Gujarat Election 2022 : ચૂંટણીના પડઘમ વચ્ચે PM મોદી ફરી આવશે ગુજરાત, માનગઢ હિલને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરે તેવી શક્યતા

માનગઢ હિલ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશની બોર્ડર પર સ્થિત છે. અહીં 17 નવેમ્બર 1913ના રોજ 1507 જેટલા આદિવાસી સૂરમાઓએ અંગ્રેજો સામે લડતા લડતા શહીદી વહોરી હતી.

Gujarat Election 2022 : ચૂંટણીના પડઘમ વચ્ચે PM મોદી ફરી આવશે ગુજરાત, માનગઢ હિલને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરે તેવી શક્યતા
PM Modi Gujarat Visit
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2022 | 11:07 AM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Election) પડઘમ વચ્ચે PM મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાત લેશે. PM મોદી આ વખતે આદિવાસી સમાજની અસ્મિતા અને આસ્થા સાથે જોડાયેલા સ્થળ માનગઢની (mangadh hill)  મુલાકાત લેશે. PM મોદી આ મુલાકાત વખતે માનગઢને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરે તેવી શક્યતા છે. રાજ્યકક્ષાના પ્રધાન કુબેર ડીંડોરે PMના કાર્યક્રમને લઇને માહિતી આપી છે. મહત્વપૂર્ણ છે કે માનગઢ હીલ પર આદિવાસી સમાજ સુધારક ગોવિંદ ગુરુની (Govind guru)  ધૂણી આવેલી છે.

આદિવાસી સમાજના લોકોમાં માનગઢ હીલ એક વિશેષ સ્થાન

માનગઢ હિલ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશની બોર્ડર પર સ્થિત છે. અહીં 17 નવેમ્બર 1913ના રોજ 1507 જેટલા આદિવાસી સૂરમાઓએ અંગ્રેજો સામે લડતા લડતા શહીદી વહોરી હતી. આ હત્યાકાંડને જલિયાવાલા બાગ હત્યાકાંડ કરતા પણ મોટો માનવામાં આવે છે. આદિવાસી સમાજના લોકોમાં માનગઢ હીલ એક વિશેષ સ્થાન ધરાવે છે, ત્યારે ચૂંટણી સમયે તેનું રાજકીય મહત્વ પણ ઘણું વધી જાય છે.

 આ મહિનાના અંતમાં માદરે વતન આવશે વડાપ્રધાન

30 ઓક્ટોબરે PM મોદી વડોદરાની સંભવિત મુલાકાત લે તેવી શક્યતા છે. વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે તંત્રએ તૈયારીઓ આરંભી દીધી છે. લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે 5 હજાર ઉદ્યોગપતિઓ સાથે PM મોદીના સંવાદનું તંત્ર દ્વારા આયોજન કરાઇ રહ્યું છે. લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે વિશાળ ડોમ અને સ્ટેજ બનાવવામાં આવી રહ્યું છે. આ સાથે વીજ પુરવઠાને લઇને કોઇ સમસ્યા ન સર્જાઇ તે માટે હંગામી ઈલેક્ટ્રીક ટ્રાન્સફોર્મર સ્ટ્રક્ચર પણ ઉભું કરવામાં આવ્યું છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં માદરે વતન આવશે. કાર્યક્રમની વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદી દિવાળી પછી 31 મી ઓક્ટોબરના રોજ સવારે નર્મદાના કેવડિયા ખાતે એકતા પરેડમાં હાજરી આપશે. 31 ઓક્ટોબરને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ રુપે ઉજવવામાં આવે છે.

Latest News Updates

પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">