AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wankaner Election Result 2022 LIVE Updates : મોરબીની વાંકાનેર બેઠક ઉપર ભાજપના જીતુ સોમાણીની જીત

Wankane MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: મોરબીની વાંકાનેર બેઠક પર ભાજપના જીતુ સોમાણીની જીત થઈ છે. જીતુ સોમાણી 4 હજારથી વધુ મતની બહુમતીથી જીત મેળવી છે

Wankaner Election Result 2022 LIVE Updates : મોરબીની વાંકાનેર બેઠક ઉપર ભાજપના જીતુ સોમાણીની જીત
Wankane
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 2:55 PM
Share

ગુજરાતની વાંકાનેર બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election  મોરબીની વાંકાનેર બેઠક પર ભાજપના જીતુ સોમાણીની જીત થઈ છે. જીતુ સોમાણી 4 હજારથી વધુ મતની બહુમતીથી જીત મેળવી છે ત્યારે આ વખતની ટર્મમાં કોંગ્રેસે મહંમદ જાવેદ અબ્દુલ મુત્તાલીબને ટિકિટ આપી વાંકાનેર થી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. તેમની પાસે રૂપિયા 722833ની જંગમ મિલકત છે. તેમને Bed સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપના જીતેન્દ્ર કાંતિલાલ સોમાણીને ટિકિટ આપી. તેમની પાસે રૂપિયા 346005983ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમને diploma સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે વિક્રમ સોરાણીને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 345000 ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો ધોરણ 9 પાસ કર્યુ છે.

2017ની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો

વાંકાનેર વિધાનસભા બેઠક પર કોંગ્રેસ સતત ત્રણ ટર્મથી ભાજપને મ્હાત આપી રહ્યું છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં વાંકાનેર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર મોહમ્મદ પીરઝાદાએ ભાજપ ઉમેદવાર જીતેન્દ્ર સોમાણીને 1,361 માર્જિનથી હરાવ્યા હતા. કોંગ્રેસ ધારાસભ્ય મોહમ્મદ પીરઝાદાએ વર્ષ 2012 અને 2007ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર જીતેન્દ્ર સોમાણીને હરાવ્યા હતા. તો વર્ષ 2002ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર જ્યોત્સના સોમાણીએ કોંગ્રેસ ઉમેદવાર મોહમ્મદ પીરઝાદાને હરાવ્યા હતા અને જીત મેળવી હતી.

રાજકીય સમીકરણ

વાંકાનેરમાં 27 ટકા મુસ્લિમ મતદારો છે અને કોંગ્રેસ ધારાસભ્ય મોહમ્મદ પીરઝાદાને હિન્દુ મતદારોનું સમર્થન પણ છે. વાંકાનેર વિધાનસભા બેઠક પર છેલ્લા 15 પર વર્ષથી કોંગ્રેસનો દબદબો છે. ગુજરાતમાં મોદીના શાસનકાળ દરમિયાન વર્ષ 2007 અને 2012માં પણ કોંગ્રેસે આ સીટ જાળવી રાખી હતી. ત્યારે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપ આ બેઠક પર કોંગ્રેસને હરાવી શકે છે કે નહીં તે મહત્વપૂર્ણ રહેશે.

જ્ઞાતિ-જાતિના સમીકરણ

વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં કુલ 2,44,608 મતદારો છે, જેમાંથી 1,16,875 મહિલા ઉમેદવાર છે અને 1,27,733 પુરુષ ઉમેદવાર છે. આ બેઠક પર લઘુમતી અને કોળી સમાજનો દબદબો જોવા મળી રહ્યો છે. આ મતવિસ્તારમાં લઘુમતી સમાજના 21.63 ટકા મતદાર, તળપદા કોળી સમાજના 14.88 ટકા મતદાર, ચુંવાળીયા કોળી સમાજના 11.49 ટકા મતદાર, લેઉઆ પટેલના 10.10 ટકા મતદાર, માલધારી સમાજના 8.11 ટકા મતદારો છે.

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Follow Us
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
g clip-path="url(#clip0_868_265)">