AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોના મહામારી વચ્ચે કૃષિ ઉત્પાદનોની નિકાસમાં જોરદાર ઉછાળો, નિકાસમાં ઘઉંએ બનાવ્યો રેકોર્ડ

કોરોના મહામારી દરમિયાન ચીન અને વિયેટનામે પણ ભારતમાંથી ચોખા ખરીદ્યા હતા. જાણો કયા કૃષિ પેદાશમાં કેટલો નિકાસ વધ્યો છે.

કોરોના મહામારી વચ્ચે કૃષિ ઉત્પાદનોની નિકાસમાં જોરદાર ઉછાળો, નિકાસમાં ઘઉંએ બનાવ્યો રેકોર્ડ
Export of agriculture products
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2021 | 2:26 PM
Share

કોરોના મહામારી (Corona Pandemic) દરમિયાન જ્યારે આખા વિશ્વની તમામ પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ હતી. તે સમયે ભારતના ખેડુતો ખેતરોમાં કામ કરી રહ્યા હતા. તેમની સખત મહેનતને કારણે અનાજ અને બાગાયતી પાકનું ઉત્પાદન ઘટ્યું ના હતું પરંતુ તેમાં વધુ વધારો થયો હતો. બીજી તરફ સરકારે કૃષિ પેદાશોની નિકાસમાં (Export of agriculture products)  વધારો કર્યો હતો. એક પ્રશ્નના જવાબમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય (Commerce and Industries)ના રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે કૃષિ નિકાસની સંપૂર્ણ વિગતો લોકસભામાં મૂકી હતી.

પટેલે જણાવ્યું હતું કે કોવિડ -19 મહામારીને કારણે અવરોધ હોવા છતાં પણ કૃષિ અને તેનાથી સંબંધિત ઉત્પાદનોની નિકાસમાં વર્ષ 2019 – 20 ની તુલનામાં 2020-21 દરમિયાન 17.37 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. આસામના ભાજપના સાંસદ દિલીપ સૈકિયા અને હરિયાણાના સોનીપતનાં સાંસદ રમેશચંદ્ર કૌશિકને પૂછ્યું હતું કે કોરોના રોગચાળાને કારણે સર્જાયેલી પરિસ્થિતિને કારણે કૃષિ પેદાશોના નિકાસ પર પ્રતિકૂળ અસર થઈ છે કે કેમ.

કેટલી વધી નિકાસ

વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ઘઉંની નિકાસમાં સૌથી વધુ 775.03 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. બિન-બાસમતી ચોખાની નિકાસમાં 136.30 ટકાનો વધારો થયો છે. વનસ્પતિ તેલની નિકાસમાં (Vegetable Oils export ) 254.94 ટકાનો વધારો થયો છે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર અન્ય અનાજની નિકાસમાં 238.57 નો વધારો થયો છે. કપાસની નિકાસમાં 79.43 ટકાનો જ્યારે ઓઇલ ફૂડમાં 90.31 ટકાનો વધારો થયો છે.

એક્સપોર્ટ વધારવા માટે શું કર્યું ? પટેલે જણાવ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન વાણિજ્ય વિભાગે કૃષિ નિકાસને સારી રીતે રાખવા માટે અનેક પગલા લીધા છે. આમાં વિવિધ પ્રમાણપત્રોની માન્યતા તેમની સમાપ્તિની તારીખ કરતાં પણ વધારી દેવામાં આવી હતી, નિકાસકારોને પડી રહેલી સમસ્યાઓના નિરાકરણ માટે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા હતા, નિકાસ માટે નિકાસ નિરીક્ષણ પરિષદ અને અન્ય અધિકારીઓ દ્વારા ઓનલાઇન સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.

આ સાથે જ નિકાસકારોને પડી રહેલી સમસ્યાઓના સમાધાન માટે રાજ્ય સરકારો અને જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ પ્રયત્નોને લીધે ભારત કોરોના મહામારી દરમિયાન આવેલી મુશ્કેલીઓને દૂર કરવામાં અને કૃષિ અને તેનાથી સંબંધિત ઉત્પાદનોની નિકાસમાં અસાધારણ વૃદ્ધિ નોંધાવવામાં સક્ષમ છે.

ચીન અને વિયેતનામએ ભારત પાસેથી ખરીદ્યા ચોખા એપિડા સાથે સંકળાયેલ બાસમતી એક્સપોર્ટ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન (BEDF) ના પ્રિન્સિપલ વૈજ્ઞાનિક ડો.રિતેશ શર્મા કહે છે કે કોવિડ મહામારી દરમિયાન પણ વિશ્વના સૌથી મોટા ચોખા ઉત્પાદકો ચીન અને વિયેટનામએ પણ ભારતમાંથી ચોખાની આયાત કરે છે. જ્યારે કોરોના વાયરસ સંક્ર્મણ શરૂ થયું ત્યારે એવું માનવામાં આવતું હતું કે તે ચીનના માંસથી ફેલાયું છે.

આવી સ્થિતિમાં, વિશ્વના ઘણા દેશોમાં લોકોનો ટ્રેન્ડ શાકાહારી તરફ હતો. ચોખા પહેલાથી જ વિશ્વમાં એક મહત્વપૂર્ણ ખોરાક છે, તેથી તેની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે.

આ પણ વાંચો : UAE જનારા ભારતીયોને હજુ પણ જોવી પડશે રાહ, આ એરલાઇન્સ કંપનીએ ફ્લાઇટસ પર વધારી દીધો પ્રતિબંધ

આ પણ વાંચો : અનેક બિમારીમાં કામ આવે છે સરગવાના પાન, ખેડૂતો ખેતી કરીને કમાઈ શકે છે તગડા પૈસા

Follow Us
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
g clip-path="url(#clip0_868_265)">