AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022: કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનો પ્રહાર, કોઈ મુદ્દો નથી તો મેધા પાટકરને ગુજરાત ચૂંટણી સાથે જોડી રહી છે ભાજપ

Gujarat Election 2022: ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ મેધા પાટકર અંગે નિવેદન આપ્યુ કે ભાજપ પાસે કોઈ મુદ્દો નથી એટલે મેધા પાટકરને ગુજરાત ચૂંટણી સાથે જોડી રહી છે. મેધા પાટકરને ગુજરાત ચૂંટણી સાથે કંઈ લેવા દેવા નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2022 | 5:42 PM
Share

ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હજુ સુધી ગુજરાતમાં પ્રચાર માટે આવ્યા નથી. જેમા રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા પર છે. ત્યારે તેમની યાત્રામાં મેધા પાટકર પણ જોડાયા હતા. આ અંગે ભાજપ કોંગ્રેસને ઘેરી રહી છે. આ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યુ કે ભાજપ પાસે આ ચૂંટણીમાં કોઈ મુદ્દા નથી એટલે મેધા પાટકરને ગુજરાત ચૂંટણી સાથે જોડી રહી છે.

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: મોંઘવારી, બેરોજગારી, અર્થતંત્ર મુદ્દે જવાબ આપે ભાજપ- રઘુ શર્મા

રઘુ શર્માએ જણાવ્યુ કે હાલ ભાજપની બેચેની અને પરેશાની વધી રહી છે. તેનુ કારણ છે કે આ ચૂંટણી દરમિયાન કોંગ્રેસ કોઈ મોકો આપી નથી રહી અને ભાજપ એવા જ કોઈ મોકાની રાહમાં છે. તેના સિવાય બીજુ કશું નથી. મેધા પાટકર અંગે સવાલ કરાતા રઘુ શર્માએ જણાવ્યુ કે અમે ગુજરાતની ચૂંટણી લડી રહ્યા છીએ. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં લાખો લોકો જોડાઈ રહ્યા છે. તેમા કોઈ વ્યક્તિ આવીને જોડાય તો તેનો કોઈ મતલબ નથી હોતો. વધુમાં રઘુ શર્માએ જણાવ્યુ કે મોંઘવારી, બેરોજગારી, અર્થતંત્ર જેવા મુદ્દાઓ પર વાત થવી જોઈએ. ભાજપે તેના પર જવાબ આપવો જોઈએ.

ગુજરાત ચૂંટણી 2022: મેધા પાટકરને ગુજરાતની ચૂંટણી સાથે કંઈ લેવા-દેવા નથી- રઘુ શર્મા

ભાજપનો આરોપ છે કે કોંગ્રેસ ગુજરાત વિરોધી તત્વો સાથે મળેલી છે. મેધા પાટકર ગુજરાત વિરોધી છે અને તેમણે સરદાર સરોવર બંધના નિર્માણ સમયે મેધા પાટકર અને મમતા બેનર્જી સહિતનાએ મળીને ગુજરાતમાં આંદોલન કર્યા હતા. હવનમાં હાડકા નાખવાનુ કામ આ લોકોએ કર્યુ  હતુ. આ અંગે રઘુ શર્માએ નિવેદન આપ્યુ કે મેધા પાટકર અને ગુજરાત ચૂંટણીને કંઈ લેવા દેવા નથી. આ સાથે તેમણે આમ આદમી પાર્ટી મુદ્દે પણ ભાજપ પર આરોપ લગાવ્યો કે આપ એ ભાજપની જ બી ટીમ છે.

આપને જણાવી દઈએ કે જે.પી. નડ્ડાએ ગઈકાલે (18.11.22) તેમની રાજકોટ ખાતેની ચૂંટણી સભામાં જણાવ્યુ હતુ બીજી તરફ કોંગ્રેસ પણ ખતમ થઇ રહી છે. જે.પી. નડ્ડાએ જણાવ્યું કે ગુજરાત અને નર્મદાનો વિરોધ કરનારા મેધા પાટકરને સાથ આપી કોંગ્રેસે પણ તેની ગુજરાત વિરોધી માનસિકતા છતી કરી છે.

Follow Us
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">