ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે અંતિમ ચરણમાં છે. 5મી ડિસેમ્બરે બીજા અને અંતિમ તબક્કાનું મતદાન યોજાવાનું છે, ત્યારે આ પહેલા અમારા સંવાદદાતાએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં અનેક હોટ ટોપિક પર પણ તેમણે બેબાકીથી, શબ્દો ચોર્યા વિના જવાબ આપ્યા હતા અને વિપક્ષી પાર્ટીના આક્ષેપોને ફગાવ્યા હતા. વાંચો આ વાચતીતના ખાસ અંશ
ગુજરાતની ધરતીને આપણે સહુએ નમન કરવુ પડે. આપણા ગુજરાતમાં અનેક ચૂંટણીઓ આવે અને અનેક ચૂંટણીઓ પૂર્ણ થઈ. આપણે બીજા રાજ્યોની ચૂંટણી જોઈએ છીએ, પરંતુ આ રાજ્યની ધરતી, આ રાજ્યના લોકોને અહીંની કાનુની વ્યવસ્થા. આ ત્રણેયનો એ પ્રકારનો સંગમ છે કે ચૂંટણીમાં તમામ પાર્ટીના લોકો ખુલ્લેઆમ કોઈ સિક્યોરિટી વિના, કોઈ સુરક્ષા વિના ગલીએ ગલીએ જઈને પ્રચાર કરે છે. કોઈપણ પ્રકારની વાતો કરે. પરંતુ ક્યારેય અહીં કાનુન વ્યવસ્તા પર તકલીફ પડી એ પ્રકારની ઘટના સામે નથી આવી. તમામ પ્રકારની વ્યવસ્થા થઈ ચુકી છે. રાજયની શાંતિપ્રિય જનતાને પોતાની સરકાર, પોતાના ગમતા ઉમેદવારો ચૂંટાઈ શકે તે માટે એમને એમનો હક્ક, સંપૂર્ણપણે મતપેટી સુધી પહોંચી શકે તે માટેની સંપૂર્ણ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.
હર્ષ સંઘવી: દિલ્હીની અંદર મદરેસાના મૌલવીઓને પગાર આપવામાં આવે અને મંદિરના પૂજારીઓને એક રૂપિયો ન આપવામાં આવે તો આને કઈ રાજનીતિ ગણવામાં આવશે? દિલ્હીમાં આ પ્રકારની અનેક ઘટનાઓ છે. કાલે જ મે એક પત્ર જોયો, હમણા ગુજરાતમાં આટલા દિવસ સુધી અલગ અલગ ગરીબોની વાત કરી પરંતુ ચૂંટણી નજીક આવતા માત્ર એક જ સમુદાયને ક્યા પ્રકારે લાભ આપવા માટેની લાલચ આ ફ્રોડ કંપની દ્વારા આપવામાં આવી, એ આપણે સહુએ કાલે જોયુ છે. હજારો પત્રિકાઓ આ પ્રકારે અલગ અલગ વિસ્તારોમાં લોકોએ વહેંચી છે, આ પત્રિકાઓ શું ઈશારો કરે છે? અમે એવી રાજનીતિ નથી કરતા.
જેમણે ગેરકાયદે કામ કર્યા હોય એમની ઉપર બુલડોઝર ફેરવ્યુ છે. જેમણે ગેરકાયદે બાંધકામ કર્યુ હોય એમની ઉપર બુલડોઝર ફેરવ્યુ છે. કોંગ્રેસ શું કરવા માગે છે ? કોંગ્રેસ હંમેશા ચોક્કસ સમાજની વાત કરે છે. પરંતુ હું આજે કોંગ્રેસને પૂછવા માગુ છુ કે શું આ ચોક્કસ સમાજને તમે આખો દેશ આપી દીધો છે? આ રાજ્યની રાજ્ય સરકારની જે જમીનો છે ત્યાં રાજ્યના નાગરિકો માટે જે રોડ બનાવેલો છે. એ રોડ પર મનફાવે ત્યારે પોતાનુ ઘર, મનફાવે ત્યારે ધાર્મિક સ્થળ ઉભુ કરી લેવા માટે તમને છૂટ આપી દીધી છે? રાજ્યના તમામ નાગરિકોનો હક્ક છે તેના ઉપર? તમે શેના માટે દરેક વખતે ચોક્કસ સમાજ ચોક્સ સમાજની માળા લઈને બેસી જાઓ છો? ચૂંટણી આવે એટલે દરેક વખતે આ પ્રકારે લોકોને લલચાવવા. દરેક વખતે બધા જ લોકોને ભરમાવવાનું કામ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કરી રહી છે.
ના, તકલીફ એ છે કે જ્યારે બીજા બધા સમાજના લોકોને અન્યાય થાય, ત્યારે આ લોકો કંઈ બોલતા નથી. આ પ્રકારનું ગેરકાયદે ડિમોલિશન બધા જ વ્યક્તિનું થતુ હોય છે પરંતુ તકલિફ એક જ છે કે પાર્ટીક્યુલર સમાજ સિવાયના વ્યક્તિનું તૂટે તો ભલે તમે બધુ તોડી લો. એનાથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને કંઈ લેવાદેવા જ નથી.