AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022: કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનો પ્રહાર, કોઈ મુદ્દો નથી તો મેધા પાટકરને ગુજરાત ચૂંટણી સાથે જોડી રહી છે ભાજપ

Gujarat Election 2022: ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ મેધા પાટકર અંગે નિવેદન આપ્યુ કે ભાજપ પાસે કોઈ મુદ્દો નથી એટલે મેધા પાટકરને ગુજરાત ચૂંટણી સાથે જોડી રહી છે. મેધા પાટકરને ગુજરાત ચૂંટણી સાથે કંઈ લેવા દેવા નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2022 | 5:42 PM
Share

ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હજુ સુધી ગુજરાતમાં પ્રચાર માટે આવ્યા નથી. જેમા રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા પર છે. ત્યારે તેમની યાત્રામાં મેધા પાટકર પણ જોડાયા હતા. આ અંગે ભાજપ કોંગ્રેસને ઘેરી રહી છે. આ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યુ કે ભાજપ પાસે આ ચૂંટણીમાં કોઈ મુદ્દા નથી એટલે મેધા પાટકરને ગુજરાત ચૂંટણી સાથે જોડી રહી છે.

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: મોંઘવારી, બેરોજગારી, અર્થતંત્ર મુદ્દે જવાબ આપે ભાજપ- રઘુ શર્મા

રઘુ શર્માએ જણાવ્યુ કે હાલ ભાજપની બેચેની અને પરેશાની વધી રહી છે. તેનુ કારણ છે કે આ ચૂંટણી દરમિયાન કોંગ્રેસ કોઈ મોકો આપી નથી રહી અને ભાજપ એવા જ કોઈ મોકાની રાહમાં છે. તેના સિવાય બીજુ કશું નથી. મેધા પાટકર અંગે સવાલ કરાતા રઘુ શર્માએ જણાવ્યુ કે અમે ગુજરાતની ચૂંટણી લડી રહ્યા છીએ. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં લાખો લોકો જોડાઈ રહ્યા છે. તેમા કોઈ વ્યક્તિ આવીને જોડાય તો તેનો કોઈ મતલબ નથી હોતો. વધુમાં રઘુ શર્માએ જણાવ્યુ કે મોંઘવારી, બેરોજગારી, અર્થતંત્ર જેવા મુદ્દાઓ પર વાત થવી જોઈએ. ભાજપે તેના પર જવાબ આપવો જોઈએ.

ગુજરાત ચૂંટણી 2022: મેધા પાટકરને ગુજરાતની ચૂંટણી સાથે કંઈ લેવા-દેવા નથી- રઘુ શર્મા

ભાજપનો આરોપ છે કે કોંગ્રેસ ગુજરાત વિરોધી તત્વો સાથે મળેલી છે. મેધા પાટકર ગુજરાત વિરોધી છે અને તેમણે સરદાર સરોવર બંધના નિર્માણ સમયે મેધા પાટકર અને મમતા બેનર્જી સહિતનાએ મળીને ગુજરાતમાં આંદોલન કર્યા હતા. હવનમાં હાડકા નાખવાનુ કામ આ લોકોએ કર્યુ  હતુ. આ અંગે રઘુ શર્માએ નિવેદન આપ્યુ કે મેધા પાટકર અને ગુજરાત ચૂંટણીને કંઈ લેવા દેવા નથી. આ સાથે તેમણે આમ આદમી પાર્ટી મુદ્દે પણ ભાજપ પર આરોપ લગાવ્યો કે આપ એ ભાજપની જ બી ટીમ છે.

આપને જણાવી દઈએ કે જે.પી. નડ્ડાએ ગઈકાલે (18.11.22) તેમની રાજકોટ ખાતેની ચૂંટણી સભામાં જણાવ્યુ હતુ બીજી તરફ કોંગ્રેસ પણ ખતમ થઇ રહી છે. જે.પી. નડ્ડાએ જણાવ્યું કે ગુજરાત અને નર્મદાનો વિરોધ કરનારા મેધા પાટકરને સાથ આપી કોંગ્રેસે પણ તેની ગુજરાત વિરોધી માનસિકતા છતી કરી છે.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">