AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttar Pradesh Election: યુપીમાં ચૂંટણીનો ધમધમાટ, આજે પ્રયાગરાજમાં અમિત શાહ, અખિલેશ, ઓવૈસી સહિત અનેક દિગ્ગજો કરશે જનસભા

ઉત્તર પ્રદેશમાં સાત તબક્કાની વિધાનસભા ચૂંટણી 10 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે. ચૂંટણીના ત્રણ તબક્કા પૂર્ણ થયા છે. યુપીમાં ચોથા તબક્કાનું મતદાન 23 ફેબ્રુઆરીએ યોજાશે. ઉત્તર પ્રદેશમાં 403 વિધાનસભા મતવિસ્તારો માટે સાત તબક્કામાં મતદાન 10 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગયું છે.

Uttar Pradesh Election: યુપીમાં ચૂંટણીનો ધમધમાટ, આજે પ્રયાગરાજમાં અમિત શાહ, અખિલેશ, ઓવૈસી સહિત અનેક દિગ્ગજો કરશે જનસભા
Election boom in UP
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 8:03 AM
Share

Uttar Pradesh Election: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી(Uttar Pradesh Assembly Elections)નો ઘોંઘાટ આજથી તેજ થઈ ગયો છે. યુપીમાં ચોથા તબક્કાની ચૂંટણી માટે ચૂંટણીનો રંગ ચઢવા લાગ્યો છે. 23 ફેબ્રુઆરીએ યોજાનારી ચોથા તબક્કાની ચૂંટણી માટે ભાજપ(BJP), સમાજવાદી પાર્ટી(Samajvadi Party), કોંગ્રેસ (Congress) અને બસપા(BSP) સહિતના પક્ષોના દિગ્ગજ નેતાઓએ ચૂંટણી પ્રચારમાં સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે.બુધવાર, 23 ફેબ્રુઆરીએ યોજાનારી યુપી વિધાનસભાની ચૂંટણીના ચોથા તબક્કા માટે આજે પ્રયાગરાજમાં ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહ પ્રધાન અમિત શાહ(Home Minister Amit Shah) સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી સહિત ઘણા દિગ્ગજો જાહેર સભાઓ કરશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મંગળવારે બીજેપીના સ્ટાર પ્રચારક ગૃહ મંત્રી અમિત શાહ શહેર પશ્ચિમ વિધાનસભામાં પાર્ટીના ઉમેદવારની તરફેણમાં બેઠક કરશે. આ ઉપરાંત અમિત શાહ શહેરના ઉત્તર અને દક્ષિણમાં રોડ શો પણ કરશે. બીજી તરફ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ પણ મંગળવારે જિલ્લામાં પાર્ટીનો પ્રચાર કરશે. અખિલેશ યાદવ કરચનાના ગડવા ખુર્દમાં સભાને સંબોધિત કરશે. આ સિવાય AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી પણ જિલ્લામાં સભા કરશે.

બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના ઉમેદવારો માટે મત માંગશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમના સ્થળમાં પણ છેલ્લી ઘડીના ફેરફાર કરવામાં આવ્યા છે. હવે તે સોરાઉનના બદલે બેલા કચરમાં રેલીને સંબોધશે.અગાઉ, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા હેઠળ, રાજ્યના 16 જિલ્લાઓની 59 વિધાનસભા બેઠકો માટે મતદાન પૂર્ણ થયું છે. ત્રીજા તબક્કામાં રાજ્યના 16 જિલ્લાની કુલ 59 વિધાનસભા બેઠકો પર 627 ઉમેદવારો મેદાનમાં હતા.

ત્રીજા તબક્કામાં હાથરસ, ફિરોઝાબાદ, એટાહ, કાસગંજ, મૈનપુરી, ફર્રુખાબાદ, કન્નૌજ, ઈટાવા, ઔરૈયા, કાનપુર દેહત , કાનપુર નગર, જાલૌન ત્રીજા તબક્કામાં ઝાંસી, લલિતપુર, હમીરપુર અને મહોબા જિલ્લાની 59 વિધાનસભા મતવિસ્તારોમાં કુલ 627 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થયું હતું.ત્રીજા તબક્કામાં બે કરોડ 16 લાખ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.10 ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કામાં 58 બેઠકો અને 14 ફેબ્રુઆરીએ બીજા તબક્કામાં 55 બેઠકો અને ત્રીજા તબક્કામાં 59 વિધાનસભા બેઠકો માટે મતદાન પૂર્ણ થયું છે.

ઉત્તર પ્રદેશમાં સાત તબક્કાની વિધાનસભા ચૂંટણી 10 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે. ચૂંટણીના ત્રણ તબક્કા પૂર્ણ થયા છે. યુપીમાં ચોથા તબક્કાનું મતદાન 23 ફેબ્રુઆરીએ યોજાશે. ઉત્તર પ્રદેશમાં 403 વિધાનસભા મતવિસ્તારો માટે સાત તબક્કામાં મતદાન 10 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગયું છે. ત્રણ તબક્કાની ચૂંટણી 10, 14 અને 20 ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ ગઈ છે. હવે યુપીમાં સાત તબક્કામાં 23, 27 ફેબ્રુઆરી અને 3 અને 7 માર્ચે મતદાન થશે અને મત ગણતરી 10 માર્ચે થશે.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">