Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab Assembly Election 2022 : શું માતા રાની અપાવશે જીત? સિદ્ધુ વૈષ્ણો દેવી તો સીએમ ચન્ની બગલામુખી માતાના શરણમાં

બંને નેતાઓ ભલે કહેતા હોય કે જે પક્ષ હાઈકમાન્ડ નક્કી કરશે તે સાચો છે. પરંતુ સત્ય એ છે કે બંને નેતાઓ સીએમ પદ માટે પોતાની દાવેદારી ઈચ્છે છે. આ જ કારણ છે કે સિદ્ધુ અને ચન્ની બંનેએ પોતાની સમસ્યાઓ હળવી કરવા માટે ભગવાનનો દરવાજો ખખડાવ્યો છે.

Punjab Assembly Election 2022 : શું માતા રાની અપાવશે જીત? સિદ્ધુ વૈષ્ણો દેવી તો સીએમ ચન્ની બગલામુખી માતાના શરણમાં
Charanjit Singh Channi- Navjot Singh Sidhu ( File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2022 | 9:55 AM

પંજાબ વિધાનસભા ચૂંટણી 2022માં (Punjab Assembly Election 2022) કોંગ્રેસ (Congress) પાર્ટી તરફથી સીએમ ચહેરા અંગે સસ્પેન્સ હજુ પણ અકબંધ છે. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટી હાઈકમાન્ડ 6 ફેબ્રુઆરીએ રાજ્યમાં કોંગ્રેસમાંથી મુખ્યમંત્રી કોણ હશે તેની જાહેરાત કરી શકે છે. પંજાબમાં કોંગ્રેસના મુખ્યપ્રધાન પદના બે પ્રબળ દાવેદાર નવજોત સિંહ સિદ્ધુ અને વર્તમાન સીએમ ચરણજીત સિંહ ચન્ની છે. બંને નેતાઓ ભલે કહેતા હોય કે જે પક્ષ હાઈકમાન્ડ નક્કી કરશે તે સાચો છે, પરંતુ સત્ય એ છે કે બંને નેતાઓ સીએમ પદ માટે પોતાની દાવેદારી ઈચ્છે છે. આ જ કારણ છે કે સિદ્ધુ અને ચન્ની બંનેએ પોતાની સમસ્યાઓ હળવી કરવા માટે ભગવાનનો દરવાજો ખખડાવ્યો છે.

સીએમ ચહેરાની જાહેરાત પહેલા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સિદ્ધુ (Navjot Singh Sidhu) બુધવારે જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં માતા વૈષ્ણો દેવી મંદિરની મુલાકાત લેવા પહોંચ્યા હતા. તો બરાબર એક દિવસ પછી એટલે કે ગુરુવારે ચરણજીત સિંહ ચન્ની હિમાચલ પ્રદેશના સિદ્ધપીઠ બગલામુખી મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણે મોડી રાત્રે મહાયજ્ઞ કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે સીએમએ હવન કર્યો હતો જે મધ્યરાત્રિની આસપાસ શરૂ થયો હતો અને 1:30 વાગ્યે સમાપ્ત થયો હતો. એક પૂજારીએ કહ્યું, “મુખ્યમંત્રી બન્યા બાદ ચન્નીનો આ ત્રીજો પ્રવાસ છે. તેઓ છેલ્લા 18-20 વર્ષથી બગલામુખી મંદિરની મુલાકાતે આવે છે. ગુપ્ત નવરાત્રિ ચાલી રહી છે અને આ પ્રસંગે તેઓ તેમના પરિવાર સાથે અહીં પૂજા કરવા આવ્યા હતા.

સિદ્ધુ માતા વૈષ્ણોદેવી પહોંચ્યા

પૂજારીએ જણાવ્યું હતું કે, “તેમણે પંજાબની શાંતિ, સમૃદ્ધિ અને સારા માટે પ્રાર્થના કરી હતી. તે પંજાબ માટે પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે ભગવાનને પ્રાર્થના પણ કરી હતી. ત્યારે ક્રિકેટમાંથી રાજકારણમાં આવેલા સિદ્ધુ બુધવારે બપોરે બેઝ કેમ્પ કટરા પહોંચ્યા હતા. અહીંથી તેઓ માતા વૈષ્ણોદેવીની પૂજા કરવા સીધાગર્ભ ગૃહમાં ગયા હતા. સિદ્ધુએ ટ્વિટર પર લખ્યું, ‘માતા વૈષ્ણોદેવીના માર્ગ પર… માતાની દૈવી કૃપાએ હંમેશા ધર્મના માર્ગ પર મારી રક્ષા કરી છે. તેમના કમળના ચરણોમાં તેમના આશીર્વાદ માટે, દુષ્ટતા દા વિનાશ, પંજાબ દા કલ્યાણ કર… સચ ધરમ કી સ્થાપના કર.”

આકડાના પાન તમારી આટલી સમસ્યાઓ કરે છે દૂર, જાણી ને ચોંકી જશો
Indian Country Liquor : ભારતમાં બનતા દેશી દારૂ, જાણી લો નામ
"ટમ્પનું ટેરિફ લગાવશે મંદીનું ગ્રહણ…", અમેરિકન બેંકે આપી ચેતવણી
Solar AC: ઉનાળામાં સવારથી સાંજ સુધી ચાલશે સોલાર AC, નહીં આવે વીજળીનું બિલ વધારે
શા માટે વારંવાર નિષ્ફળ જાય છે IVF?
IPL ટીમનો કોચ દારૂ વેચી કરે છે કરોડોની કમાણી

6 ફેબ્રુઆરીએ કોંગ્રેસ તરફથી સીએમ ચહેરાની જાહેરાત કરવામાં આવશે

પંજાબમાં 20 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પરંતુ હજુ સુધી કોંગ્રેસે મુખ્યમંત્રીના ચહેરા અંગે કોઈ ખુલાસો કર્યો નથી. જો કે, કોંગ્રેસના મીડિયા પ્રભારી રણદીપ સુરજેવાલાએ TV9 ને જણાવ્યું હતું કે CM ચહેરાની જાહેરાત કરવા માટે 6 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ અંગે રાજ્યભરમાં એલઈડી લગાવવામાં આવી છે. આ સ્થળ લુધિયાણા હોવાની શક્યતા છે, પરંતુ ફાઇનલ જવાબ આપવામાં આવ્યો નથી. તે જ સમયે, જો સૂત્રોનું માનીએ તો, વર્તમાન મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પંજાબમાં કોંગ્રેસનો સીએમ ચહેરો હશે.

આ પણ વાંચો : ICMRનો દાવો : રસી જ એકમાત્ર રક્ષણ , સંપૂર્ણ રસીકરણથી કોરોના દર્દીઓના મૃત્યુની શક્યતા ઓછી

આ પણ વાંચો : Share Market : શેરબજારમાં પ્રારંભિક કારોબારમાં ઉતાર – ચઢાવની સ્થિતિ, Sensex 58,475 સુધી સરક્યો

MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
g clip-path="url(#clip0_868_265)">