TKSS : અક્ષય કુમારે ‘બચ્ચન પાંડે’ના પ્રમોશન માટે કપિલ શર્માના શોમાં જવાની ના પાડી, આ બાબતથી છે નારાજ

|

Feb 07, 2022 | 11:41 PM

અક્ષય કુમારે થોડા વર્ષો પહેલા વડાપ્રધાન મોદીનો ઈન્ટરવ્યુ લીધો હતો, તે ઈન્ટરવ્યુની ખૂબ ચર્ચા થઈ હતી. કપિલે આ ઈન્ટરવ્યુની મજાક ઉડાવી હતી. આ વીડિયો સામે આવતા અક્ષય ઘણા નારાજ છે.

TKSS : અક્ષય કુમારે બચ્ચન પાંડેના પ્રમોશન માટે કપિલ શર્માના શોમાં જવાની ના પાડી, આ બાબતથી છે નારાજ
Akshay Kumar and Kapil Sharma (Photo- Social Media)

Follow us on

અક્ષય કુમારની (Akshay Kumar) આગામી ફિલ્મ ‘બચ્ચન પાંડે’ની રિલીઝની જાહેરાત થઈ છે, ત્યારથી આ ફિલ્મને લઈને ચર્ચા ચાલી રહી છે. બધા રાહ જોઈ રહ્યા છે કે અક્ષય કુમાર આ ફિલ્મના પ્રમોશનની તૈયારી ક્યારે શરૂ કરશે? હવે રિલીઝ ડેટ નજીક આવી રહી છે અને ‘બચ્ચન પાંડે’ (Bachchan Pandey) ટીમ પ્રમોશનની તૈયારી કરી રહી છે. આ ફિલ્મના પ્રમોશન માટે અક્ષય કુમાર કપિલ શર્માના શોમાં ક્યારે જશે, આ પણ દર્શકોના મનમાં એક સવાલ હતો. છેલ્લા ઘણા સમયથી અક્ષય કુમાર મોટાભાગે કપિલના શોમાં ગયા છે. પરંતુ આ વખતે મામલો કંઈક અલગ છે. જો રિપોર્ટ્સનું માનીએ તો અક્ષય કુમાર આ શોમાં ‘બચ્ચન પાંડે’ના પ્રમોશન માટે નહીં જાય. તેનું મોટું કારણ છેલ્લા શો દરમિયાન બનેલી એક ઘટના છે, જેના પર અક્ષય કુમારે ખુલાસો માંગ્યો છે.

છેલ્લી વિઝીટમાં બનેલી એક ઘટનાથી છે અક્ષય કુમાર નારાજ

હિન્દુસ્તાન ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ અક્ષય કુમારે કપિલ શર્માના શોમાં ‘બચ્ચન પાંડે’ના પ્રમોશન માટે જવાની ના પાડી દીધી છે. છેલ્લા એપિસોડમાં આપેલું વચન તૂટવાથી તે નારાજ છે. કપિલ શર્મા અને અક્ષય શર્મા વચ્ચે ખૂબ જ સારી મિત્રતા છે પરંતુ છેલ્લા એપિસોડમાં બનેલી એક ઘટના બાદ બંને વચ્ચે બધુ સારું નથી દેખાઈ રહ્યું.

એક સૂત્રએ જણાવ્યું કે આ બધું ત્યારે શરૂ થયું જ્યારે અક્ષય છેલ્લી વખત તેના શોમાં ગયા હતા. ત્યારબાદ કપિલે એક ફેમસ પોલિટિશિયનનું અક્ષય કુમારે જે ઈન્ટરવ્યુ લીધુ હતું, જેના પર કપિલે મજાક ઉડાવી હતી. ત્યારે અક્ષયે તેને ચેલેન્જ આપી હતી કે તે પ્રખ્યાત પર્સનાલીટીનું નામ લઈને બતાવે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અક્ષય કુમારે વચન તોડવા અંગે સ્પષ્ટતા માંગી છે

અક્ષય કુમારે થોડા વર્ષો પહેલા વડાપ્રધાન મોદીનો ઈન્ટરવ્યુ લીધો હતો, તે ઈન્ટરવ્યુની ખૂબ ચર્ચા થઈ હતી. કપિલે આ ઈન્ટરવ્યુની મજાક ઉડાવી હતી. હિન્દુસ્તાન ટાઈમ્સના સૂત્ર અનુસાર, અક્ષયે તે શોમાં આ સીન પ્રસારિત ન કરવાનું કહ્યું હતું. જેના પર કપિલ અને ચેનલની ટીમે તે સમયે તેને વચન આપ્યું હતું પરંતુ બાદમાં આ સીન ઈન્ટરનેટ પર લીક થઈ ગયો હતો. આનાથી અક્ષય કુમાર ખૂબ નારાજ છે. અક્ષય આને કપિલ અને તેની ટીમ વતી વિશ્વાસનો ભંગ માને છે અને ફરીથી શોમાં જતા પહેલા તેનો ખુલાસો પણ માંગ્યો છે.

તમને જણાવી દઈએ કે, અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ ‘બચ્ચન પાંડે’ના પ્રમોશન માટે તૈયારીઓ શરૂ કરવાનો છે. આ ફિલ્મમાં તેની સાથે કૃતિ સેનન અને જેકલીન ફર્નાન્ડીઝ કામ કરી રહી છે. આ ફિલ્મ 18 માર્ચ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ઘણા સમયથી આ ફિલ્મની રીલીઝ ડેટ આગળ ધપી રહી હતી.

 

આ પણ વાંચો :  Viral video : સોશિયલ મીડિયા પર છવાયું “પુષ્પા”ના શ્રીવલ્લી ગીતનું ભોજપુરી વર્ઝન, લોકોએ કહ્યું- ખૂબ જ સુંદર

Next Article