PMFBY: સરળ ભાષામાં સમજો શું છે પ્રધાનમંત્રી પાક વીમા યોજના? જાણો તેના ફાયદા

આ યોજનાનો ઉદ્દેશ્ય કુદરતી આફતો, જીવાતો અને રોગોના પરિણામે પાક નિષ્ફળ જવાના કિસ્સામાં ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. પાક વીમા યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને આધુનિક સાધનો અને ખેતીની પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે.

PMFBY: સરળ ભાષામાં સમજો શું છે પ્રધાનમંત્રી પાક વીમા યોજના? જાણો તેના ફાયદા
PMFBY (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 7:14 PM

ભારત (India) એક કૃષિપ્રધાન દેશ છે. દેશની અર્થવ્યવસ્થાનો મોટો હિસ્સો કૃષિ પર કેન્દ્રિત છે. ભારતમાં ખેડૂતો (Farmers)ની આજીવિકા ખેતી પર નિર્ભર છે. જો કે કેટલીકવાર કુદરતી ઘટનાઓ જેવી કે વાવાઝોડા, તોફાન, અતિવૃષ્ટિ કે અન્ય આફતોના કારણે ખેડૂતોનો આખો પાક બરબાદ થઈ જાય છે. પાક ફેલ જતા ખેડૂતો પર મોટી આફતો આવી જાય છે. જેના કારણે ખેડૂતોને આર્થિક સ્તરે ઘણું નુકસાન થાય છે.

આ સમસ્યાને ધ્યાનમાં રાખીને 13 જાન્યુઆરી, 2016ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાક વીમા યોજના (Pradhan Mantri Fasal Bima Yojana) શરૂ કરી. સરકારની આ મહત્વાકાંક્ષી યોજનાનો હેતુ ખેડૂતોના પાકને ખરાબ હવામાન અને કુદરતી આફતોથી બચાવવા અને પ્રીમિયમનો બોજ ઘટાડવાનો છે. જો તમે પાક વીમા (Crop insurance) યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો તમે તેના માટે ઑફલાઈન અને ઑનલાઈન એમ બંને રીતે અરજી કરી શકો છો. ભારતનો કોઈપણ ખેડૂત પાક વીમા યોજનાનો લાભ લઈ શકે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

જો તમારા પાકને કોઈપણ કારણસર નુકસાન થાય છે તો તમને પાક વીમા યોજના હેઠળ કવરેજ મળશે. આ યોજનાનો ઉદ્દેશ્ય કુદરતી આફતો, જીવાતો અને રોગોના પરિણામે પાક નિષ્ફળ જવાના કિસ્સામાં ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. આ યોજના કૃષિ ક્ષેત્રમાં ધિરાણ સુનિશ્ચિત કરવા માટે કામ કરે છે. પાક વીમા યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને આધુનિક સાધનો અને ખેતીની પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે.

યોજનાનો હેતુ

  • કુદરતી આપત્તિઓના કારણે થતાં પાક નુકશાન સામે ખેડૂતોને વળતર આપવું.
  • ખેડૂતની આવકને સ્થિર કરવી.
  • ખેડૂતને નવીન અને અદ્યતન કૃષિ ટેકનીકો વાપરતા કરવા.
  • કૃષિમાં ધિરાણનો પ્રવાહ જાળવી રાખવો.

પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં નીચે મુજબના ખરીફ ઋતુના કુલ 16 અને રવિ/ઉનાળુ ઋતુના કુલ 12 પાકો મળી કુલ 28 પાકોને આવરી લેવામાં આવેલ છે.

આ યોજના હેઠળ પાકના નીચે જણાવેલ તબક્કાઓ અને પાકને નુકસાન થાય તેવા જોખમ આવરી લેવામાં આવેલ છે

  • વાવેતર ન થવું/રોપણી ન થવી (Prevented sowing)
  • મઘ્ય વર્તી આપત્તિથી ઊભા પાકમાં નુકશાન
  • કાપણી પછીનું નુકશાન (Post-harvest losses)
  • સ્થાનિક આપત્તિઓ (Localized calamities)

પ્રિમિયમ દર

પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ વિમા કંપની દ્વારા વાસ્તવિક પ્રિમિયમ દર લગાવવામાં આવે છે. જ્યારે ખેડૂતોએ ખરીફ ઋતુના પાકો માટે 2%, રવિ/ઉનાળુ પાકો માટે 1.5% અને વાર્ષિક વાણિજીયક અને બાગાયતી પાકો માટે ફકત 5% જ પ્રિમિયમ ભરવાનું રહે છે.

જ્યારે વાસ્તવિક પ્રિમિયમ દર અને ખેડૂતોએ ભરવાના થતાં પ્રિમિયમના તફાવતની રકમ પ્રિમિયમ સબસીડી તરીકે રાજય સરકાર અને કેન્દ્ર સરકાર સરખે હિસ્સે ચુકવે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો અમલ મુખ્ય પાકો માટે ગ્રામ પંચાયત અને ગૌણ પાકો માટે તાલુકો વિમા યુનિટ તરીકે છે.

યોજનાનું અમલીકરણ

રાજ્ય કક્ષાની પાક વીમાની સંક્‍લન સમિતિ SLCCCI (State Level Co ordination Committee on Crop Insurance) કેન્‍દ્ર સરકારની માર્ગદર્શક સૂચના મુજબ જે તે ઋતુની શરુઆતમાં ટેન્ડર/બીડ કરી અમલકર્તા સંસ્થાઓ નક્કી કરે છે. તેમજ યોજના હેઠળ આવરી લેવાનાર પાક, ડીફાઇન્‍ડ વિસ્તાર, પ્રિમિયમના દર, પ્રિમિયમમાં સબસીડી, વિમાપાત્ર રકમ વગેરે બાબતો નક્કી કરી તે મુજબ જે તે ઋતુનો ઠરાવ કરે છે.

યોજનાનો લાભ લેવા માટે નોટીફાઈડ વિસ્તારમાં નોટીફાઈડ પાક વાવતા ખેડૂતો નિયત સમય મર્યાદામાં Ikhedut Portal પર ઓનલાઈન અરજી કરી તેની પ્રિન્ટેડ નકલ નિયત સમયમર્યાદામાં સંબંધિત નાણાકીય સંસ્થા/બેંકમાં રજૂ કરી પ્રિમિયમની રકમ કપાવવાની રહે છે અને તેના આધારે યોજનાની અમલકર્તા સંસ્થા બેંકો મારફતે પ્રિમિયમ સ્વીકારશે, દાવાઓની ગણતરી કરી નિયમોનુસાર મળવાપાત્ર દાવાઓ મંજુર કરશે અને નોડલ બેંકો મારફતે ખેડૂતોના ખાતામાં પાક વિમાના દાવાની રકમ જમા કરાવશે. ખેડૂતો નાણાકીય સંસ્થા/બેંકોના સહયોગથી ઓનલાઈન અરજી કરી શકે છે.

આ પણ વાંચો: કપાસમાં ગુલાબી ઈયળ માટે આ બાબતો છે જવાબદાર, સમયસર આ ઉપાય કરી ટાળો મોટુ નુકસાન

આ પણ વાંચો: ટામેટાની ખેતી માટે આ જાત છે ઉત્તમ, રોગ કે જીવાતની ચિંતા નહીં બમ્પર આપે છે ઉત્પાદન

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">