ખાદ્યતેલના ભાવમાં આટલો વધારો શા માટે ? સાંસદે પૂછ્યો જનતાનો સવાલ, સરકારે આપ્યો આ જવાબ

|

Aug 10, 2021 | 6:09 PM

કેન્દ્ર સરકારે કહ્યું કે વર્ષ દરમિયાન સીંગતેલના ભાવમાં 19.16 ટકા, સરસવના તેલમાં 39.05 ટકા અને વનસ્પતિમાં 44.65 ટકાનો વધારો થયો છે. સોયાબીન તેલના ભાવમાં 47.40 ટકા, સૂર્યમુખી તેલમાં 50.16 ટકા અને આરબીડી પામોલિનમાં 44.51 ટકાનો વધારો થયો છે.

ખાદ્યતેલના ભાવમાં આટલો વધારો શા માટે ? સાંસદે પૂછ્યો જનતાનો સવાલ, સરકારે આપ્યો આ જવાબ
Edible Oils

Follow us on

દેશના લોકો છેલ્લા કેટલાક મહિનાઓથી ખાદ્યતેલોના (Edible Oils) ભાવમાં ભારે વધારાનો સામનો કરી રહ્યા છે. લોકો જાણવા માગે છે કે અચાનક એવું શું બન્યું કે ખાદ્યતેલોના (Edible Oils) ભાવમાં (Price) પ્રતિ લિટર સો રૂપિયાથી વધુનો વધારો થયો.

રાજ્યસભાના સાંસદ ડો. સી.એમ. રમેશે સરકારને પૂછ્યું હતું કે, ખાદ્યતેલોના ભાવમાં અચાનક વધારાના કારણો શું છે ? એવું પણ પૂછવામાં આવ્યું હતું કે શું સરકાર ખાદ્યતેલની અછતમાં પૈસા કમાતા વેપારીઓને રોકવા માટે આયાત કરવાની દરખાસ્ત કરે છે ? તેના પર કેન્દ્ર સરકારે સ્વીકાર્યું છે કે ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે.

ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્ય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ કહે છે કે, ખાદ્યતેલોની કિંમતો માગ અને પુરવઠા પર આધારિત છે. આ ઉપરાંત, ખાદ્યતેલના આંતરરાષ્ટ્રીય બજારના ભાવમાં વધારો, પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓના કારણે સ્થાનિક ઉત્પાદનમાં ઘટાડો, હવામાન, પરિવહન ખર્ચમાં વધારો અને સપ્લાય ચેઇનની મર્યાદાઓ વગેરેને કારણે અસર થાય છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

કિંમતમાં કેટલો વધારો થયો

કેન્દ્ર સરકારે કહ્યું કે વર્ષ દરમિયાન સીંગતેલના ભાવમાં 19.16 ટકા, સરસવના તેલમાં 39.05 ટકા અને વનસ્પતિમાં 44.65 ટકાનો વધારો થયો છે. સોયાબીન તેલના રિટેલ સ્થાનિક ભાવમાં 47.40 ટકા, સૂર્યમુખી તેલમાં 50.16 ટકા અને આરબીડી પામોલિનમાં 44.51 ટકાનો વધારો થયો છે. ભાવની આ સ્થિતિ 23 જુલાઈના રોજની છે.

ઉત્પાદન સ્થાનિક માગને પહોંચી વળવા સક્ષમ નથી

કેન્દ્ર સરકારે કહ્યું છે કે દેશમાં ખાદ્યતેલોનું સ્થાનિક ઉત્પાદન સ્થાનિક માગને પહોંચી વળવા અસમર્થ છે. આ અછતને પહોંચી વળવા માટે દેશને આયાત પર આધાર રાખવો પડે છે. ખાદ્યતેલની આયાત ઓપન જનરલ લાયસન્સ (OGL) હેઠળ કરવામાં આવે છે.

સરકારે શું કર્યું?

દેશમાં ખાદ્યતેલની ઉપલબ્ધતા વધારવા માટે, સરકારે 29 જૂનના કસ્ટમ્સ નોટિફિકેશન નંબર 34/2021 દ્વારા 30 જૂનથી ક્રૂડ પામ ઓઇલ પર ડ્યુટીના પ્રમાણભૂત દરમાં 5 ટકાનો ઘટાડો કર્યો છે. આ વર્ષે 30 સપ્ટેમ્બર 2021 સુધી લાગુ રહેશે. સરકારે ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) ની નોટિફિકેશન નંબર 10/2015-2020 ની તાત્કાલિક અસરથી 31 ડિસેમ્બર, 2021 સુધીના સમયગાળા માટે રિફાઇન્ડ પામ ઓઇલની આયાત નીતિમાં ‘પ્રતિબંધિત’ થી ‘મુક્ત’ માં સુધારો કર્યો છે.

 

આ પણ વાંચો : સિંચાઈની આ ટેકનીક ખેતી માટે છે ખૂબ જ ઉપયોગી, ખેડૂતોને મળશે મબલખ ઉત્પાદન

આ પણ વાંચો : ખેતીની સાથે થઈ શકે તેવા 7 વ્યવસાય, ઓછા ખર્ચમાં થશે બમ્પર નફો

Next Article