ખૂબ નારાજ હતા. આ જાહેરાતને લઈને અક્ષય ઘણા ટ્રોલ (Akshay Kumar Troll on social media) થયા હતા. હવે અક્ષયે આ સમર્થનને લઈને એક નિવેદન જાહેર કર્યું છે. જેમાં તેણે તેના ચાહકોની (Fans) માફી માંગી છે.

અક્ષય કુમારે તેના માફી પત્રમાં લખ્યું છે કે, “હું મારા તમામ ચાહકો અને શુભેચ્છકોની માફી માંગુ છું. છેલ્લા કેટલાક દિવસોમાં તમારા પ્રતિભાવથી મને આઘાત લાગ્યો છે. હું તમાકુનું સમર્થન કરતો નથી. વિમલ ઈલાઈચી સાથેના મારા જોડાણ પર તમે જે રીતે તમારી લાગણીઓ વ્યક્ત કરી, હું તમારી ભાવનાઓને માન આપું છું.”

View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

હું હવેથી સમજી-વિચારીને કોઈપણ વિકલ્પ પસંદ કરીશ

ઉપરાંત બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારે લખ્યું કે, “હું સંપૂર્ણ નમ્રતા સાથે આમાંથી ખસી ગયો છું. મેં આ જાહેરખબરમાંથી મળેલા તમામ નાણાંનો ઉપયોગ કોઈ ઉમદા હેતુ માટે કરવાનું નક્કી કર્યું છે. કાયદાકીય કારણોસર આ જાહેરાતને નિર્ધારિત સમય માટે પ્રસારિત કરવાનો કરાર છે. એટલું જ નહીં અક્ષયે તેના ચાહકોને ભવિષ્યમાં આવી જાહેરાતોથી સાવચેત રહેવાનું વચન પણ આપ્યું છે. તેણે કહ્યું કે હું સમજી-વિચારીને કોઈપણ વિકલ્પ પસંદ કરીશ. બદલામાં, હું તમારા બધા તરફથી પ્રેમ અને શુભેચ્છાઓ ઈચ્છું છું.

આ જાહેરાતમાં શાહરૂખ અને અક્ષય પણ જોવા મળ્યા હતા

તમને જણાવી દઈએ કે, આ જાહેરાતમાં અક્ષયની સાથે એક્ટર શાહરૂખ ખાન (Shahrukh Khan) અને એક્ટર અજય દેવગન (Ajay Devgan) પણ જોવા મળ્યા હતા. આ એડ પ્રસારિત થતાં જ ફેન્સે સોશિયલ મીડિયા પર આ સ્ટાર્સને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Rohit Shetty Cop Universe Movie : સિદ્ધાર્થ મલ્હોત્રા પોલીસ યુનિફોર્મમાં જોવા મળ્યો, રોહિત શેટ્ટીએ તેની આગામી ફિલ્મની ઝલક બતાવી

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">