UP Assembly Election: સમાજવાદી રથ પર સવાર થઈને નોમિનેશન કરવા નીકળ્યા અખિલેશ યાદવ, કહ્યું આ ચૂંટણી લખશે આગામી સદીનો ઈતિહાસ

2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની લહેર હોવા છતાં, SP ઉમેદવાર સોબરન યાદવે એક લાખથી વધુ મત મેળવ્યા અને તેમના નજીકના હરીફ પ્રેમ શાક્યને 38,000થી વધુ મતોથી હરાવ્યા. લગભગ 20 વર્ષ પહેલા 2002માં છેલ્લી વખત આ સીટ પરથી ભાજપે જીત મેળવી હતી.

UP Assembly Election: સમાજવાદી રથ પર સવાર થઈને નોમિનેશન કરવા નીકળ્યા અખિલેશ યાદવ, કહ્યું આ ચૂંટણી લખશે આગામી સદીનો ઈતિહાસ
Akhilesh Yadav came out to do nomination
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2022 | 12:00 PM

UP Assembly Election: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે, સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કરહાલ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવવાની તૈયારી કરી લીધી છે. તેમણે સમાજવાદી રથનો ફોટો ટ્વીટ કરીને લખ્યું કે આ નામાંકન એક ‘મિશન’ છે કારણ કે યુપીની આ ચૂંટણી રાજ્યનો ઈતિહાસ અને દેશની આગામી સદી લખશે!

આવો પ્રગતિશીલ વિચાર સાથે સકારાત્મક રાજનીતિની આ ચળવળમાં સહભાગી બનીએ. નકારાત્મક રાજકારણને હરાવો, તેને પણ દૂર કરો! જય હિન્દ! મળતી માહિતી મુજબ, પ્રોફેસર રામ ગોપાલ યાદવ મૈનપુરી પહોંચી ગયા છે અને શિવપાલ યાદવ પણ નોમિનેશનની તૈયારી માટે સૈફઈથી નીકળી ગયા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

અખિલેશ યાદવ મૈનપુરીની કરહાલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. અખિલેશ યાદવ પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડવા જઈ રહ્યા છે. અખિલેશ હાલમાં આઝમગઢના સાંસદ છે. કરહાલ વિધાનસભા બેઠક પર સાત વખત સમાજવાદી પાર્ટીનો કબજો રહ્યો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની લહેર હોવા છતાં, SP ઉમેદવાર સોબરન યાદવે એક લાખથી વધુ મત મેળવ્યા અને તેમના નજીકના હરીફ પ્રેમ શાક્યને 38,000થી વધુ મતોથી હરાવ્યા. લગભગ 20 વર્ષ પહેલા 2002માં છેલ્લી વખત આ સીટ પરથી ભાજપે જીત મેળવી હતી તે સમયે સોબરન યાદવ ભાજપના ઉમેદવાર હતા.

અખિલેશ યાદવના પિતા સપાના સ્થાપક મુલાયમ સિંહ યાદવ હાલમાં મૈનપુરીથી સાંસદ છે. તેઓ અહીંથી પાંચમી વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. છેલ્લા નવ વખતથી મૈનપુરી સીટ પરથી સપાના જ સાંસદ ચૂંટાયા છે. મુલાયમને કરહાલ સાથે ગાઢ સંબંધ છે. તેમણે અહીંની જૈન ઈન્ટર કોલેજમાંથી શિક્ષણ મેળવ્યું હતું અને તેઓ અહીં શિક્ષક પણ હતા. કરહાલ સીટ પર યાદવ મતદારોનું વર્ચસ્વ છે. અહીં આ સમુદાયની વસ્તી 28 ટકા છે.
આ ઉપરાંત આ વિસ્તારમાં અનુસૂચિત જાતિનો હિસ્સો 16 ટકા, ઠાકુરોનો 13 ટકા, બ્રાહ્મણોનો 12 ટકા અને મુસ્લિમ મતદારોનો 5 ટકા છે.કરહાલ સીટ પરથી અખિલેશની ચૂંટણી લડવાની જાહેરાત પર ભાજપે કહ્યું કે જો સપા અધ્યક્ષ કરહાલને પોતાના માટે સુરક્ષિત સીટ માને છે તો આવનારી વિધાનસભા ચૂંટણીમાં આ ગેરસમજ દૂર થઈ જશે.

Latest News Updates

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">