AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધર્મેન્દ્ર પ્રધાને IIT મદ્રાસમાં કહ્યું કે, દેશમાં 2023ના અંત સુધીમાં હશે સ્વદેશી 5G ટેકનોલોજી

આ સંસ્થાઓ દેશના એવા મંદિરો છે જે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારનો વિકાસ કરે છે અને માનવતાના ભવિષ્યને ઘડે છે. શિક્ષણ મંત્રીએ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, મદ્રાસ એટલે કે આઈઆઈટી મદ્રાસ ખાતે એક કાર્યક્રમને સંબોધિત કરતા આ વાત કહી.

ધર્મેન્દ્ર પ્રધાને IIT મદ્રાસમાં કહ્યું કે, દેશમાં 2023ના અંત સુધીમાં હશે સ્વદેશી 5G ટેકનોલોજી
IIT MadrasImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2022 | 10:06 AM
Share

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને (Dharmendra Pradhan)સોમવારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી(IIT),મદ્રાસ ખાતે વ્યૂહાત્મક યોજના 2022-27ની શરૂઆત કરી, જે સંસ્થા માટે મહત્વાકાંક્ષી વૃદ્ધિના તબક્કાની દરખાસ્ત કરે છે. આ દરમિયાન તેમણે કહ્યું કે આ સંસ્થાઓ દેશના એવા મંદિરો છે જે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારનો વિકાસ કરે છે અને માનવતાના ભવિષ્યને ઘડે છે. શિક્ષણ મંત્રી પ્રધાને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, મદ્રાસ એટલે કે આઈઆઈટી મદ્રાસ ખાતે એક કાર્યક્રમને સંબોધિત કરતા આ વાત કહી.

આ કાર્યક્રમમાં બોલતા પ્રધાને કહ્યું કે દેશની IIT એ માત્ર શૈક્ષણિક સંસ્થાઓ નથી પરંતુ તે એવા મંદિરો છે જે વૈજ્ઞાનિક વિચારસરણીનું નિર્માણ કરે છે અને માનવતાના ભવિષ્યને આકાર આપે છે. તેમણે કહ્યું કે આપણા સમાજને આ આઈઆઈટી પાસેથી ઘણી આશાઓ છે. આઈઆઈટીમાં અભ્યાસ કરતા આપણા વિદ્યાર્થીઓ વૃદ્ધિ અને વિકાસના પ્રતિક છે.

5G Technology ટૂંક સમયમાં આવશે

શિક્ષણ મંત્રીએ કહ્યું કે ભારત તેના સમાજની સુધારણા માટે નવા વિચારો જાહેર કરી રહ્યું છે. નવીનતા એટલા માટે કે આપણા દેશની સંસ્કૃતિ સમાજને પાછું આપવાની છે. તેમણે કહ્યું કે IIT મદ્રાસની ટેકનિકલ તાકાતને કારણે ભારત વર્ષ 2023ના અંત સુધીમાં સ્વદેશી 5G ટેક્નોલોજી લાવી શકશે. આ પ્રસંગે, પ્રધાને વર્ષ 2021-27 માટે IIT મદ્રાસની વ્યૂહાત્મક યોજના બહાર પાડી જે સંસ્થાના મહત્વાકાંક્ષી વિકાસના તબક્કાઓનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.

NIRF રેન્કિંગમાં IIT મદ્રાસ ટોચ પર

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે તાજેતરમાં NIRF રેન્કિંગ 2022ની યાદી બહાર પાડી હતી. આ વર્ષે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મદ્રાસ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની યાદીમાં ટોચના સ્થાને છે. જ્યારે ભારતીય વિજ્ઞાન સંસ્થાન, બેંગ્લોર અને IIT, બોમ્બે અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા ટોચની સંસ્થાઓની યાદી જાહેર કરવામાં આવી હતી. યાદી nirfindia.org પર ઉપલબ્ધ છે.

આપને જણાવી દઈએ કે ભારત સરકાર દ્વારા દેશની શ્રેષ્ઠ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે નેશનલ ઈન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક જાહેર કરવામાં આવે છે. આ રેન્કિંગ દ્વારા આ કોલેજોની શૈક્ષણિક ગુણવત્તાનું મૂલ્યાંકન કરવામાં આવે છે.

Follow Us
24 કલાકમાં 424 ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપાયા, જુઓ Video
24 કલાકમાં 424 ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપાયા, જુઓ Video
જામકંડોણાની મહિલાની કેદારનાથમાં તબિયત લથડી
જામકંડોણાની મહિલાની કેદારનાથમાં તબિયત લથડી
પાટણમાં AC બ્લાસ્ટ થતા મહિલા પોલીસ કર્મીનું મોત ! જુઓ-Video
પાટણમાં AC બ્લાસ્ટ થતા મહિલા પોલીસ કર્મીનું મોત ! જુઓ-Video
એરફોર્સ જમીન પરના પ્રોજેક્ટમાંથી 15 લાખના લોખંડના સળિયા ચોરાયા
એરફોર્સ જમીન પરના પ્રોજેક્ટમાંથી 15 લાખના લોખંડના સળિયા ચોરાયા
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
g clip-path="url(#clip0_868_265)">