AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022 : વડાપ્રધાન મોદી આજથી ત્રણ દિવસ વતનમાં, જામકંડોરણા, આમોદ અને જામનગરમાં જનસભા ગજવશે PM

ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુલ 14 હજાર 500 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. 

Gujarat Election 2022 : વડાપ્રધાન મોદી આજથી ત્રણ દિવસ વતનમાં, જામકંડોરણા, આમોદ અને જામનગરમાં જનસભા ગજવશે PM
PM Modi Gujarat visit
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2022 | 11:11 AM
Share

વડાપ્રધાન  મોદી (PM Modi) આજથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly election)  લઈ તેઓ 3 દિવસ સુધી મિશન ગુજરાત અંતર્ગત જંગી પ્રચાર કરશે.  ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી કુલ 14 હજાર 500 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.  તેમના કાર્યક્રમ પર નજર કરીએ તો આજે (09 ઓક્ટોબર) બપોરે અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર તેમનું આગમન થશે. અમદાવાદ એરપોર્ટથી સીધા જ તેઓ મોઢેરા હેલીપેડ જવા રવાના થશે. સાંજે 5 કલાકે બહુચરાજીના દેલવાડા ખાતે જનસભાને સંબોધશે.

સભા બાદ મોઢેરા (Modhera) સ્થિત મોઢેશ્વરી માતાના મંદિરે દર્શન કરશે. તેઓ મોઢેશ્વરી માતાજીની વિશેષ પૂજા કરી આરતીમાં ભાગ લેશે અને સાંજે 7 કલાકે મોઢેરા સૂર્ય મંદિર પહોંચશે. જ્યાં રાત્રે 9 વાગ્યા સુધી રોકાશે અને બાદમાં અમદાવાદ એરપોર્ટ થઈને ગાંધીનગર રાજભવન જશે. મહત્વનું છે કે, તેઓ રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે.

કુલ 14,500 કરોડના વિકાસ કાર્યોની આપશે ભેટ

તો  10 ઓક્ટોબરે સવારે 9થી લઈને સાંજે 5 વાગ્યા સુધી તેમના કાર્યક્રમો છે.  10 ઓક્ટોબરે સવારે 9 કલાકે સચિવાલય હેલિપેડથી તેઓ આમોદ જવા રવાના થશે. સવારે 10 કલાકે આમોદ પાસે જનસભા સંબોધશે અને ત્યાંથી આણંદ (Anand) પહોંચશે, આણંદના શાસ્ત્રી મેદાનમાં બપોરે 12 કલાકે જનસભા સંબોધશે. આણંદથી તેઓ અડાલજ પહોંચશે. જ્યાં મોદી શૈક્ષણિક સંકુલની મુલાકાત લેશે,  ત્યારબાદ અમદાવાદ એરપોર્ટથી જામનગર જવા રવાના થશે. સાંજે 5 કલાકે જામનગરમાં જનસભા સંબોધશે અને જામનગરમાં જ રાત્રિ રોકાણ કરશે.

અમદાવાદમાં જનસભાને સંબોધશે

જો PM મોદીના 11 ઓક્ટોબરના કાર્યક્રમો પર નજર કરીએ તો, સવારે 9.30 કલાકે જામકંડોરણા જવા રવાના થશે. ત્યાં સભા સંબોધશે. બપોરે રાજકોટથી (Rajkot) અમદાવાદ પહોંચશે અને બપોરે 1 કલાકે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જનસભાને સંબોધશે અને સાંજે 4 કલાકે અમદાવાદ એરપોર્ટથી મધ્યપ્રદેશ જવા રવાના થશે.

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">