Gujarat Election 2022: જયેશ રાદડિયાએ AAPને આડે હાથ લેતા કહ્યું ગેરંટી આપનારા નેતાની ગેરંટી કોણ આપશે?

એક કાર્યક્રમમાં જયેશ રાદડિયાએ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે કે કેટલાક લોકો ચોપાનિયા લઇને ગ્રામ્ય વિસ્તારોમાં  મત માંગવા નીકળી પડી છે. સાથે જ તેમણે કહ્યું હતું કે ખોટા વાયદા આપનારા લોકોને સાથ આપતા પહેલા ચેતી જજો. અમે ગેંરટીવાળા નેતા છીએ.

Gujarat Election 2022: જયેશ રાદડિયાએ AAPને આડે હાથ લેતા કહ્યું ગેરંટી આપનારા નેતાની ગેરંટી કોણ આપશે?
જયેશ રાદડિયાએ આમ આદમી પાર્ટી ઉપર કર્યા પ્રહાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2022 | 9:44 AM

ગુજરાતમાં  ચૂંટણી  (Gujarat Election 2022) નજીક આવતા જ આરોપ પ્રત્યારોપની રાજનિતી જોવા મળી છે. દરેક પક્ષ એકબીજા પર આક્ષેપ લેવાની તક ચૂકતો નથી ત્યારે આમ આદમી પાર્ટીની  (AAP) વિવિધ ગેરંટીઓ અંગે  ભાજપના  (BJP) જયેશ રાદડિયાએ (Jayesh radadiya)  વીરપુર ખાતે ખેડૂતોના એક કાર્યક્રમમાં કેજરીવાલ પર નિશાન તાકતા જણાવ્યું હતું કે જે લોકો ગેંરટી આપે છે તે નેતાની ગેરંટી કોણ આપશે.  તેમણે  ઉમેર્યું  હતું કે અમે તો ગેરંટીવાળા નેતા છીએ.  જે બોલીએ છીએ તે કરીએ છીએ.  તેમણે આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે કેટલાક લોકો ચોપાનિયા લઇને ગ્રામ્ય વિસ્તારોમાં  મત માંગવા નીકળી પડયા છે. સાથે જ તેમણે કહ્યું હતું કે ખોટા વાયદા આપનારા લોકોને સાથ આપતા પહેલા ચેતી જજો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Elections 2022) લઇને આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party) પણ તડામાર તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwale) ગુજરાતના પ્રજાજનોને ચૂંટણીલક્ષી પ્રથમ ગેરંટી આપી છે. અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે જો ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સત્તા પર આવશે તો 300 યુનિટ વીજળી ગુજરાતની પ્રજાને ફ્રી આપવામાં આવશે. અરવિંદ કેજરીવાલે જણાવ્યુ કે, જો અમારી સરકાર આવશે તો ત્રણ મહિનામાં જ આ યોજના લાગુ કરી દેવામાં આવશે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

અરવિંદ કેજરીવાલે ગુજરાતની પ્રજાને ગેરંટી આપી છે કે જો ગુજરાતમાં તેમની સરકાર બનશે તો ગુજરાતમાં 300 યુનિટ વીજળી ફ્રીમાં આપીશુ. સરકાર બન્યાના ત્રણ મહિનામાં જ ગુજરાતની પ્રજાને આ લાભ આપવાની જાણકારી પણ અરવિંદ કેજરીવાલે આપી. અરવિંદ કેજરીવાલે જણાવ્યુ કે ગુજરાતમાં પણ 24 કલાક ફ્રીમાં વીજળી અપાશે.તેમણે કહ્યુ કે, 31 ડિસેમ્બર પહેલાના તમામ જુના બિલ માફ કરવામાં આવશે. લોકોને ખોટા બિલો ન આવે તેવી પણ વ્યવસ્થા કરીશુ.  આ પ્રકારના વચનો આપતા ભાજપના નેતાઓએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા.

કોંગ્રેેસે પણ કરી છે વચનોની લ્હાણી

તો બીજી તરફ  કોંગ્રેસે પણ માછીમારોને ધ્યાનમાં  રાખતા વચનોની  લ્હાણી કરી હતી અને કહ્યું હતુું કે  જો કોંગ્રેસની સરકાર બનશે તો પાકિસ્તાનની જેલમાં બંધ માછીમાર પરિવારોને 3 લાખ રૂપિયા અને જેટલા દિવસ જેલમાં રહે એટલે દિવસના રોજના 400 રૂપિયા સહાય અને બોટ માલિકોને વાર્ષિક 36 હજાર લિટર સેલ્સ ટેક્સ મુક્ત ડીઝલ  આપશે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">