હિમાચલમાં કોંગ્રેસને મોટો ફટકો, ચૂંટણી પહેલા 26 નેતાઓ ભાજપમાં જોડાયા
મુખ્યમંત્રી જયરામ ઠાકુર (Jairam Thakur) અને ભાજપના ચૂંટણી પ્રભારી સુધન સિંહે કોંગ્રેસ છોડનારા તમામ નેતાઓને પાર્ટીની સદસ્યતા આપી. તેમજ આગામી ચૂંટણીમાં ભાજપની જીત માટે ખંતપૂર્વક કામ કરવા જણાવ્યું હતું.

હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ મહાસચિવ ધરમપાલ ઠાકુર સહિત 26 નેતાઓએ કોંગ્રેસનો ત્રિરંગો છોડીને ભાજપનો ભગવો ધારણ કર્યો છે. આ તમામ નેતાઓ સોમવારે ભાજપમાં જોડાયા હતા. મુખ્યમંત્રી જયરામ ઠાકુર અને ભાજપના ચૂંટણી પ્રભારી સુધન સિંહ દ્વારા તેમને પાર્ટીની સદસ્યતા આપવામાં આવી હતી. તેમજ આગામી ચૂંટણીમાં ભાજપની જીત માટે ખંતપૂર્વક કામ કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે શિમલાથી ભાજપના ઉમેદવાર સંજય સૂદ પણ હાજર હતા.
26 નેતાઓ ભાજપમાં જોડાયા
શિમલાથી ભાજપના ઉમેદવાર સંજય સૂદે જણાવ્યું કે આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતા ચમન લાલ, જિલ્લા કોંગ્રેસ સમિતિના સચિવ દેવેન્દ્ર સિંહ, મહેન્દ્ર સિંહ, યુવા કોંગ્રેસના પૂર્વ મહાસચિવ મુનીશ મંડલા, બાલકૃષ્ણ બોબી, સુનીલ શર્મા, સુરેન્દ્ર ઠાકુર, સંદીપ સમતા અને રવિ પણ હાજર રહ્યા હતા. ભાજપનું સભ્યપદ લીધું. તમામે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની રીતભાત અને નીતિ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભાજપની જીત માટે સૌ સાથે મળીને કામ કરશે તેવી ખાતરી આપી હતી.
“रिवाज बदल रहा है”
आज शिमला के कांग्रेस पार्टी के पूर्व पदाधिकारियों सहित कई साथियों ने कांग्रेस पार्टी छोड़ भाजपा का दामन थामा।
भाजपा परिवार में आप सभी का हार्दिक स्वागत-अभिनंदन।
आइये, भाजपा की ऐतिहासिक जीत के लिए एकजुटता के साथ कार्य करें।#रिवाजबदलेगा#हिमाचल_में_फिर_भाजपा pic.twitter.com/LMDkMMhmO6
— Jairam Thakur (@jairamthakurbjp) November 7, 2022
નડ્ડાએ ઉલટફેર થવાનો કર્યો દાવો
હાલમાં જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ હિમાચલ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની જીતનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે વિપક્ષમાં ઉલટફેર થવાનો છે. જોકે તેમણે એવું નહોતું કહ્યું કે કેટલાક નેતાઓ કોંગ્રેસથી અલગ થઈને ભાજપમાં જોડાઈ રહ્યા છે, પરંતુ તાજેતરના ઘટનાક્રમ બાદ નડ્ડાના નિવેદનના ઘણા અર્થ કાઢવામાં આવી રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મતદાન પહેલા કોંગ્રેસના વધુ નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાઈ શકે છે. તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે મતદાન છે, જ્યારે મતગણતરી 8 ડિસેમ્બરે થશે.