AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અહીં શરૂ થશે પહેલી ખાનગી APMC, 600 ખેડૂતોનું જૂથ કરશે તેનું સંચાલન

ખેડૂતોને આ બજારમાં ઉત્પાદન વેચવા માટે કોઈ ફી ચૂકવવી પડશે નહીં. હા, વેપારીઓ પાસેથી એક ટકા ફી લેવામાં આવશે, જેનો અમુક ભાગ FPO પાસે જશે અને અમુક ભાગ કમિટીમાં જશે.

અહીં શરૂ થશે પહેલી ખાનગી APMC, 600 ખેડૂતોનું જૂથ કરશે તેનું સંચાલન
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 12:13 PM
Share

ઉત્તર પ્રદેશમાં ખેડૂતોનું (Farmers) પ્રથમ ખાનગી કૃષિ બજાર (Private APMC) આગ્રામાં ખુલશે. 600 ખેડૂતોનું જૂથ (FPO) આ બજારનું સંચાલન કરશે. તેને સરકારી કક્ષાએ મંજૂરી આપવામાં આવી છે. તેની મંજૂરી ગયા વર્ષે જ આપવામાં આવી હતી. આગ્રા-ગ્વાલિયર રોડ પર છીતાપુરા નગલા વીરઈ ગામમાં દિવ્ય ભૂમિ એગ્રીક્રોપ પ્રોડ્યુસર કંપનીએ 4610 ચોરસ મીટરમાં ખાનગી બજાર બનાવ્યું છે. આ રાજ્યનો પહેલો FPO છે, જેને સરકાર તરફથી મંજૂરી મળી છે.

નિયમોમાં થયો ફેરફાર

કૃષિ ઉત્પાદન બજાર માર્ગદર્શિકામાં એવી જોગવાઈ છે કે કોઈ પણ વ્યક્તિગત ખેડૂત ઉત્પાદક સંગઠન બજાર શરૂ કરી શકે છે, જ્યાં ખેડૂતો કૃષિ પેદાશો ખરીદી અને વેચી શકે છે. પરંતુ આ માટે ડીપોઝિટ તરીકે પાંચ લાખ રૂપિયા જમા કરાવવા પડે છે. ગયા વર્ષે કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. દિનેશ ચતુર્વેદીએ આ નિયમોમાં ફેરફાર કર્યો છે.

હવે ફી લેવામાં આવશે નહીં

પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડૂતોને આ બજારમાં ઉત્પાદન વેચવા માટે કોઈ ફી ચૂકવવી પડશે નહીં. હા, વેપારીઓ પાસેથી એક ટકા ફી લેવામાં આવશે, જેનો અમુક ભાગ FPO પાસે જશે અને અમુક ભાગ કમિટીમાં જશે. દિવ્ય ભૂમિ એગ્રીક્રોપ પ્રોડ્યુસરના મૃણાલ અગ્રવાલે જણાવ્યું હતું કે બજારની મંજૂરી ખેડૂતોના સપના સાકાર કરવા સમાન છે. આ બજાર એક એવી જગ્યાએ છે, જ્યાંથી ગ્વાલિયર અને આગ્રા બંને જિલ્લાના ખેડૂતોને લાભ થશે. ખેડૂતોને ખરીદી અને વેચાણની સારી તક મળશે.

મૃણાલ આગળ કહે છે કે અમે સીધા મંડીથી હોટલ, ઢાબા, પ્રોસેસિંગ યુનિટ વગેરે જગ્યા પર સપ્લાય કરવાની યોજના પર કામ કરી રહ્યા છીએ. એ જ રીતે, છૂટક દુકાનદારોની નોંધણી કર્યા બાદ તેઓ સીધી તેમની દુકાન પર કૃષિ પેદાશો આપશે, તેનાથી બજારમાં ભીડ ઓછી થશે. કોરોનાકાળમાં તેમના FPO એ ‘ફાર્મ ટુ હોમ’ ની યોજના દ્વારા શાકભાજી સપ્લાય કર્યા હતા. તેઓ આગ્રાથી વિદેશમાં શાકભાજી સપ્લાય કરવાનું પણ શરૂ કરશે.

મંડી સચિવ એસ.કે. રાઘવે જણાવ્યું હતું કે એફપીઓ દ્વારા વિકસિત આ પ્રથમ બજાર છે. આ મંડી પર અનાજ, ફળો અને શાકભાજીના જથ્થાબંધ સોદા ખરીદી અને વેચી શકાય છે. તે સંપૂર્ણપણે બજારની જેમ કામ કરશે અને નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે.

આ પણ વાંચો : અહીં રીંગણના છોડમાંથી ઉગાડવામાં આવે છે ટામેટા ! જાણો કેવી રીતે ?

આ પણ વાંચો : YouTube પર વીડિયો જોઈ આ યુવકે શરૂ કર્યું ગૌપાલન ! આજે કરે છે લાખોની કમાણી

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">