AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story : અળસિયાનું ખાતર તૈયાર કરી આ પ્રગતિશીલ ખેડૂત દર મહીને કરે છે દોઢ લાખની કમાણી

Organic Farming Profit: ઓર્ગેનિક ખેતી માટે અળસિયાનું ખાતર બનાવવા ઉપરાંત, દેશી જંતુનાશક પણ અહીં તૈયાર કરવામાં આવે છે, જે પાકના રોગો અને ફુલ ખરવા જેવી સમસ્યાઓ સાથે ઘટાડી અને પાકની ઉપજમાં વધારો કરે છે.

Success Story : અળસિયાનું ખાતર તૈયાર કરી આ પ્રગતિશીલ ખેડૂત દર મહીને કરે છે દોઢ લાખની કમાણી
Progressive farmer (PC: Aajtak)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2022 | 2:48 PM
Share

દેશ અને રાજ્યોની સરકાર ઓર્ગેનિક ખેતી (Organic Farming)ને પ્રોત્સાહન આપી રહી છે. સરકારના આ અભિયાનને પ્રોત્સાહન આપવા માટે હવે જાગૃત ખેડૂત (Farmer)આગળ આવીને ખેતીની ફળદ્રુપ શક્તિ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી, હરિયાણાના રેવાડીના નાંગલ મુંડી ગામના એક પ્રગતિશીલ ખેડૂત જૈવિક ખેતી માટે અળસિયાનું ખાતર તૈયાર કરી રહ્યા છે અને તેને દેશના ઘણા રાજ્યોમાં મોકલી રહ્યા છે.

હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત અને હિમાચલ પ્રદેશ સહિતના અનેક રાજ્યોમાં અળસિયાના ખાતરની સપ્લાય કરવામાં આવી રહી છે તેની સાથે સાથે અળસિયા ખાતર બનાવવાની તાલીમ લેવા માટે દૂર-દૂરથી ખેડૂતો પણ અહીં પહોંચી રહ્યા છે. ખેડૂત કુલજીત યાદવ દર મહિને એકથી દોઢ લાખ રૂપિયા કમાય છે.

ખેડૂત કુલજીત યાદવ કહે છે કે યુરિયાના ઉપયોગને કારણે જમીનની ઉપજ ઘટવાની સાથે લોકોનું સ્વાસ્થ્ય પણ દિવસેને દિવસે બગડી રહ્યું છે, જેને હવે ઓર્ગેનિક ખેતી દ્વારા સુધારી શકાય છે. દેશના અન્ય ખેડૂતોને આ માહિતી આપવાથી મનને રાહત મળે છે.

ઓર્ગેનિક ખેતી માટે અળસિયાનું ખાતર બનાવવા ઉપરાંત, દેશી જંતુનાશક પણ અહીં તૈયાર કરવામાં આવે છે, જે પાકના રોગો અને ફુલ ખરવા જેવી સમસ્યાઓ સાથે ઘટાડી અને પાકની ઉપજમાં વધારો કરે છે. આ દેશી જંતુનાશક બનાવવા માટે, આકડો, લીમડો, ધતૂરો, કુંવારપાઠા, તમાકુ, લાલ કે લીલા મરચાં, એરંડાના પાન સહિત 35 પ્રકારની વનસ્પતિઓનું મિશ્રણ કરીને પ્રવાહી સ્પ્રે તૈયાર કરવામાં આવે છે.

આ દેશી પદ્ધતિથી બનાવેલ જંતુનાશક દવાનો પાક પર છંટકાવ કરવાથી છોડના તમામ પ્રકારના રોગોથી છુટકારો મળે છે અને ફૂલ ખરવા જેવી સમસ્યામાંથી પણ છુટકારો મળે છે. પ્રવાહીની એક બોટલ 30 લિટર પાણીમાં ભેળવીને એક એકર પાકમાં છાંટવામાં આવે તો તે ઉત્પાદન વધારવાની સાથે ફૂલો ખરતાં અટકાવવામાં પણ ખુબ જ અસરકારક છે.

આ પણ વાંચો: Foodgrains Production in India: દેશમાં રેકોર્ડ 316.06 મિલિયન ટન અનાજ ઉત્પાદન, કેન્દ્ર સરકારે મુખ્ય પાકોનો જાહેર કર્યો અહેવાલ

આ પણ વાંચો: Ranji Trophy 2022: રણજી ટ્રોફી 2 વર્ષ બાદ 9 સ્થળો પર મેચ સાથે આજથી ફરી શરુ, ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે પર રહેશે સૌની નજર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">