AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttar Pradesh News: યોગી સરકારે બદલ્યું બીજું નામ, ઝાંસી રેલવે સ્ટેશન વીરાંગના લક્ષ્મીબાઈ તરીકે ઓળખાશે

ભાજપના રાજ્યસભા સાંસદ પ્રભાત ઝા સહિત કેટલાક સ્થાનિક જનપ્રતિનિધિઓએ થોડા વર્ષો પહેલા ઝાંસીમાં યોજાયેલી રેલવે બેઠકમાં ઝાંસીને રાણી લક્ષ્મીબાઈના નામ પર રાખવાની માગણી કરી હતી.

Uttar Pradesh News: યોગી સરકારે બદલ્યું બીજું નામ, ઝાંસી રેલવે સ્ટેશન વીરાંગના લક્ષ્મીબાઈ તરીકે ઓળખાશે
Changed name of Jhansi railway station
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 7:25 AM
Share

Uttar Pradesh News: યુપી સરકારે ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલવાના રેલવેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ અંગે કોઈ વાંધો આપ્યો ન હતો. હવે આગામી દિવસોમાં ઝાંસી સ્ટેશન વીરાંગના લક્ષ્મીબાઈ રેલ્વે સ્ટેશન (Veerangna lakshmibai Railway Station)તરીકે ઓળખાશે. ભાજપના રાજ્યસભા સાંસદ પ્રભાત ઝા સહિત કેટલાક સ્થાનિક જનપ્રતિનિધિઓએ થોડા વર્ષો પહેલા ઝાંસીમાં યોજાયેલી રેલવે બેઠકમાં ઝાંસીને રાણી લક્ષ્મીબાઈના નામ પર રાખવાની માગણી કરી હતી. 

આના પર, રેલવેએ ગૃહ મંત્રાલયની સંમતિ અને મંજૂરીથી પ્રક્રિયા શરૂ કરી હતી અને હવે યુપી સરકાર પાસેથી પણ મંજૂરી મળી ગઈ છે. ઝાંસીના સાંસદ અનુરાગ શર્માએ કહ્યું કે બુંદેલખંડના લોકો માટે આ ગર્વની વાત છે. ઝાંસી રેલ્વેના એક અધિકારીએ કહ્યું કે રેલ્વે મંત્રાલયના આદેશ બાદ નવી દિલ્હીમાં રેલ્વે સ્ટેશનનું નામ બદલવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

સ્ટેશન કોડ તે મુજબ બદલાશે. અગાઉ મુગલસરાય રેલ્વે સ્ટેશનનું નામ બદલીને પંડિત દીન દયાલ ઉપાધ્યાય રેલ્વે સ્ટેશન કરવામાં આવ્યું હતું. ભાજપની આગેવાની હેઠળની રાજ્ય સરકાર દ્વારા ઘણા શહેરોના નામ પણ બદલવામાં આવ્યા હતા. 

ઝાંસીને પહેલી ઇલેક્ટ્રિક બસ મળી

ઝાંસીને મંગળવારે બેટરીથી ચાલતી બસનો પહેલો સેટ મળ્યો. આગામી દિવસોમાં વધુ વીસ બસો આવવાની છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ આ બસો ઉપલબ્ધ કરાવવાની પહેલ કરવામાં આવી હતી. ઝાંસીના સાંસદ અનુરાગ શર્માએ મેયર રામ તીરથ સિંઘલ અને ધારાસભ્ય રવિ શર્માની હાજરીમાં કોચાભાવર વિસ્તારમાં ઈલેક્ટ્રોનિક રિચાર્જિંગ પોઈન્ટથી બસોને લીલી ઝંડી બતાવી હતી. 

બબીના, મૌરાનીપુર, રેલ્વે સ્ટેશન વગેરે સહિત જિલ્લાના શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં બસો દોડાવવામાં આવશે. પ્રથમ વખત, શહેરના રહેવાસીઓ સિટી બસની સવારીનો આનંદ માણશે જે તેમના રોજિંદા મુસાફરીને સરળ બનાવશે. ઝાંસીના સાંસદ અનુરાગ શર્માએ જણાવ્યું હતું કે, “શરૂઆતમાં શહેર માટે પંદર બસો મંજૂર કરવામાં આવી હતી, જેમાંથી પાંચ મંગળવારે શરૂ કરવામાં આવી હતી અને બાકીની ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.”

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">