AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PMFBY: સરળ ભાષામાં સમજો શું છે પ્રધાનમંત્રી પાક વીમા યોજના? જાણો તેના ફાયદા

આ યોજનાનો ઉદ્દેશ્ય કુદરતી આફતો, જીવાતો અને રોગોના પરિણામે પાક નિષ્ફળ જવાના કિસ્સામાં ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. પાક વીમા યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને આધુનિક સાધનો અને ખેતીની પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે.

PMFBY: સરળ ભાષામાં સમજો શું છે પ્રધાનમંત્રી પાક વીમા યોજના? જાણો તેના ફાયદા
PMFBY (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 7:14 PM
Share

ભારત (India) એક કૃષિપ્રધાન દેશ છે. દેશની અર્થવ્યવસ્થાનો મોટો હિસ્સો કૃષિ પર કેન્દ્રિત છે. ભારતમાં ખેડૂતો (Farmers)ની આજીવિકા ખેતી પર નિર્ભર છે. જો કે કેટલીકવાર કુદરતી ઘટનાઓ જેવી કે વાવાઝોડા, તોફાન, અતિવૃષ્ટિ કે અન્ય આફતોના કારણે ખેડૂતોનો આખો પાક બરબાદ થઈ જાય છે. પાક ફેલ જતા ખેડૂતો પર મોટી આફતો આવી જાય છે. જેના કારણે ખેડૂતોને આર્થિક સ્તરે ઘણું નુકસાન થાય છે.

આ સમસ્યાને ધ્યાનમાં રાખીને 13 જાન્યુઆરી, 2016ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાક વીમા યોજના (Pradhan Mantri Fasal Bima Yojana) શરૂ કરી. સરકારની આ મહત્વાકાંક્ષી યોજનાનો હેતુ ખેડૂતોના પાકને ખરાબ હવામાન અને કુદરતી આફતોથી બચાવવા અને પ્રીમિયમનો બોજ ઘટાડવાનો છે. જો તમે પાક વીમા (Crop insurance) યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો તમે તેના માટે ઑફલાઈન અને ઑનલાઈન એમ બંને રીતે અરજી કરી શકો છો. ભારતનો કોઈપણ ખેડૂત પાક વીમા યોજનાનો લાભ લઈ શકે છે.

જો તમારા પાકને કોઈપણ કારણસર નુકસાન થાય છે તો તમને પાક વીમા યોજના હેઠળ કવરેજ મળશે. આ યોજનાનો ઉદ્દેશ્ય કુદરતી આફતો, જીવાતો અને રોગોના પરિણામે પાક નિષ્ફળ જવાના કિસ્સામાં ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. આ યોજના કૃષિ ક્ષેત્રમાં ધિરાણ સુનિશ્ચિત કરવા માટે કામ કરે છે. પાક વીમા યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને આધુનિક સાધનો અને ખેતીની પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે.

યોજનાનો હેતુ

  • કુદરતી આપત્તિઓના કારણે થતાં પાક નુકશાન સામે ખેડૂતોને વળતર આપવું.
  • ખેડૂતની આવકને સ્થિર કરવી.
  • ખેડૂતને નવીન અને અદ્યતન કૃષિ ટેકનીકો વાપરતા કરવા.
  • કૃષિમાં ધિરાણનો પ્રવાહ જાળવી રાખવો.

પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં નીચે મુજબના ખરીફ ઋતુના કુલ 16 અને રવિ/ઉનાળુ ઋતુના કુલ 12 પાકો મળી કુલ 28 પાકોને આવરી લેવામાં આવેલ છે.

આ યોજના હેઠળ પાકના નીચે જણાવેલ તબક્કાઓ અને પાકને નુકસાન થાય તેવા જોખમ આવરી લેવામાં આવેલ છે

  • વાવેતર ન થવું/રોપણી ન થવી (Prevented sowing)
  • મઘ્ય વર્તી આપત્તિથી ઊભા પાકમાં નુકશાન
  • કાપણી પછીનું નુકશાન (Post-harvest losses)
  • સ્થાનિક આપત્તિઓ (Localized calamities)

પ્રિમિયમ દર

પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ વિમા કંપની દ્વારા વાસ્તવિક પ્રિમિયમ દર લગાવવામાં આવે છે. જ્યારે ખેડૂતોએ ખરીફ ઋતુના પાકો માટે 2%, રવિ/ઉનાળુ પાકો માટે 1.5% અને વાર્ષિક વાણિજીયક અને બાગાયતી પાકો માટે ફકત 5% જ પ્રિમિયમ ભરવાનું રહે છે.

જ્યારે વાસ્તવિક પ્રિમિયમ દર અને ખેડૂતોએ ભરવાના થતાં પ્રિમિયમના તફાવતની રકમ પ્રિમિયમ સબસીડી તરીકે રાજય સરકાર અને કેન્દ્ર સરકાર સરખે હિસ્સે ચુકવે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો અમલ મુખ્ય પાકો માટે ગ્રામ પંચાયત અને ગૌણ પાકો માટે તાલુકો વિમા યુનિટ તરીકે છે.

યોજનાનું અમલીકરણ

રાજ્ય કક્ષાની પાક વીમાની સંક્‍લન સમિતિ SLCCCI (State Level Co ordination Committee on Crop Insurance) કેન્‍દ્ર સરકારની માર્ગદર્શક સૂચના મુજબ જે તે ઋતુની શરુઆતમાં ટેન્ડર/બીડ કરી અમલકર્તા સંસ્થાઓ નક્કી કરે છે. તેમજ યોજના હેઠળ આવરી લેવાનાર પાક, ડીફાઇન્‍ડ વિસ્તાર, પ્રિમિયમના દર, પ્રિમિયમમાં સબસીડી, વિમાપાત્ર રકમ વગેરે બાબતો નક્કી કરી તે મુજબ જે તે ઋતુનો ઠરાવ કરે છે.

યોજનાનો લાભ લેવા માટે નોટીફાઈડ વિસ્તારમાં નોટીફાઈડ પાક વાવતા ખેડૂતો નિયત સમય મર્યાદામાં Ikhedut Portal પર ઓનલાઈન અરજી કરી તેની પ્રિન્ટેડ નકલ નિયત સમયમર્યાદામાં સંબંધિત નાણાકીય સંસ્થા/બેંકમાં રજૂ કરી પ્રિમિયમની રકમ કપાવવાની રહે છે અને તેના આધારે યોજનાની અમલકર્તા સંસ્થા બેંકો મારફતે પ્રિમિયમ સ્વીકારશે, દાવાઓની ગણતરી કરી નિયમોનુસાર મળવાપાત્ર દાવાઓ મંજુર કરશે અને નોડલ બેંકો મારફતે ખેડૂતોના ખાતામાં પાક વિમાના દાવાની રકમ જમા કરાવશે. ખેડૂતો નાણાકીય સંસ્થા/બેંકોના સહયોગથી ઓનલાઈન અરજી કરી શકે છે.

આ પણ વાંચો: કપાસમાં ગુલાબી ઈયળ માટે આ બાબતો છે જવાબદાર, સમયસર આ ઉપાય કરી ટાળો મોટુ નુકસાન

આ પણ વાંચો: ટામેટાની ખેતી માટે આ જાત છે ઉત્તમ, રોગ કે જીવાતની ચિંતા નહીં બમ્પર આપે છે ઉત્પાદન

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">