AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat Education News : ના બેગ, ના પુસ્તક, ના એક્ઝામ….આ છે ગુજરાતની અનોખી સ્કૂલ, વિદ્યાર્થીઓ મનથી કરે છે અભ્યાસ

Surat Education News : સુરતમાં આવેલી વિદ્યાલયમાં પુસ્તકો વિના ભણાવવામાં આવે છે. વિદ્યાર્થીઓએ બેગ લાવવાની પણ જરૂર નથી. જે છેલ્લા 25 વર્ષથી બાળકોને તણાવમુક્ત શિક્ષણ પ્રદાન કરે છે.

Surat Education News : ના બેગ, ના પુસ્તક, ના એક્ઝામ....આ છે ગુજરાતની અનોખી સ્કૂલ, વિદ્યાર્થીઓ મનથી કરે છે અભ્યાસ
Shree Nalanda Gurukul Vidhyalay
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2023 | 8:19 AM
Share

ગુજરાતના સુરત શહેરને ‘હીરાનું શહેર’ કહેવામાં આવે છે કારણ કે અહીં હીરાનો વેપાર થાય છે. જો કે, આ વખતે આ શહેર તેના હીરા માટે નહીં, પરંતુ તેના શિક્ષણ માટે ચર્ચામાં છે. વાસ્તવમાં શહેરના ઘણા વાલીઓ હવે તેમના બાળકોને શાળાએ મોકલવાને બદલે ગુરુકુળમાં મોકલવા લાગ્યા છે. ગુરુકુળમાં પરીક્ષાની ચિંતા કર્યા વગર અભ્યાસ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ આ ગુરુકુલોમાં જાય છે જે શાળાઓનો વિકલ્પ બની ગયા છે. અહીં ભણતા વિદ્યાર્થીઓએ બેગ લાવવાની જરૂર નથી અને ન તો તેમને કોઈ પ્રકારની પરીક્ષા આપવાની હોય છે.

વિદ્યાર્થીઓ પાસે ગમે ત્યારે ગુરુકુળ આવવા અને જવાનો વિકલ્પ હોય છે. તેઓ જ્યારે ઈચ્છે ત્યારે કંઈપણ શીખી શકે છે. આ શાળા અથવા કહો કે ગુરુકુલનું નામ ‘નાલંદા ગુરુકુલ વિદ્યાલય’ છે, જે છેલ્લા 25 વર્ષથી બાળકોને તણાવમુક્ત શિક્ષણ પ્રદાન કરે છે. આ શાળાઓ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. અહીં ભણતા બાળકોને પણ અહીં અપાતા શિક્ષણનો લાભ મળી રહ્યો છે, કારણ કે તેમના ગ્રેડમાં સુધારો થઈ રહ્યો છે.

આ પણ વાંચો : Education News : નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે શરૂ થાય છે રજીસ્ટ્રેશન, આ રીતે કરો અપ્લાય

જીવનના પાઠ શીખવવામાં આવે છે

બંકિમ ઉપાધ્યાય નાલંદા ગુરુકુલ વિદ્યાલયના સ્થાપક છે. તે કહે છે, “અમે બોર્ડની પરીક્ષાઓ સિવાય બીજી કોઈ પરીક્ષા લેતા નથી પરંતુ અહીં ભણતા વિદ્યાર્થીઓ તમામ વિષયોનો અભ્યાસ કરે છે. પુસ્તકોમાંથી મળેલા શિક્ષણ ઉપરાંત જીવનના પાઠ પણ ભણાવવામાં આવે છે.

ધોરણ-10ની વિદ્યાર્થીની સાથી સોલંકીએ જણાવ્યું હતું કે, “અનૌપચારિક શાળામાં શિફ્ટ થયા પછી મારા પરફોર્મન્સમાં સુધારો થયો છે. કારણ કે દરેક સમયે કોઈ મને જજ કરતું નથી. મારો આત્મવિશ્વાસ વધ્યો છે.

અહીં ભણતા વિદ્યાર્થીઓએ શું કહ્યું?

11માં ધોરણમાં અભ્યાસ કરતી ભવ્ય શાહ ફાઇનાન્સમાં કરિયર બનાવવા માંગે છે. શાહે કહ્યું, ‘અહીંના શિક્ષકો તમારી કુશળતાને ઓળખે છે અને તેમને વધુ સુધારવા માટે કામ કરે છે. મને વર્ષો પહેલા ખબર પડી હતી કે મારી પાસે ગણતરીની આવડત છે. હું તેમાં ખૂબ જ સારો છું અને ફાઇનાન્સમાં કરિયર બનાવવા માંગુ છું.

પુસ્તકો વિના અભ્યાસ

નાલંદા ગુરુકુલ વિદ્યાલયમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પુસ્તકોની જરૂર નથી. વિદ્યાર્થીઓ ગમે તેટલો અભ્યાસ કરે છે, તેઓ પોતાની રીતે નોટ્સ બનાવે છે. શિક્ષકોએ પોતાની ટીચિંગ કીટ પણ તૈયાર કરી છે. અહીં ભણતા વિદ્યાર્થીઓને તે બધું જ શીખવવામાં આવે છે જે નિયમિત શાળામાં ભણતા બાળકોને શીખવવામાં આવે છે પરંતુ તેઓને વ્યવહારિક પાઠ પણ આપવામાં આવે છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">