Banaskantha: કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ અંબાજીથી કર્યા, યુવા પરિવર્તન યાત્રાને પ્રસ્થાન કરાવી

ગુજરાત કોંગ્રેસ સમિતિ(Congress)  દ્વારા વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પ્રસારના શ્રી ગણેશ આજે શક્તિપીઠ અંબાજી(Ambaji) મંદિરમાં દર્શન કરીને અંબાજીથી યુવા પરિવર્તન યાત્રાને પ્રસ્થાન કરાવી છે.

Banaskantha: કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ અંબાજીથી કર્યા, યુવા પરિવર્તન યાત્રાને પ્રસ્થાન કરાવી
Gujarat Congress Yuva Parivartan Yatra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2022 | 7:52 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો (Gujarat Assembly Election) થનગનાટ શરુ થઇ ગયો છે.ચૂંટણીનો પ્રચાર પ્રસાર અલગ અલગ પક્ષો મોટા યાત્રાધામના દર્શન કરીને કરતા હોય છે.ત્યારે ગુજરાત કોંગ્રેસ સમિતિ(Congress)  દ્વારા વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પ્રસારના શ્રી ગણેશ આજે શક્તિપીઠ અંબાજી(Ambaji) મંદિરમાં દર્શન કરીને અંબાજીથી યુવા પરિવર્તન યાત્રાને પ્રસ્થાન કરાવી છે.અંબાજીથી ઉમરગામ સુધીની આ યાત્રા મહત્તમ ટ્રાઇબલ બેલ્ટના 14 જિલ્લામાંથી પસાર થશે.ખાસ કરી આદિવાસી વિસ્તારના યુવાનોને સજાગ કરી મતો અંકે કરવાના પ્રયાસો હાથ ધરાશે. જે અંબાજી ખાતે આ પરિવર્તન યાત્રા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોરે યુવા પાંખના પ્રદેશ અધ્યક્ષ મહિલા મોરચો તેમજ તાલુકા જિલ્લાના અનેક પાર્ટી પદાધિકારીઓ ઉપસ્થિત રહી આ યુવા પરિવર્તન યાત્રા સફળ થાય તેવા પ્રયાસો હાથ ધર્યા હતા.પ્રથમ તો માં અંબેના દર્શન કરી આર્શીવાદ મેળવ્યા હતા.

ત્યાર બાદ વિશાળ સભાને સંબોધન કરવામાં આવ્યુ હતુ. જ્યાં ભાજપા ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા..આગામી સમયમાં ભાજપા સરકારને પરીવર્તન કરવા હાંકલ કરાઈ હતી.ત્યાર બાદ યુવા પરીવર્તન યાત્રાને વાજતે ગાજતે સાબરકાંઠા તરફ પ્રયાણ કરાઈ હતી.જોકે આ યાત્રા અંબાજીથી ઉમરગામનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ બીજા ફેજમાં સોમનાથથી સુઈગામ સુધીની યાત્રા યોજાશે.

અંબાજીથી ઉમરગામ યાત્રાની શરૂઆત

યુવાઓને પ્રશ્નો અને કોંગ્રેસની સરકાર બનશે તો 10 લાખ નોકરી અને બેરોજગારી ભથ્થાની વાત લઈ યાત્રા 2100 કિલોમીટર ફરશે. જેમાં રાજ્યમાં ફિક્સ વેતન, ટાટ-ટેટ, એલ આર ડી, સહિતના અનેક આંદોલનો ચાલી રહ્યા છે કે જે સીધી રીતે યુવાઓને અસર કરે છે. સરકારની નીતિઓથી નારાજ યુવાઓને કોંગ્રેસ પક્ષ સાથે જોડવા યુથ કોંગ્રેસ રાજ્યના 27 જિલ્લાઓને સમાવતી ‘યુવા પરિવર્તન યાત્રા’ શરૂ કરશે. આગામી 22 સપ્ટેમ્બરથી અંબાજી માના દર્શન કરી અંબાજીથી ઉમરગામ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. જ્યારે બીજા તબક્કામાં દશેરા એ સોમનાથ મહાદેવના દર્શન કરી સોમનાથથી સુઈગામની યાત્રા કરાશે.2100 કિલોમીટર ની યાત્રામાં રોજ એક બાઇક રેલી, જાહેર સભા અને સાંજે મશાલ રેલીનું આયોજન કરી વધારેમાં વધારે મતદાતાઓ સુધી પહોંચવા પ્રયત્ન કરાશે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

યુવાઓ કોંગ્રેસ સાથે જોડાશે

‘યુવા પરિવર્તન યાત્રા’ અંગે વાતચીત કરતા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું કે 27 વર્ષના ભાજપના શાસનમાં સૌથી વધુ સહન કરવાનું કોઈ ને આવ્યું હોય તો તે ગુજરાતના યુવાનો છે. ગુજરાતમાં 40 લાખથી વધુ શિક્ષિત યુવાનો માટે પૂરતા રોજગારની વ્યવસ્થા નથી, બીજી તરફ કોન્ટ્રાક્ટ પ્રથા – આઉટ સોર્સીંગ દ્વારા ગુજરાતના યુવાનોનું સુનિયોજીત શોષણ કરવામાં આવી રહ્યું છે. 20થી વધુ સ્પર્ધાત્મક પરિક્ષાના પેપર ફૂટવા, વારંવાર પરિક્ષાઓમાં ગેરરીતિ, નિમણુંકમાં વિલંબ સહિતના પ્રશ્નોથી ગુજરાતના યુવાનો ભાજપ સરકારમાંથી વિશ્વાસ ગુમાવી ચુક્યાં છે ત્યારે યુવાઓ કોંગ્રેસ સાથે જોડાશે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">