AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બૉલિવૂડ એક્ટર અર્જુન રામપાલ પર લાગ્યો એક ગંભીર આરોપ, મામલો પહોંચ્યો બૉમ્બે હાઈકોર્ટ

બૉલિવૂડ એક્ટર અર્જુન રામપાલની મુસીબતો એક પછી એક વધતી જોવા મળી રહી છે. આ વખતે તેમના પર આરોપ છે કે તેમણે એક કરોડ રૂપિયાની લૉન ચૂકવી નથી. અને આ માટે અર્જુન વિરૂદ્ધ બૉમ્બે હાઈકોર્ટમાં કેસ પણ નોંધાઈ ગયો છે. આ લૉન અર્જુને 2018માં YT એન્ટરટેઈનમેન્ટ કંપની પાસેથી લીધી હતી. મહત્ત્વનું છે કે આ પહેલા પણ […]

બૉલિવૂડ એક્ટર અર્જુન રામપાલ પર લાગ્યો એક ગંભીર આરોપ, મામલો પહોંચ્યો બૉમ્બે હાઈકોર્ટ
| Updated on: Feb 14, 2019 | 8:03 AM
Share

બૉલિવૂડ એક્ટર અર્જુન રામપાલની મુસીબતો એક પછી એક વધતી જોવા મળી રહી છે. આ વખતે તેમના પર આરોપ છે કે તેમણે એક કરોડ રૂપિયાની લૉન ચૂકવી નથી. અને આ માટે અર્જુન વિરૂદ્ધ બૉમ્બે હાઈકોર્ટમાં કેસ પણ નોંધાઈ ગયો છે.

આ લૉન અર્જુને 2018માં YT એન્ટરટેઈનમેન્ટ કંપની પાસેથી લીધી હતી. મહત્ત્વનું છે કે આ પહેલા પણ અર્જુન પર ક્રિમિનલ કેસ નોંધાઈ ચૂક્યો છે.

જાણો સમગ્ર મામલો

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે YT એન્ટરટેઈનમેન્ટ લિમિટેડ કંપનીએ અર્જુનને 12 ટકાના વ્યાજદરના હિસાબે એક કરોડ રૂપિયાની લૉન 9 મે, 2018ના રોજ લૉન આપી હતી. સાથે જ અર્જુને આ લૉન 90 દિવસની અંદર પરત ચૂકવવાની હતી પરંતુ તે ચૂકાવી ન શક્યો. તેણે જે ચેક આપ્યો તે બાઉંસ થઈ ગયો. ત્યારબાદ કંપનીએ ડિસેમ્બર મહિનામાં અર્જુનની વિરૂદ્ધ ક્રિમિનલ કેસ પણ કર્યો. અને હવે આ વાત બૉમ્બે હાઈકોર્ટ સુધી પહોંચી ગઈ છે.

શું કહેવું છે અર્જુનનું?

આ મામલે અર્જુનનું કહેવું છે કે આ ઈશ્યૂ પતી ગયો છે અને પૈસા અપાઈ ગયા છે. પરંતુ તો પણ જો જરૂર પડી તો આ મામલાને અમે કોર્ટમાં જોઈ લઈશું.

શું કહેવું છે વકીલનું?

કોર્ટમાં કેસ ફાઈલ કરનારા વકીલ ઑરૂપ દાસગુપ્તાનું કહેવું છે કે અર્જુને 90 દિવસોમાં 12 ટકા વ્યાજ સાથે પૈસા પરત કરવાનો વાયદો કર્યો હતો. પરંતુ તેણે એમ ન કર્યું. અર્જુને એક કરોડ રૂપિયાનો પોસ્ટડેટેડ ચેક આપ્યો હતો જે 23 ઑગસ્ટે જ્યારે બેંકમાં ફાઈલ કરાયો ત્યારે બાઉન્સ થઈ ગયો. ત્યારબાદ ઑક્ટોબર મહિનામાં અર્જુન પર ક્રિમિનલ કેસ નોંધવામાં આવ્યો.

વધુમાં દાસગુપ્તાએ જણાવ્યું કે 22 નવેમ્બરે અર્જુન રામપાલે 7.5 લાખ રૂપિયા પરત કર્યા હતા પરંતુ બધા પૈસા પરત કરવામાં તે નિષ્ફળ રહ્યાં. ત્યારબાદ હવે અર્જુનની વિરૂદ્ધ વ્યાજ સહિત રૂપિયા 10,050,000 (1 કરોડ 50 લાખ) પરત ચૂકવવાનો કેસ નોંધવામાં આવ્યો છે. ત્યાં જ વકીલે કહ્યું છે કે અર્જુને માત્ર 7.5 લાખ રૂપિયા જ પરત કર્યા છે અને તેનાથી એક પણ રૂપિયો વધુ નથી આપ્યો.

[yop_poll id=1408]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના, મિત્રએ જ મિત્ર પર ચલાવી ગોળી
નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના, મિત્રએ જ મિત્ર પર ચલાવી ગોળી
સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે, વધુ પડતું ખાવાનું ટાળો
ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે, વધુ પડતું ખાવાનું ટાળો
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
g clip-path="url(#clip0_868_265)">