ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Assembly Election) આડે હવે ગણતરીના દિવસો બાકી બચ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અને ગૃહ પ્રધાન અમિત શાહની (Amit Shah) ગુજરાત મુલાકાતો વધી રહી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે (Amit Shah gujarat visit) છે.તમને જણાવી દઈએ કે,અમિત શાહ બે દિવસ દરમિયાન 13 કાર્યક્રમોમાં હાજર રહેશે. અમિત શાહના હસ્તે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત યોજાશે.
વિધાનસભા ચૂંટણી પૂર્વે અમિત શાહની લોકસભા બેઠક ગાંધીનગરમાં (Gandhinagar) આવતી મોટાભાગની વિધાનસભા બેઠકોને આવરી લેતા કાર્યક્રમો માં શાહ ઉપસ્થિત રહી રહ્યા છે. આવતીકાલે પણ અમિત શાહ 7 કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.આવતીકાલે સવારમાં કલોલની KRIC કોલેજ કેમ્પસમાં 750 બેટની આધુનિક હોસ્પિટલના ખાતર્મુહતમાં તેઓ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ રુપાલ વરદાયની માતાજીના દર્શન તેમજ નવ નિર્મિત સુવર્ણ જડિત ગર્ભગૃહના દ્વાર ખુલ્લા મુકવામાં આવશે.
બપોરે એક કલાકે ગાંધીનગર મનપા દ્વારા નવનિર્મિત અંડરપાસનું લોકાર્પણ.જે બાદ બપોરે 4 કલાકે ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટીના નવા બિલ્ડીંગનું લેકાવાડા ખાતે ભૂમિ પૂજન કરશે. તો સાંજે પાંચ કલાકે પૌરાણિક મહાકાળી મંદિર અંબોડ ખાતે દર્શન તેમજ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મંદિરના વિકાસ અર્થે વિવિધ કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પણ અમિત શાહ ઉપસ્થિત રહેશે..
નવરાત્રીના દિવસોમાં અમિત શાહ અમદાવાદ ગુજરાત પ્રવાસે આવ્યા છે ત્યારે આ બે દિવસોમાં શાહ 4 મંદિરોમાં શીશ ઝુકાવશે. વિરોચનનગરમાં મેલડી માં ના દર્શન બાદ આવતીકાલે રૂપાલ માં વરદાયિની માં ના દર્શન કરશે. સાંજે આંબોડ ખાતે મહાકાળીમાં ના દર્શન બાદ અમિત શાહ બીજી નવરાત્રીએ બહુચર માતાજી ના દર્શન કરશે.
Published On - 7:14 am, Mon, 26 September 22