AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NCERT પુસ્તકો પર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું-પીરિયોડિક ટેબલ હટાવ્યું નથી, ટૂંક સમયમાં આવશે નવા પુસ્તકો

NCERT Textbook : NCERT દ્વારા પુસ્તકોમાં કરવામાં આવેલા ફેરફારો અંગે શિક્ષણ મંત્રીએ કહ્યું કે, નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી રહી છે. નવા પુસ્તકો ટૂંક સમયમાં આવશે.

NCERT પુસ્તકો પર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું-પીરિયોડિક ટેબલ હટાવ્યું નથી, ટૂંક સમયમાં આવશે નવા પુસ્તકો
NCERT books
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2023 | 10:01 AM
Share

NCERT Textbook : NCERT દ્વારા પુસ્તકોમાં તાજેતરમાં કરાયેલા ફેરફારો અંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, પુસ્તકોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે આ દિવસોમાં એક વિવાદ ચાલી રહ્યો છે કે એનસીઈઆરટી દ્વારા વિજ્ઞાનના પુસ્તકો અને પીરિયડિક ટેબલમાંથી ડાર્વિનના ઉત્ક્રાંતિના સિદ્ધાંતને હટાવી દેવામાં આવ્યો છે, પરંતુ હું અહીં જાહેરમાં કહેવા માંગુ છું કે આવું કંઈ થયું નથી.

આ પણ વાંચો : NCERT Book News : પુસ્તકોમાંથી પીરીયોડિક ટેબલ હટાવવામાં આવ્યું નથી, હવે ધોરણ-11ના વિદ્યાર્થીઓ કરશે અભ્યાસ

કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ મંગળવારે મહારાષ્ટ્રના પૂણે શહેરમાં ભંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી. તેમણે કહ્યું કે આ સંદર્ભમાં નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) પાસેથી વિગતો માંગવામાં આવી હતી. તેમના જણાવ્યા મુજબ નિષ્ણાતોએ સલાહ આપી હતી કે કોવિડ-19 દરમિયાન કેટલાક પુનરાવર્તિત ભાગોને ઘટાડી શકાય છે અને પછીથી પાછા લાવી શકાય છે.

ધોરણ 11 અને 12માં શીખશે ટેબલ

તેથી ધોરણ 8 અને 9 ની સામગ્રી યથાવત છે. ગયા વર્ષે 10માના પુસ્તકમાંથી વિકાસના સિદ્ધાંતને લગતો કેટલોક ભાગ કાઢી નાખવામાં આવ્યો હતો. 11 અને 12માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ધોરણ 9 માં પીરિયોડિક ટેબલ શીખવવામાં આવતું હતું. હવે તેને ધોરણ 11 અને 12માં ભણાવવામાં આવશે.

NCERT અનુસાર એક કે બે ઉદાહરણો (ઉત્ક્રાંતિના સિદ્ધાંતને લગતા) બાદ કરવામાં આવ્યા હતા, પરંતુ હું તમને ખાતરી આપવા માંગુ છું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં આવી રહી છે અને તે નીતિ અનુસાર નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવી રહ્યા છે.

10માના પુસ્તકોમાં ફેરફારો

તમને જણાવી દઈએ કે તાજેતરમાં NCERTએ 10માના પુસ્તકોમાં ઘણા ફેરફારો કર્યા છે, જે અંતર્ગત 10મા અને 9માના પુસ્તકોના ઘણા પ્રકરણોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ વર્ગોના પુસ્તકોમાં નવા અભ્યાસક્રમો પણ ઉમેરવામાં આવ્યા છે. 10મીથી પીરિયોડિક ટેબલ પ્રકરણ દૂર કરવામાં આવ્યું છે. હવે તેમાં 11 અને 12માં આને ઉમેરવામાં આવ્યો છે.

શિક્ષણ તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
'સાડીના પલ્લુ' નિવેદન વિવાદ પર ગેનીબેન ઠાકોરનો પલટવાર, ફેંક્યો પડકાર
'સાડીના પલ્લુ' નિવેદન વિવાદ પર ગેનીબેન ઠાકોરનો પલટવાર, ફેંક્યો પડકાર
12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો
12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો
રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video
રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video
આ અહંકાર હંમેશા બહેન-દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડે : અમિત ચાવડા
આ અહંકાર હંમેશા બહેન-દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડે : અમિત ચાવડા
મેઘરાજા મન મૂકીને વરસશે! ગુજરાતમાં 40 થી 50 ઈંચ વરસાદની આગાહી
મેઘરાજા મન મૂકીને વરસશે! ગુજરાતમાં 40 થી 50 ઈંચ વરસાદની આગાહી
ગેનીબેનને લઈને જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ Video
ગેનીબેનને લઈને જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ Video
સુરતમાં વાઇબ્રન્ટ રિજનલ કૉન્ફરન્સનું આયોજન, હરદીપ સિંઘ રહ્યા હાજર
સુરતમાં વાઇબ્રન્ટ રિજનલ કૉન્ફરન્સનું આયોજન, હરદીપ સિંઘ રહ્યા હાજર
બહારનું ખાવું મોંઘુ પડશે
બહારનું ખાવું મોંઘુ પડશે
સુરતના ચોર્યાસીમાં દેશનો પહેલો માનવ રહિત ટોલબુથ લોન્ચ, જુઓ વીડિયો
સુરતના ચોર્યાસીમાં દેશનો પહેલો માનવ રહિત ટોલબુથ લોન્ચ, જુઓ વીડિયો
વિપક્ષના નેતા માટે કોંગ્રેસમાં હરીફાઈ તેજ
વિપક્ષના નેતા માટે કોંગ્રેસમાં હરીફાઈ તેજ
g clip-path="url(#clip0_868_265)">