Gujarat Election 2022 : કથળતી સ્થિતિ વચ્ચે પણ કાઠુ કાઢવા કોંગ્રેસની કવાયત, હવે 5 ‘યુવા પરિવર્તન યાત્રા’ થકી મતદારોને રીઝવવા પ્રયાસ
અમદાવાદના (Ahmedabad) સાબરમતી આશ્રમથી યાત્રાઓની શરૂઆત થશે. અલગ- અલગ ઝોનના સિનિયર નેતાઓ યાત્રાની આગેવાની કરશે અને કેન્દ્રીય નેતાઓ પણ યાત્રાઓમાં ઉપસ્થિત રહી ચૂંટણી પ્રચાર કરશે.

વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election) લઈને કોંગ્રેસે પણ મેદાને ઉતર્યું છે. દિવાળી બાદ કોંગ્રેસ (Congress) રાજ્યમાં 5 યુવા પરિવર્તન યાત્રા યોજશે, આ યાત્રા દરમિયાન રોડ શો, બાઈક રેલી, પદયાત્રા, સભા અને બેઠકો થશે. અમદાવાદના (Ahmedabad) સાબરમતી આશ્રમથી યાત્રાઓની શરૂઆત થશે. અલગ- અલગ ઝોનના સિનિયર નેતાઓ યાત્રાની આગેવાની કરશે અને કેન્દ્રીય નેતાઓ પણ યાત્રાઓમાં ઉપસ્થિત રહી ચૂંટણી પ્રચાર કરશે.
રોડ શો, બાઈક રેલી, પદયાત્રા, સભા અને બેઠકોનું આયોજન
તો બીજી તરફ કોંગ્રેસમાં ઉમેદવાર પસંદગી માટે પણ તૈયાર છે. 19થી 21 ઓક્ટોબર દિલ્લીમાં સ્ક્રીનિંગ કમિટીની બેઠક યોજાશે. આ બેઠક માટે પ્રભારી રઘુ શર્મા, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર (Jagdish thakor) અને વિપક્ષ નેતા સુખરામ રાઠવા દિલ્લી જશે. અને સીઇસી બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારો ફાઇનલ થશે. દિવાળી (Diwali) બાદ કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થશે. મહત્વનું છે કે સ્ક્રીનિંગ કમિટી બાદ તુરંત સેન્ટ્રલ ઈલેક્શન કમિટીની બેઠક યોજાશે જેમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે.
મહત્વનું છે કે વિધાનસભા ચૂંટણીને લઇને દરેક પક્ષ હવે વધુમાં વધુ બેઠક મેળવવા માટે કામ કરી રહ્યા છે. મિશન 2022 માટે ગુજરાત કોંગ્રેસ 3 મુદ્દે મંથન કરી રહી છે. ઉમેદવારો પસંદ કરવા કોંગ્રેસમાં 3 મુદ્દે ગંભીર ચર્ચા ચાલી રહી છે. 70 વર્ષથી ઉપરની ઉંમરના ઉમેદવારોને ચૂંટણી ન લડાવવા અંગે ચર્ચા છે. તો બીજી તરફ સિટિંગ ધારાસભ્ય અને અન્ય નેતાઓને બેઠક ન બદલવા અંગે પણ ચર્ચા છે. તો વધુમાં વધુ યુવા અને નવા ચહેરાઓને ચૂંટણી લડવા અંગે ચર્ચા ચાલી રહી છે. જો કે 3 મુદ્દે હજુ કોંગ્રેસમાં (Gujarat Congress) કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી