AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધર્મેન્દ્ર પ્રધાને IIT મદ્રાસમાં કહ્યું કે, દેશમાં 2023ના અંત સુધીમાં હશે સ્વદેશી 5G ટેકનોલોજી

આ સંસ્થાઓ દેશના એવા મંદિરો છે જે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારનો વિકાસ કરે છે અને માનવતાના ભવિષ્યને ઘડે છે. શિક્ષણ મંત્રીએ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, મદ્રાસ એટલે કે આઈઆઈટી મદ્રાસ ખાતે એક કાર્યક્રમને સંબોધિત કરતા આ વાત કહી.

ધર્મેન્દ્ર પ્રધાને IIT મદ્રાસમાં કહ્યું કે, દેશમાં 2023ના અંત સુધીમાં હશે સ્વદેશી 5G ટેકનોલોજી
IIT MadrasImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2022 | 10:06 AM
Share

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને (Dharmendra Pradhan)સોમવારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી(IIT),મદ્રાસ ખાતે વ્યૂહાત્મક યોજના 2022-27ની શરૂઆત કરી, જે સંસ્થા માટે મહત્વાકાંક્ષી વૃદ્ધિના તબક્કાની દરખાસ્ત કરે છે. આ દરમિયાન તેમણે કહ્યું કે આ સંસ્થાઓ દેશના એવા મંદિરો છે જે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારનો વિકાસ કરે છે અને માનવતાના ભવિષ્યને ઘડે છે. શિક્ષણ મંત્રી પ્રધાને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, મદ્રાસ એટલે કે આઈઆઈટી મદ્રાસ ખાતે એક કાર્યક્રમને સંબોધિત કરતા આ વાત કહી.

આ કાર્યક્રમમાં બોલતા પ્રધાને કહ્યું કે દેશની IIT એ માત્ર શૈક્ષણિક સંસ્થાઓ નથી પરંતુ તે એવા મંદિરો છે જે વૈજ્ઞાનિક વિચારસરણીનું નિર્માણ કરે છે અને માનવતાના ભવિષ્યને આકાર આપે છે. તેમણે કહ્યું કે આપણા સમાજને આ આઈઆઈટી પાસેથી ઘણી આશાઓ છે. આઈઆઈટીમાં અભ્યાસ કરતા આપણા વિદ્યાર્થીઓ વૃદ્ધિ અને વિકાસના પ્રતિક છે.

5G Technology ટૂંક સમયમાં આવશે

શિક્ષણ મંત્રીએ કહ્યું કે ભારત તેના સમાજની સુધારણા માટે નવા વિચારો જાહેર કરી રહ્યું છે. નવીનતા એટલા માટે કે આપણા દેશની સંસ્કૃતિ સમાજને પાછું આપવાની છે. તેમણે કહ્યું કે IIT મદ્રાસની ટેકનિકલ તાકાતને કારણે ભારત વર્ષ 2023ના અંત સુધીમાં સ્વદેશી 5G ટેક્નોલોજી લાવી શકશે. આ પ્રસંગે, પ્રધાને વર્ષ 2021-27 માટે IIT મદ્રાસની વ્યૂહાત્મક યોજના બહાર પાડી જે સંસ્થાના મહત્વાકાંક્ષી વિકાસના તબક્કાઓનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.

NIRF રેન્કિંગમાં IIT મદ્રાસ ટોચ પર

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે તાજેતરમાં NIRF રેન્કિંગ 2022ની યાદી બહાર પાડી હતી. આ વર્ષે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મદ્રાસ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની યાદીમાં ટોચના સ્થાને છે. જ્યારે ભારતીય વિજ્ઞાન સંસ્થાન, બેંગ્લોર અને IIT, બોમ્બે અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા ટોચની સંસ્થાઓની યાદી જાહેર કરવામાં આવી હતી. યાદી nirfindia.org પર ઉપલબ્ધ છે.

આપને જણાવી દઈએ કે ભારત સરકાર દ્વારા દેશની શ્રેષ્ઠ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે નેશનલ ઈન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક જાહેર કરવામાં આવે છે. આ રેન્કિંગ દ્વારા આ કોલેજોની શૈક્ષણિક ગુણવત્તાનું મૂલ્યાંકન કરવામાં આવે છે.

Follow Us
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
g clip-path="url(#clip0_868_265)">