જયેશભાઈ જોરદાર: રણવીર સિંહને દીપિકા પાદુકોણ પાસેથી શું અપેક્ષા છે, અભિનેતાએ ખુલાસો કર્યો !

રણવીર સિંહની (Ranveer Singh) નવી ફિલ્મ 'જયેશભાઈ જોરદાર' આવી રહી છે. આ ફિલ્મમાં જયેશભાઈ બનેલા રણવીર સિંહને બીજી વખત પિતા બનતો બતાવવામાં આવ્યો છે. આ ફિલ્મના ટ્રેલરમાં જયેશભાઈના પરિવારને નાનકા જોઈએ છે, એટલે કે છોકરો જોઈએ છે, નાનકી એટલે કે દીકરી નહીં, તે વાર્તાનો વિષય છે.

જયેશભાઈ જોરદાર: રણવીર સિંહને દીપિકા પાદુકોણ પાસેથી શું અપેક્ષા છે, અભિનેતાએ ખુલાસો કર્યો !
Jayeshbhai Jordaar FIlm Starring Ranveer Singh (File Photo) Image Credit source: instagram photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 6:02 PM

રણવીર સિંહ (Ranveer Singh) અને દીપિકા પાદુકોણના (Deepika Padukone) લગ્નને હવે 4 વર્ષ થઈ ગયા છે. આ માટે, હવે રણવીર અને દીપિકા ક્યારે સારા સમાચાર આપે છે, તે જાણવા આ લોકપ્રિય સ્ટાર કપલના ફેન્સ બેતાબ થયા છે. તાજેતરમાં રણવીર સિંહે કહ્યું છે કે તેને પત્ની દીપિકાથી પુત્ર કે પુત્રી જોઈએ છે. રણવીર સિંહની નવી ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ (Jayeshbhai Jordaar) આવી રહી છે. આ ફિલ્મમાં જયેશભાઈ બનેલા રણવીર સિંહને બીજી વખત પિતા બનતો બતાવવામાં આવ્યો છે. તેમનો પરિવાર પુત્રીની બદલે પુત્રજન્મની ઈચ્છા રાખે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
View this post on Instagram

A post shared by Deepika Padukone (@deepikapadukone)

જેઓ છોકરો ઇચ્છતા હોય તેમના ઘરે દીકરી જન્મ લે ત્યારે છોકરી સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે તેની સામે જયેશભાઈ એક ઉદાહરણ મૂકે છે.

રણવીર સિંહે શું કહ્યું ??

આ ફિલ્મનું ટ્રેલર ગઈકાલે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલર લૉન્ચમાં રણવીર સિંહ તેની કો-સ્ટાર શાલિની પાંડે સાથે જોવા મળ્યો હતો. જયારે રણવીરને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તે ક્યારે પિતા બની રહ્યો છે અને તે પુત્રીનો પિતા બનવા માંગશે કે પુત્રનો? ત્યારે રણવીર સિંહે પણ આનો જવાબ આપ્યો છે. જયેશભાઈ જોરદાર ફેમ અભિનેતાએ કહ્યું કે, ”તે ઉપરવાળા પર આધાર રાખે છે, ફિલ્મમાં પણ એક ડાયલોગ છે, જેઓ મંદિરે જાય છે તેમને પ્રસાદમાં હલવો મળે તો એ, અને લાડુ મળે તો એ લે છે. ઉપરવાળો જે ઈચ્છશે, તે જ થશે.”

જયેશભાઈ જોરદાર ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું

આ ફિલ્મનું ટ્રેલર ગઈકાલે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં રણવીર સિંહ અને શાલિની પાંડે ઉપરાંત રત્ના પાઠક અને બોમન ઈરાની પણ છે. આ ફિલ્મના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે જયેશભાઈ તેમના માતા-પિતાનું પરત આવેલ સંતાન છે, પિતા ગામના મુખિયા છે અને તે પછી તેમનો પુત્ર હવે ગાદી સંભાળશે.

જો કે, તેમનો પુત્ર જયેશ આ માટે તૈયાર નથી, તેમ છતાં તે તેના પિતાના આદેશનું પાલન કરે છે, હવે જયેશની પત્ની પ્રેગ્નન્ટ છે, તેથી પરિવારને આશા છે કે પુત્રવધૂ પુત્રને જન્મ આપશે. જ્યારે ઘરમાં પહેલેથી જ એક દીકરી છે. જયેશ તેની દીકરીને ખૂબ પ્રેમ કરે છે. પણ દાદા-દાદીને તેમની દીકરી ગમતી નથી. હવે જયેશને ઘરે દીકરો થશે, તેની કોઈ ગેરંટી છે ?? અથવા કોઈ મોટી ગડબડ થવા જઈ રહી છે, તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે.

આ પણ વાંચો – ફિલ્મ KGFના ગરુડા જેનાથી બધા ડરે છે, જાણો કોણ છે રામચંદ્ર રાજુ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">