Punjab Assembly Election 2022 : શું માતા રાની અપાવશે જીત? સિદ્ધુ વૈષ્ણો દેવી તો સીએમ ચન્ની બગલામુખી માતાના શરણમાં

બંને નેતાઓ ભલે કહેતા હોય કે જે પક્ષ હાઈકમાન્ડ નક્કી કરશે તે સાચો છે. પરંતુ સત્ય એ છે કે બંને નેતાઓ સીએમ પદ માટે પોતાની દાવેદારી ઈચ્છે છે. આ જ કારણ છે કે સિદ્ધુ અને ચન્ની બંનેએ પોતાની સમસ્યાઓ હળવી કરવા માટે ભગવાનનો દરવાજો ખખડાવ્યો છે.

Punjab Assembly Election 2022 : શું માતા રાની અપાવશે જીત? સિદ્ધુ વૈષ્ણો દેવી તો સીએમ ચન્ની બગલામુખી માતાના શરણમાં
Charanjit Singh Channi- Navjot Singh Sidhu ( File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2022 | 9:55 AM

પંજાબ વિધાનસભા ચૂંટણી 2022માં (Punjab Assembly Election 2022) કોંગ્રેસ (Congress) પાર્ટી તરફથી સીએમ ચહેરા અંગે સસ્પેન્સ હજુ પણ અકબંધ છે. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટી હાઈકમાન્ડ 6 ફેબ્રુઆરીએ રાજ્યમાં કોંગ્રેસમાંથી મુખ્યમંત્રી કોણ હશે તેની જાહેરાત કરી શકે છે. પંજાબમાં કોંગ્રેસના મુખ્યપ્રધાન પદના બે પ્રબળ દાવેદાર નવજોત સિંહ સિદ્ધુ અને વર્તમાન સીએમ ચરણજીત સિંહ ચન્ની છે. બંને નેતાઓ ભલે કહેતા હોય કે જે પક્ષ હાઈકમાન્ડ નક્કી કરશે તે સાચો છે, પરંતુ સત્ય એ છે કે બંને નેતાઓ સીએમ પદ માટે પોતાની દાવેદારી ઈચ્છે છે. આ જ કારણ છે કે સિદ્ધુ અને ચન્ની બંનેએ પોતાની સમસ્યાઓ હળવી કરવા માટે ભગવાનનો દરવાજો ખખડાવ્યો છે.

સીએમ ચહેરાની જાહેરાત પહેલા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સિદ્ધુ (Navjot Singh Sidhu) બુધવારે જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં માતા વૈષ્ણો દેવી મંદિરની મુલાકાત લેવા પહોંચ્યા હતા. તો બરાબર એક દિવસ પછી એટલે કે ગુરુવારે ચરણજીત સિંહ ચન્ની હિમાચલ પ્રદેશના સિદ્ધપીઠ બગલામુખી મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણે મોડી રાત્રે મહાયજ્ઞ કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે સીએમએ હવન કર્યો હતો જે મધ્યરાત્રિની આસપાસ શરૂ થયો હતો અને 1:30 વાગ્યે સમાપ્ત થયો હતો. એક પૂજારીએ કહ્યું, “મુખ્યમંત્રી બન્યા બાદ ચન્નીનો આ ત્રીજો પ્રવાસ છે. તેઓ છેલ્લા 18-20 વર્ષથી બગલામુખી મંદિરની મુલાકાતે આવે છે. ગુપ્ત નવરાત્રિ ચાલી રહી છે અને આ પ્રસંગે તેઓ તેમના પરિવાર સાથે અહીં પૂજા કરવા આવ્યા હતા.

સિદ્ધુ માતા વૈષ્ણોદેવી પહોંચ્યા

પૂજારીએ જણાવ્યું હતું કે, “તેમણે પંજાબની શાંતિ, સમૃદ્ધિ અને સારા માટે પ્રાર્થના કરી હતી. તે પંજાબ માટે પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે ભગવાનને પ્રાર્થના પણ કરી હતી. ત્યારે ક્રિકેટમાંથી રાજકારણમાં આવેલા સિદ્ધુ બુધવારે બપોરે બેઝ કેમ્પ કટરા પહોંચ્યા હતા. અહીંથી તેઓ માતા વૈષ્ણોદેવીની પૂજા કરવા સીધાગર્ભ ગૃહમાં ગયા હતા. સિદ્ધુએ ટ્વિટર પર લખ્યું, ‘માતા વૈષ્ણોદેવીના માર્ગ પર… માતાની દૈવી કૃપાએ હંમેશા ધર્મના માર્ગ પર મારી રક્ષા કરી છે. તેમના કમળના ચરણોમાં તેમના આશીર્વાદ માટે, દુષ્ટતા દા વિનાશ, પંજાબ દા કલ્યાણ કર… સચ ધરમ કી સ્થાપના કર.”

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

6 ફેબ્રુઆરીએ કોંગ્રેસ તરફથી સીએમ ચહેરાની જાહેરાત કરવામાં આવશે

પંજાબમાં 20 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પરંતુ હજુ સુધી કોંગ્રેસે મુખ્યમંત્રીના ચહેરા અંગે કોઈ ખુલાસો કર્યો નથી. જો કે, કોંગ્રેસના મીડિયા પ્રભારી રણદીપ સુરજેવાલાએ TV9 ને જણાવ્યું હતું કે CM ચહેરાની જાહેરાત કરવા માટે 6 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ અંગે રાજ્યભરમાં એલઈડી લગાવવામાં આવી છે. આ સ્થળ લુધિયાણા હોવાની શક્યતા છે, પરંતુ ફાઇનલ જવાબ આપવામાં આવ્યો નથી. તે જ સમયે, જો સૂત્રોનું માનીએ તો, વર્તમાન મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પંજાબમાં કોંગ્રેસનો સીએમ ચહેરો હશે.

આ પણ વાંચો : ICMRનો દાવો : રસી જ એકમાત્ર રક્ષણ , સંપૂર્ણ રસીકરણથી કોરોના દર્દીઓના મૃત્યુની શક્યતા ઓછી

આ પણ વાંચો : Share Market : શેરબજારમાં પ્રારંભિક કારોબારમાં ઉતાર – ચઢાવની સ્થિતિ, Sensex 58,475 સુધી સરક્યો

Latest News Updates

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
g clip-path="url(#clip0_868_265)">