AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022 : ચૂંટણીના પડઘમ વચ્ચે PM મોદી ફરી આવશે ગુજરાત, માનગઢ હિલને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરે તેવી શક્યતા

માનગઢ હિલ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશની બોર્ડર પર સ્થિત છે. અહીં 17 નવેમ્બર 1913ના રોજ 1507 જેટલા આદિવાસી સૂરમાઓએ અંગ્રેજો સામે લડતા લડતા શહીદી વહોરી હતી.

Gujarat Election 2022 : ચૂંટણીના પડઘમ વચ્ચે PM મોદી ફરી આવશે ગુજરાત, માનગઢ હિલને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરે તેવી શક્યતા
PM Modi Gujarat Visit
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2022 | 11:07 AM
Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Election) પડઘમ વચ્ચે PM મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાત લેશે. PM મોદી આ વખતે આદિવાસી સમાજની અસ્મિતા અને આસ્થા સાથે જોડાયેલા સ્થળ માનગઢની (mangadh hill)  મુલાકાત લેશે. PM મોદી આ મુલાકાત વખતે માનગઢને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરે તેવી શક્યતા છે. રાજ્યકક્ષાના પ્રધાન કુબેર ડીંડોરે PMના કાર્યક્રમને લઇને માહિતી આપી છે. મહત્વપૂર્ણ છે કે માનગઢ હીલ પર આદિવાસી સમાજ સુધારક ગોવિંદ ગુરુની (Govind guru)  ધૂણી આવેલી છે.

આદિવાસી સમાજના લોકોમાં માનગઢ હીલ એક વિશેષ સ્થાન

માનગઢ હિલ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશની બોર્ડર પર સ્થિત છે. અહીં 17 નવેમ્બર 1913ના રોજ 1507 જેટલા આદિવાસી સૂરમાઓએ અંગ્રેજો સામે લડતા લડતા શહીદી વહોરી હતી. આ હત્યાકાંડને જલિયાવાલા બાગ હત્યાકાંડ કરતા પણ મોટો માનવામાં આવે છે. આદિવાસી સમાજના લોકોમાં માનગઢ હીલ એક વિશેષ સ્થાન ધરાવે છે, ત્યારે ચૂંટણી સમયે તેનું રાજકીય મહત્વ પણ ઘણું વધી જાય છે.

 આ મહિનાના અંતમાં માદરે વતન આવશે વડાપ્રધાન

30 ઓક્ટોબરે PM મોદી વડોદરાની સંભવિત મુલાકાત લે તેવી શક્યતા છે. વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે તંત્રએ તૈયારીઓ આરંભી દીધી છે. લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે 5 હજાર ઉદ્યોગપતિઓ સાથે PM મોદીના સંવાદનું તંત્ર દ્વારા આયોજન કરાઇ રહ્યું છે. લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે વિશાળ ડોમ અને સ્ટેજ બનાવવામાં આવી રહ્યું છે. આ સાથે વીજ પુરવઠાને લઇને કોઇ સમસ્યા ન સર્જાઇ તે માટે હંગામી ઈલેક્ટ્રીક ટ્રાન્સફોર્મર સ્ટ્રક્ચર પણ ઉભું કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં માદરે વતન આવશે. કાર્યક્રમની વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદી દિવાળી પછી 31 મી ઓક્ટોબરના રોજ સવારે નર્મદાના કેવડિયા ખાતે એકતા પરેડમાં હાજરી આપશે. 31 ઓક્ટોબરને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ રુપે ઉજવવામાં આવે છે.

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">