AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NCERT પુસ્તકો પર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું-પીરિયોડિક ટેબલ હટાવ્યું નથી, ટૂંક સમયમાં આવશે નવા પુસ્તકો

NCERT Textbook : NCERT દ્વારા પુસ્તકોમાં કરવામાં આવેલા ફેરફારો અંગે શિક્ષણ મંત્રીએ કહ્યું કે, નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી રહી છે. નવા પુસ્તકો ટૂંક સમયમાં આવશે.

NCERT પુસ્તકો પર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું-પીરિયોડિક ટેબલ હટાવ્યું નથી, ટૂંક સમયમાં આવશે નવા પુસ્તકો
NCERT books
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2023 | 10:01 AM
Share

NCERT Textbook : NCERT દ્વારા પુસ્તકોમાં તાજેતરમાં કરાયેલા ફેરફારો અંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, પુસ્તકોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે આ દિવસોમાં એક વિવાદ ચાલી રહ્યો છે કે એનસીઈઆરટી દ્વારા વિજ્ઞાનના પુસ્તકો અને પીરિયડિક ટેબલમાંથી ડાર્વિનના ઉત્ક્રાંતિના સિદ્ધાંતને હટાવી દેવામાં આવ્યો છે, પરંતુ હું અહીં જાહેરમાં કહેવા માંગુ છું કે આવું કંઈ થયું નથી.

આ પણ વાંચો : NCERT Book News : પુસ્તકોમાંથી પીરીયોડિક ટેબલ હટાવવામાં આવ્યું નથી, હવે ધોરણ-11ના વિદ્યાર્થીઓ કરશે અભ્યાસ

કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ મંગળવારે મહારાષ્ટ્રના પૂણે શહેરમાં ભંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી. તેમણે કહ્યું કે આ સંદર્ભમાં નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) પાસેથી વિગતો માંગવામાં આવી હતી. તેમના જણાવ્યા મુજબ નિષ્ણાતોએ સલાહ આપી હતી કે કોવિડ-19 દરમિયાન કેટલાક પુનરાવર્તિત ભાગોને ઘટાડી શકાય છે અને પછીથી પાછા લાવી શકાય છે.

ધોરણ 11 અને 12માં શીખશે ટેબલ

તેથી ધોરણ 8 અને 9 ની સામગ્રી યથાવત છે. ગયા વર્ષે 10માના પુસ્તકમાંથી વિકાસના સિદ્ધાંતને લગતો કેટલોક ભાગ કાઢી નાખવામાં આવ્યો હતો. 11 અને 12માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ધોરણ 9 માં પીરિયોડિક ટેબલ શીખવવામાં આવતું હતું. હવે તેને ધોરણ 11 અને 12માં ભણાવવામાં આવશે.

NCERT અનુસાર એક કે બે ઉદાહરણો (ઉત્ક્રાંતિના સિદ્ધાંતને લગતા) બાદ કરવામાં આવ્યા હતા, પરંતુ હું તમને ખાતરી આપવા માંગુ છું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં આવી રહી છે અને તે નીતિ અનુસાર નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવી રહ્યા છે.

10માના પુસ્તકોમાં ફેરફારો

તમને જણાવી દઈએ કે તાજેતરમાં NCERTએ 10માના પુસ્તકોમાં ઘણા ફેરફારો કર્યા છે, જે અંતર્ગત 10મા અને 9માના પુસ્તકોના ઘણા પ્રકરણોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ વર્ગોના પુસ્તકોમાં નવા અભ્યાસક્રમો પણ ઉમેરવામાં આવ્યા છે. 10મીથી પીરિયોડિક ટેબલ પ્રકરણ દૂર કરવામાં આવ્યું છે. હવે તેમાં 11 અને 12માં આને ઉમેરવામાં આવ્યો છે.

શિક્ષણ તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
મહેસાણાના પાંચોટમાં ઢોર ડબ્બા અને પંચાયત ઘર મુદ્દે ઘમાસાણ- Video
મહેસાણાના પાંચોટમાં ઢોર ડબ્બા અને પંચાયત ઘર મુદ્દે ઘમાસાણ- Video
મહેસાણા: પાંચોટમાં પંચાયત ઘરના નિર્માણ સામે ગ્રામજનોનો મોરચો
મહેસાણા: પાંચોટમાં પંચાયત ઘરના નિર્માણ સામે ગ્રામજનોનો મોરચો
અમદાવાદ: બાળકીઓના મોત મામલે FSLનો ચોંકાવનારો ખુલાસો, હત્યા કે આપઘાત?
અમદાવાદ: બાળકીઓના મોત મામલે FSLનો ચોંકાવનારો ખુલાસો, હત્યા કે આપઘાત?
કેસરના રસીયાઓ માટે માઠા સમાચાર, આ વર્ષે ઓછી ખાવા મળશે કેરી- Video
કેસરના રસીયાઓ માટે માઠા સમાચાર, આ વર્ષે ઓછી ખાવા મળશે કેરી- Video
ગુજરાતમાં વધતી ગરમીનો કહેર: તાપમાન 46°C સુધી પહોંચવાની શક્યતા
ગુજરાતમાં વધતી ગરમીનો કહેર: તાપમાન 46°C સુધી પહોંચવાની શક્યતા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી રોકવા પાટીદાર નેતાએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી
સ્થાનિક સ્વરાજની ચૂંટણી રોકવા પાટીદાર નેતાએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી
સુરત-રાજકોટને લઈને બેઠક પૂર્ણ, વડોદરાને લઈને ચર્ચા શરૂ
સુરત-રાજકોટને લઈને બેઠક પૂર્ણ, વડોદરાને લઈને ચર્ચા શરૂ
સેવ-ખમણી ખાધા પછી 60થી વધુ લોકોની તબિયત લથડી
સેવ-ખમણી ખાધા પછી 60થી વધુ લોકોની તબિયત લથડી
24 કલાકમાં 2 વખત પક્ષ પલટો ! ભાજપથી કોંગ્રેસ ફરી પાછા ભાજપમાં જોડાયા
24 કલાકમાં 2 વખત પક્ષ પલટો ! ભાજપથી કોંગ્રેસ ફરી પાછા ભાજપમાં જોડાયા
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
g clip-path="url(#clip0_868_265)">