AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022: કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનો પ્રહાર, કોઈ મુદ્દો નથી તો મેધા પાટકરને ગુજરાત ચૂંટણી સાથે જોડી રહી છે ભાજપ

Gujarat Election 2022: ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ મેધા પાટકર અંગે નિવેદન આપ્યુ કે ભાજપ પાસે કોઈ મુદ્દો નથી એટલે મેધા પાટકરને ગુજરાત ચૂંટણી સાથે જોડી રહી છે. મેધા પાટકરને ગુજરાત ચૂંટણી સાથે કંઈ લેવા દેવા નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2022 | 5:42 PM
Share

ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હજુ સુધી ગુજરાતમાં પ્રચાર માટે આવ્યા નથી. જેમા રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા પર છે. ત્યારે તેમની યાત્રામાં મેધા પાટકર પણ જોડાયા હતા. આ અંગે ભાજપ કોંગ્રેસને ઘેરી રહી છે. આ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યુ કે ભાજપ પાસે આ ચૂંટણીમાં કોઈ મુદ્દા નથી એટલે મેધા પાટકરને ગુજરાત ચૂંટણી સાથે જોડી રહી છે.

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: મોંઘવારી, બેરોજગારી, અર્થતંત્ર મુદ્દે જવાબ આપે ભાજપ- રઘુ શર્મા

રઘુ શર્માએ જણાવ્યુ કે હાલ ભાજપની બેચેની અને પરેશાની વધી રહી છે. તેનુ કારણ છે કે આ ચૂંટણી દરમિયાન કોંગ્રેસ કોઈ મોકો આપી નથી રહી અને ભાજપ એવા જ કોઈ મોકાની રાહમાં છે. તેના સિવાય બીજુ કશું નથી. મેધા પાટકર અંગે સવાલ કરાતા રઘુ શર્માએ જણાવ્યુ કે અમે ગુજરાતની ચૂંટણી લડી રહ્યા છીએ. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં લાખો લોકો જોડાઈ રહ્યા છે. તેમા કોઈ વ્યક્તિ આવીને જોડાય તો તેનો કોઈ મતલબ નથી હોતો. વધુમાં રઘુ શર્માએ જણાવ્યુ કે મોંઘવારી, બેરોજગારી, અર્થતંત્ર જેવા મુદ્દાઓ પર વાત થવી જોઈએ. ભાજપે તેના પર જવાબ આપવો જોઈએ.

ગુજરાત ચૂંટણી 2022: મેધા પાટકરને ગુજરાતની ચૂંટણી સાથે કંઈ લેવા-દેવા નથી- રઘુ શર્મા

ભાજપનો આરોપ છે કે કોંગ્રેસ ગુજરાત વિરોધી તત્વો સાથે મળેલી છે. મેધા પાટકર ગુજરાત વિરોધી છે અને તેમણે સરદાર સરોવર બંધના નિર્માણ સમયે મેધા પાટકર અને મમતા બેનર્જી સહિતનાએ મળીને ગુજરાતમાં આંદોલન કર્યા હતા. હવનમાં હાડકા નાખવાનુ કામ આ લોકોએ કર્યુ  હતુ. આ અંગે રઘુ શર્માએ નિવેદન આપ્યુ કે મેધા પાટકર અને ગુજરાત ચૂંટણીને કંઈ લેવા દેવા નથી. આ સાથે તેમણે આમ આદમી પાર્ટી મુદ્દે પણ ભાજપ પર આરોપ લગાવ્યો કે આપ એ ભાજપની જ બી ટીમ છે.

આપને જણાવી દઈએ કે જે.પી. નડ્ડાએ ગઈકાલે (18.11.22) તેમની રાજકોટ ખાતેની ચૂંટણી સભામાં જણાવ્યુ હતુ બીજી તરફ કોંગ્રેસ પણ ખતમ થઇ રહી છે. જે.પી. નડ્ડાએ જણાવ્યું કે ગુજરાત અને નર્મદાનો વિરોધ કરનારા મેધા પાટકરને સાથ આપી કોંગ્રેસે પણ તેની ગુજરાત વિરોધી માનસિકતા છતી કરી છે.

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">