UP Election 2022: સ્વામી પ્રસાદ મૌર્યના ઝટકા બાદ શરદ પવારે આપ્યું મોટું નિવેદન, કહ્યું- 13 ધારાસભ્યો SP માં જોડાશે

ઉત્તર પ્રદેશના મોટા નેતા અને રાજ્ય સરકારમાં મંત્રી રહેલા સ્વામી પ્રસાદ મૌર્ય (Swami Prasad Maury) મંગળવારે ભાજપ છોડીને સમાજવાદી પાર્ટીમાં (Samajwadi Party) જોડાયા હતા.

UP Election 2022: સ્વામી પ્રસાદ મૌર્યના ઝટકા બાદ શરદ પવારે આપ્યું મોટું નિવેદન, કહ્યું- 13 ધારાસભ્યો SP માં જોડાશે
Sharad Pawar - Nationalist Congress Party
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 6:45 PM

ચૂંટણીની તારીખોની જાહેરાત થતા જ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh Assembly Election) રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રાજ્યના મોટા નેતા અને રાજ્ય સરકારમાં મંત્રી રહેલા સ્વામી પ્રસાદ મૌર્ય (Swami Prasad Maury) મંગળવારે ભાજપ છોડીને સમાજવાદી પાર્ટીમાં (Samajwadi Party) જોડાયા હતા. તેમની સાથે બીજેપીના વધુ ત્રણ ધારાસભ્યોએ ભારતીય જનતા પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.

13 ધારાસભ્યો સમાજવાદી પાર્ટીમાં જોડાશે

માનવામાં આવે છે કે આ ત્રણેય પણ સમાજવાદી પાર્ટીમાં જોડાશે. મૌર્યનું કહેવું છે કે એક ડઝન ધારાસભ્યો તેમના સંપર્કમાં છે અને તેઓ પણ ભાજપ છોડી શકે છે. મૌર્યના નિવેદનના થોડા સમય પછી, જ્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારને (Sharad Pawar) આ વિષય પર પ્રશ્ન કરવામાં આવ્યો, ત્યારે તેમણે તે જ મુદ્દાને પુનરાવર્તિત કર્યો. પવારે પત્રકાર પરિષદમાં કહ્યું કે 13 ધારાસભ્યો સમાજવાદી પાર્ટીમાં જોડાશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

તેમનું કહેવું છે કે આ વખતે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. આ દરમિયાન સ્વામી પ્રસાદ મૌર્યના રાજીનામા સાથે જોડાયેલા સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે 13 ધારાસભ્યો સમાજવાદી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. એનસીપીના વડા શરદ પવાર પહેલા, મૌર્યએ પણ આવો જ દાવો કર્યો હતો અને કહ્યું હતું કે એક ડઝનથી વધુ ધારાસભ્યો ભાજપ છોડી શકે છે.

ભાજપના કોર ગ્રુપની બેઠકમાં પણ ચર્ચા થઈ હતી

મળતી માહિતી મુજબ દિલ્હીમાં બીજેપી કોર ગ્રુપની બેઠકમાં સ્વામી પ્રસાદ મૌર્યના રાજીનામાના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે આ મુદ્દે વાતચીત કરવાની જવાબદારી નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યને સોંપી હતી. સાથે જ કેશવ પ્રસાદ મૌર્યએ પણ સ્વામી પ્રસાદ મૌર્ય સાથે વાતચીત શરૂ કરી છે.

ઉતાવળમાં લીધેલા નિર્ણયો ખોટા સાબિત થાય છે: કેશવ પ્રસાદ મૌર્ય

સ્વામી પ્રસાદ મૌર્ય બીજેપી છોડીને સમાજવાદી પાર્ટીમાં જોડાયા બાદ કેશવ પ્રસાદ મૌર્યએ ટ્વીટ કરીને કહ્યું હતું કે મને ખબર નથી કે આદરણીય સ્વામી પ્રસાદ મૌર્યજીએ કયા કારણોસર રાજીનામું આપ્યું છે. ટ્વીટમાં કેશવ પ્રસાદ મૌર્યએ આગળ અપીલ કરતા કહ્યું કે, “તેમને (સ્વામી પ્રસાદ મૌર્ય) અપીલ છે કે બેસીને વાત કરો, ઉતાવળમાં લીધેલા નિર્ણયો ઘણીવાર ખોટા સાબિત થાય છે.”

આ પણ વાંચો : Punjab Election: નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું- કોંગ્રેસ હાઈકમાન્ડ નહીં, પરંતુ પંજાબના લોકો પસંદ કરશે મુખ્યમંત્રી

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 જાન્યુઆરીએ તામિલનાડુમાં 11 નવી સરકારી મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન કરશે, વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થશે સામેલ

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">