‘હું બીમાર છું, સર્જરી કરાવી છે’ શિક્ષકોએ બતાવ્યા આવા કારણો, જાણો કેમ?

હાલમાં જ જ્યારે બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ છે ત્યારે આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષાના પેપર ચેક કરવાની પ્રક્રિયાને લઈને મોટાપાયે શિક્ષકોના ગલ્લાં તલ્લાં જોવા મળી રહ્યા છે, અંદાજે 15થી 20 ટકા શિક્ષકોએ બોર્ડને મુક્તિ માટે અરજી કરી છે.

‘હું બીમાર છું, સર્જરી કરાવી છે’ શિક્ષકોએ બતાવ્યા આવા કારણો, જાણો કેમ?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2023 | 5:21 PM

એક તરફ રાજ્યમાં શિક્ષકોની ઘટ છે તો બીજી તરફ જે શિક્ષકો છે, તે પણ પરેશાન હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે હાલમાં જ જ્યારે બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ છે, ત્યારે આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષાના પેપર ચેક કરવાની પ્રક્રિયાને લઈને મોટાપાયે શિક્ષકોના ગલ્લાં તલ્લાં જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે, પેપર ચકાસણી પહેલા જ 1500થી વધુ શિક્ષકોની ‘તબિયત’ બગડી ગઈ હોવાની અરજીઓ મળી છે.. ‘હું બીમાર છું, સર્જરી કરાવી છે’ જેવાં કારણ આગળ ધરી પેપર ચકાસણીથી મુક્તિ આપવા માંગ કરી છે.

અંદાજે 15થી 20 ટકા શિક્ષકોએ મુક્તિ માટે કરી અરજી

પહેલી એપ્રિલથી ધોરણ 10 અને 12 ધોરણના બોર્ડની પરીક્ષાના પેપર ચકાસણીનો કાર્યક્રમ શરૂ થશે. જો કે તે પહેલા શિક્ષકોએ આ પ્રક્રિયામાંથી મુક્તિ મેળવવા , માંગતા હોવાનો વિષય ચર્ચાઈ રહ્યો છે. જેમાં અંદાજે 15થી 20 ટકા શિક્ષકોને તેમની અરજી અને કારણો સંબંધિત દસ્તાવેજોને આધારે પેપર ચકાસણીમાંથી મુક્તિ અપાઈ છે.

અમદાવાદ શહેરના ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 46 શિક્ષકે પેપર ચકાસણીની કામગીરીમાંથી મુક્તિ આપવા રજૂઆત કરી હતી. જેમાં 15 શિક્ષકોને બોર્ડે પેપર ચકાસણી માંથી મુક્તિ આપી છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 17 શિક્ષકે અરજી કરી હતી, જેમાંથી 5 શિક્ષકને જ પેપર ચકાસણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ પણ વાંચો : સ્નાતકો માટે શિક્ષણ ક્ષેત્રમાં નોકરીની ખાસ તક, મળશે મહિને 30,000થી વધુ પગાર

શિક્ષકોને મળતા ટી. એ અને ડી. એ ખૂબ જ ઓછી હોવાની રાવ

શિક્ષકોએ બોર્ડના પેપર ચકાસણી માટે રજા તો મૂકી પરંતુ હવે સવાલ એ થાય કે શા માટે શિક્ષકો પેપર ચકાસવાની કામગીરીથી દૂર રહે છે? જેમાં મુખ્ય કારણ એ છે કે શિક્ષકને મળતા ટીએ અને ડીએની કિંમત ખૂબ જ ઓછી છે. ધોરણ-10 અને 12માં શિક્ષકોને ટી. એ-ડી. એ માટે 240 રૂપિયા અપાય છે. વળી અન્ય જિલ્લામાં પેપર ચેક કરવા જવું પડે છે, જેથી શિક્ષકોને 240 રૂપિયાથી વધુ ખર્ચ થાય છે.

જો દૂર કેન્દ્ર હોય તો રાત્રી રોકાણની વ્યવસ્થા પણ શિક્ષકે જાતે કરવાની હોય છે. શિક્ષકને એક પેપર ચેક કરવાના ફક્ત 6 રૂપિયા જ મળે છે. જે આર્થિક રીતે પોષાતું ન હોવાની શિક્ષકોની ફરિયાદો હંમેશા રહે છે.મહત્વનું છે કે, આવા જ કારણોને લઈ મોટાપાયે આ વખતે શિક્ષકો બીમારીના કારણોથી આગળ રહેવા માંગતા હોય તેવું ચર્ચાઇ રહ્યું છે.

પેપર ચકાસવાની કામગીરીથી દૂર રહેવા અનેક પ્રયત્ન

બોર્ડે જ્યારે શિક્ષકોએ આપેલા કારણો સંબંધિત દસ્તાવેજોની પણ ચકાસણી કરી ત્યારે યોગ્ય જણાય તે શિક્ષકોને મુક્તિ આપી છે, પરંતુ આ પહેલાંના વર્ષોમાં પેપર તપાસનો આદેશ થયો હોવા છતાં પણ ખાનગી સ્કૂલોના ઘણા શિક્ષકો પરીક્ષાના પેપર જોવાની કામગીરીથી દૂર રહેતા હતા, જેઓને કાર્યવાહીના રૂપે સામાન્ય દંડ કરાતો હતો, પરંતુ કોઈ શિક્ષાત્મક પગલાં લેવાતા ન હતા. જો કે, આ પેપર ચકાસવાની કામગીરીથી દૂર રહેવા માટે અન્ય પ્રયોગો પણ થતાં રહે છે. પરીક્ષાનાં પેપરોની ચકાસણી સમયે જ સ્કૂલમાંથી રાજીનામું આપી દે છે, અને એક-દોઢ મહિના બાદ ફરી જોડાઈ જાય છે.. જો કે, બોર્ડે આવા શંકાસ્પદ શિક્ષકોની તપાસના આદેશ પણ આપી દીધા છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">