AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022 : અરવિંદ કેજરીવાલનું વધુ એક વચન, ગૌશાળા અને પાંજરાપોળ માટે જાહેર કરી સહાય

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મજબૂત કરવા અરવિંદ કેજરીવાલે વધુ એક ચૂંટણીલક્ષી જાહેરાત કરી છે. આ વખતે તેમણે પાંજરાપોળ અને ગૌશાળા માટે સહાયની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગાય દીઠ રોજના 40 રૂપિયા આપશે.

Gujarat Election 2022 : અરવિંદ કેજરીવાલનું વધુ એક વચન, ગૌશાળા અને પાંજરાપોળ માટે જાહેર કરી સહાય
Arvind kejriwal Delhi CM
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2022 | 2:09 PM
Share

ગુજરાતમાં ચૂંટણીના  પડઘમ (Gujarat vidhansabha Election 2022) વાગી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી  (AAP) ગુજરાતમાં પોતાનું સ્થાન મજબૂત કરવા વિવિધ જાહેરાત કરી રહી છે. ત્યારે ગત રોજ ગુજરાત મુલાકાતે આવેલા આપના સંયોજક અને દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે  (Arvind kejriwal) વધુ એક જાહેરાત કરી હતી અને તેમાં પાંજરાપોળના સંચાલકોને રાહત આપવાનું વચન આપ્યું હતું.

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મજબૂત કરવા અરવિંદ કેજરીવાલે વધુ એક ચૂંટણીલક્ષી જાહેરાત કરી છે. આ વખતે તેમણે પાંજરાપોળ અને ગૌશાળા માટે સહાયની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગાય દીઠ રોજના 40 રૂપિયા આપશે. આ સહાય પાંજરાપોળમાં રહેતી, ગૌશાળામાં રહેતી અને રસ્તા પર રખડતી ગાયો માટે આપવામાં આવશે. સાથે જ તેમણે જાહેરાત કરી કે દરેક જિલ્લામાં પાંજરાપોળ બનાવાશે અને ગાય માટે જે પણ પગલાં લેવાના થશે તે લેવામાં આવશે. તેમણે કહ્યું કે- દિલ્લીમાં ગાય માટે રોજના 40 રૂપિયા અપાય છે જેમાં 20 રૂપિયા દિલ્લી સરકાર અને 20 રૂપિયા નગરનિગમ આપે છે. મહત્વનું છે કે કેજરીવાલ આ પહેલા મફત વીજળી અને મફત શિક્ષણ સહિત ઘણી જાહેરાતો કરી ચૂક્યા છે.

જૂનાગઢમાં (Junagadh) અરવિંદ કેજરીવાલની મહિલાઓ માટે ફરી એક વાર જાહેરાત કરતા કહ્યું હતું કે 18 વર્ષથી ઉપરની મહિલાઓના ખાતામાં રૂ.1000 જમા કરીશું તેમજ એક જ ઘરની મહિલાઓને પણ અલગ અલગ રૂપિયા 1000 મળશે.

આ પૂર્વે અમદાવાદની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલે કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ સફાઇ કામદારોને પણ વિવિધ ગેરંટી આપી હતી. જેમાં અરવિંદ કેજરીવાલે કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગ અને રોજમદાર કર્મચારીઓ સાથે સંવાદ સાધ્યો છે. આ દરમ્યાન કેજરીવાલે કર્મચારીઓને 4 વાયદા કર્યા હતા કેજરીવાલે જણાવ્યું કે જો ગુજરાતમાં AAPની સરકાર બનશે તો હંગામી કર્મચારીઓને કાયમી કરાશે. આ ઉપરાંત સમાન કામ, સમાન વેતનનો નિયમ લાગુ કરવામાં આવશે. તેમજ કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી કર્મચારીઓના એકાઉન્ટમાં સીધા નાણા જમા કરવામાં આવશે.

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">