AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તલાટીની ભરતી માટે અત્યાર સુધીમાં 8 લાખ 50 હજાર ફોર્મ ભરાયા, કુલ 10 લાખ જેટલા ફોર્મ ભરાવવાની સંભાવના

ગુજરાત સરકાર દ્વારા ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રીની 3,437 જગ્યા ભરવામાં આવશે. આ માટેની પરીક્ષામાં મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ ઉમેદવારી કરી રહ્યા છે.

તલાટીની ભરતી માટે અત્યાર સુધીમાં 8 લાખ 50 હજાર ફોર્મ ભરાયા, કુલ 10 લાખ જેટલા ફોર્મ ભરાવવાની સંભાવના
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2022 | 9:41 AM
Share

રાજ્યમાં બેરોજગારીનો આંક દિવસે-દિવસે વધી રહ્યો છે. સરકારી નોકરી માટે યુવાનોમાં જાણે કે હોડ જામી છે. ગુજરાત સરકાર (Government of Gujarat) એ રાજયમાં ફરીથી તલાટી (Talati) ની ભરતી(recruitment)ની જાહેરાત બહાર પાડી છે. જેના પગલે મોટી સંખ્યામાં યુવકો ઉમેદવારી નોંધાવી રહ્યા છે. તલાટી કમ મંત્રીની ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ તેને માંડ એક સપ્તાહ જેટલો સમય થયો છે, ત્યારે રાજ્યભરમાંથી અધધધ કહી શકાય એટલા 8 લાખ 50 હજાર જેટલા ફોર્મ ભરાઈ ચૂક્યા છે.

તલાટીની ભરતી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે. 15 ફેબ્રુઆરી સુધી વધુ 2 લાખ એટલે કે કુલ 10 લાખ ફોર્મ ભરાવવાની સંભાવના સેવાઈ રહી છે. તલાટી કમ મંત્રીની ભરતી માટે 3,437 જગ્યાઓ બહાર પડી છે, તેની સામે હાલ પર્યત સાડા આઠ લાખ ઉમેદવારો અરજી કરી ચૂક્યા છે. આ આંકડાઓ રાજ્યમાં બેરોજગારીની વાસ્તવિક્તા દર્શાવે છે અને યુવાનોને પુરતી રોજગારી મળી રહે છે એવા સરકારના પોકળ દાવાને પણ ખુલ્લા પાડે છે.

રાજ્ય સરકારે ગત 28 જાન્યુઆરીના રોજ તલાટી માટેની ભરતી ની જહેરાત કરી હતી. જે પ્રમાણે ઉમેદવારી નોધાવવા માટે 15 ફેબ્રુઆરી સુધીનો સમય નક્કી કરાયો છે. ઓનલાઈન ઉમેદવારી નોંધવામાં આવી રહી છે. તેથી યુવકો પોતાના મોબાઈલ ફોન પરથી પણ ઉમદેવારી ફોર્મ ભરી દસ્તાવેજ અપલોડ કરી શકે છે. તલાટી માટેની પરીક્ષા (Exam) માર્ચ-એપ્રિલમાં લેવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ લેશે પરીક્ષા

ગુજરાત સરકાર દ્વારા ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રીની 3,437 જગ્યા ભરવામાં આવશે. આ માટેની પરીક્ષામાં મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ ઉમેદવારી કરી રહ્યા છે. 15 ફેબ્રુઆરી સુધી વધુ 2 લાખ એટલે કે કુલ 10 લાખ ફોર્મ ભરાવવાની સંભાવના છે. જોકે આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો માટે પરીક્ષા યોજવી એ GPSSB માટે પડકારજનક બની રહેશે કેમ કે માર્ચ એપ્રિલ મહિનામાં પરીક્ષા યોજવાની હોવાથી હવે બહુ ઓછો સમય બાકી રહ્યો છે.

આ રીતે કરી શકાશે અરજી

આ માટે ઉમેદવારે https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર સબંધિત સમયગાળા દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે . સંબંધિત સંવર્ગોની સીધી ભરતીની જગ્યા માટેની વિગતવાર જાહેરાત જેમાં વયમર્યાદા , શૈક્ષણિક લાયકાત , ઓનલાઇન અરજી કરવાની રીત , ફી ભરવાની રીત તથા કુલ કક્ષાવાર જગ્યાઓ પૈકી દિવ્યાંગ ઉમેદવારો , માજી સૈનિક તથા મહિલા(તલાટી કમ મંત્રી) (વર્ગ-૩)ઓ માટે અનામત જગ્યાની વિગતો તેમજ અન્ય વિગતવાર જોગવાઇઓ / માહિતી / સુચના / શરતો દર્શાવતી વિગતવાર જાહેરાત મંડળના નોટીસ બોર્ડ ઉપર તેમજ મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.gov.in અને https://ojas.gujarat.gov.in ઉપર મુકવામાં આવેલ છે

આ પણ વાંચો-

Gujarat: અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 13 વર્ષ બાદ આજે આવી શકે છે ચુકાદો, બ્લાસ્ટમાં 56 લોકોના થયા હતા મોત

આ પણ વાંચો-

વડોદરા શહેરના તમામ 21 પોલીસ સ્ટેશનના ડી સ્ટાફનું વિસર્જન થશે, વડોદરા પોલીસ કમિશનરે તમામ DCPને આપી સૂચના

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">