Uttar Pradesh News: યોગી સરકારે બદલ્યું બીજું નામ, ઝાંસી રેલવે સ્ટેશન વીરાંગના લક્ષ્મીબાઈ તરીકે ઓળખાશે

ભાજપના રાજ્યસભા સાંસદ પ્રભાત ઝા સહિત કેટલાક સ્થાનિક જનપ્રતિનિધિઓએ થોડા વર્ષો પહેલા ઝાંસીમાં યોજાયેલી રેલવે બેઠકમાં ઝાંસીને રાણી લક્ષ્મીબાઈના નામ પર રાખવાની માગણી કરી હતી.

Uttar Pradesh News: યોગી સરકારે બદલ્યું બીજું નામ, ઝાંસી રેલવે સ્ટેશન વીરાંગના લક્ષ્મીબાઈ તરીકે ઓળખાશે
Changed name of Jhansi railway station
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 7:25 AM

Uttar Pradesh News: યુપી સરકારે ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલવાના રેલવેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ અંગે કોઈ વાંધો આપ્યો ન હતો. હવે આગામી દિવસોમાં ઝાંસી સ્ટેશન વીરાંગના લક્ષ્મીબાઈ રેલ્વે સ્ટેશન (Veerangna lakshmibai Railway Station)તરીકે ઓળખાશે. ભાજપના રાજ્યસભા સાંસદ પ્રભાત ઝા સહિત કેટલાક સ્થાનિક જનપ્રતિનિધિઓએ થોડા વર્ષો પહેલા ઝાંસીમાં યોજાયેલી રેલવે બેઠકમાં ઝાંસીને રાણી લક્ષ્મીબાઈના નામ પર રાખવાની માગણી કરી હતી. 

આના પર, રેલવેએ ગૃહ મંત્રાલયની સંમતિ અને મંજૂરીથી પ્રક્રિયા શરૂ કરી હતી અને હવે યુપી સરકાર પાસેથી પણ મંજૂરી મળી ગઈ છે. ઝાંસીના સાંસદ અનુરાગ શર્માએ કહ્યું કે બુંદેલખંડના લોકો માટે આ ગર્વની વાત છે. ઝાંસી રેલ્વેના એક અધિકારીએ કહ્યું કે રેલ્વે મંત્રાલયના આદેશ બાદ નવી દિલ્હીમાં રેલ્વે સ્ટેશનનું નામ બદલવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

સ્ટેશન કોડ તે મુજબ બદલાશે. અગાઉ મુગલસરાય રેલ્વે સ્ટેશનનું નામ બદલીને પંડિત દીન દયાલ ઉપાધ્યાય રેલ્વે સ્ટેશન કરવામાં આવ્યું હતું. ભાજપની આગેવાની હેઠળની રાજ્ય સરકાર દ્વારા ઘણા શહેરોના નામ પણ બદલવામાં આવ્યા હતા. 

ઝાંસીને પહેલી ઇલેક્ટ્રિક બસ મળી

ઝાંસીને મંગળવારે બેટરીથી ચાલતી બસનો પહેલો સેટ મળ્યો. આગામી દિવસોમાં વધુ વીસ બસો આવવાની છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ આ બસો ઉપલબ્ધ કરાવવાની પહેલ કરવામાં આવી હતી. ઝાંસીના સાંસદ અનુરાગ શર્માએ મેયર રામ તીરથ સિંઘલ અને ધારાસભ્ય રવિ શર્માની હાજરીમાં કોચાભાવર વિસ્તારમાં ઈલેક્ટ્રોનિક રિચાર્જિંગ પોઈન્ટથી બસોને લીલી ઝંડી બતાવી હતી. 

બબીના, મૌરાનીપુર, રેલ્વે સ્ટેશન વગેરે સહિત જિલ્લાના શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં બસો દોડાવવામાં આવશે. પ્રથમ વખત, શહેરના રહેવાસીઓ સિટી બસની સવારીનો આનંદ માણશે જે તેમના રોજિંદા મુસાફરીને સરળ બનાવશે. ઝાંસીના સાંસદ અનુરાગ શર્માએ જણાવ્યું હતું કે, “શરૂઆતમાં શહેર માટે પંદર બસો મંજૂર કરવામાં આવી હતી, જેમાંથી પાંચ મંગળવારે શરૂ કરવામાં આવી હતી અને બાકીની ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.”

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">