કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસે કહ્યું- કેન્દ્ર સરકાર બિહારમાં ફૂડ પ્રોસેસિંગ યુનિવર્સિટી ખોલશે, ખેડૂતોને થશે સીધો ફાયદો

|

Jan 03, 2022 | 9:03 PM

કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસે કહ્યું કે અમારી પાસે ખાદ્ય ઉત્પાદનોની પ્રક્રિયા કરીને ખેડૂતોની આવક અને રોજગારીની તકો વધારવાની યોજના છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દિશામાં ખૂબ જ રસ દાખવ્યો છે.

કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસે કહ્યું- કેન્દ્ર સરકાર બિહારમાં ફૂડ પ્રોસેસિંગ યુનિવર્સિટી ખોલશે, ખેડૂતોને થશે સીધો ફાયદો
Union Minister -Pashupati Paras

Follow us on

બિહારની પ્રથમ ફૂડ પ્રોસેસિંગ (Food Processing) ઓફિસનું ઉદઘાટન કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી પશુપતિ કુમાર પારસ (Pashupati Kumar Paras) દ્વારા પટનામાં કરવામાં આવ્યું હતું. હવે ફૂડ પ્રોસેસિંગ માટે ઉત્તર બિહારમાં એક યુનિવર્સિટી ખુલશે, હાજીપુરમાં ‘ક્ષમતા વૃદ્ધિ કેન્દ્ર’ની મોટી ઑફિસ અને ફૂડ પ્રોસેસિંગ ફેક્ટરી ખોલવામાં આવશે.

ભારત સરકારના ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રી, પશુપતિ કુમાર પારસે બિહાર અને ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ફૂડ પ્રોસેસિંગને પ્રોત્સાહન આપવા માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૂડ ટેક્નોલોજી આંત્રપ્રિન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટ (National Institute of Food Technology Entrepreneurship and Management ) કુંડલી, સોનીપત (હરિયાણા)ને દરખાસ્ત કરી છે.

‘ક્ષમતા વૃદ્ધિ’ કેન્દ્રનું ઉદ્ઘાટન બિહારની રાજધાની પટનામાં કરવામાં આવ્યું હતું. આ સાથે તેણે મખાના કિંગ- મખાના આધારિત વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (One District One Product) બ્રાન્ડને સરળ અને મસાલેદાર સ્વાદ સાથે લોન્ચ કરી. આ બંને પહેલ વડાપ્રધાનની માઈક્રો ફૂડ અપગ્રેડેશન સ્કીમ (PMFME)નો ભાગ છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

યુનિવર્સિટીઓ અને ફેક્ટરીઓ ખોલવામાં આવશે

આ પ્રસંગે પશુપતિ કુમાર પારસે જાહેરાત કરી હતી કે, ફૂડ પ્રોસેસિંગ માટે એક યુનિવર્સિટી, હાજીપુરમાં ‘ક્ષમતા વૃદ્ધિ કેન્દ્ર’નું મોટું કાર્યાલય અને ઉત્તર બિહારમાં ફૂડ પ્રોસેસિંગ ફેક્ટરી ખોલવામાં આવશે. કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ મંત્રીએ આ પ્રસંગે કહ્યું હતું કે, બિહારમાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગના વિકાસમાં વિશેષ રસ લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને જે જવાબદારી સોંપી છે, તે હું નિભાવીશ.

તેમણે કહ્યું કે સમગ્ર દેશમાં ફૂડ પ્રોસેસિંગનું પોતાનું મહત્વ છે. કૃષિ વિભાગ ખાદ્યાન્નના ઉત્પાદન માટે પહેલ કરે છે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલય તેને બગાડમાંથી બચાવવા માટે પહેલ કરે છે. સમગ્ર દેશમાં મેગા ફૂડ પાર્ક કાર્યરત છે અને ટૂંક સમયમાં ખેડૂતોને ખેત પેદાશોના વાજબી ભાવ મળી રહે અને બેરોજગારીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે મિની ફૂડ પાર્ક સ્થાપવાની યોજના છે.

બિહાર સરકાર જમીન આપો

કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ મંત્રીએ કહ્યું કે તેઓ બિહારના મુખ્યમંત્રીને વિનંતી કરશે કે, અમને જમીન આપો. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ‘ક્ષમતા વૃદ્ધિ કેન્દ્ર’માં તાલીમ આપવામાં આવશે અને ભવિષ્યમાં તેનો વિસ્તાર પણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે અમારી પાસે ખાદ્ય ઉત્પાદનોની પ્રક્રિયા કરીને ખેડૂતોની આવક અને રોજગારીની તકો વધારવાની યોજના છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દિશામાં ખૂબ જ રસ દાખવ્યો છે.

 

આ પણ વાંચો : PM Kisan: પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધીમાં ખેડૂતોના બેંક ખાતામાં 1.80 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા

આ પણ વાંચો : Success Story: મહિલાઓની કંપનીએ રચ્યો ઈતિહાસ, એક વર્ષમાં અઢી કરોડની શાકભાજીનું કર્યું વેચાણ

Next Article