Success Story : અળસિયાનું ખાતર તૈયાર કરી આ પ્રગતિશીલ ખેડૂત દર મહીને કરે છે દોઢ લાખની કમાણી

Organic Farming Profit: ઓર્ગેનિક ખેતી માટે અળસિયાનું ખાતર બનાવવા ઉપરાંત, દેશી જંતુનાશક પણ અહીં તૈયાર કરવામાં આવે છે, જે પાકના રોગો અને ફુલ ખરવા જેવી સમસ્યાઓ સાથે ઘટાડી અને પાકની ઉપજમાં વધારો કરે છે.

Success Story : અળસિયાનું ખાતર તૈયાર કરી આ પ્રગતિશીલ ખેડૂત દર મહીને કરે છે દોઢ લાખની કમાણી
Progressive farmer (PC: Aajtak)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2022 | 2:48 PM

દેશ અને રાજ્યોની સરકાર ઓર્ગેનિક ખેતી (Organic Farming)ને પ્રોત્સાહન આપી રહી છે. સરકારના આ અભિયાનને પ્રોત્સાહન આપવા માટે હવે જાગૃત ખેડૂત (Farmer)આગળ આવીને ખેતીની ફળદ્રુપ શક્તિ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી, હરિયાણાના રેવાડીના નાંગલ મુંડી ગામના એક પ્રગતિશીલ ખેડૂત જૈવિક ખેતી માટે અળસિયાનું ખાતર તૈયાર કરી રહ્યા છે અને તેને દેશના ઘણા રાજ્યોમાં મોકલી રહ્યા છે.

હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત અને હિમાચલ પ્રદેશ સહિતના અનેક રાજ્યોમાં અળસિયાના ખાતરની સપ્લાય કરવામાં આવી રહી છે તેની સાથે સાથે અળસિયા ખાતર બનાવવાની તાલીમ લેવા માટે દૂર-દૂરથી ખેડૂતો પણ અહીં પહોંચી રહ્યા છે. ખેડૂત કુલજીત યાદવ દર મહિને એકથી દોઢ લાખ રૂપિયા કમાય છે.

ખેડૂત કુલજીત યાદવ કહે છે કે યુરિયાના ઉપયોગને કારણે જમીનની ઉપજ ઘટવાની સાથે લોકોનું સ્વાસ્થ્ય પણ દિવસેને દિવસે બગડી રહ્યું છે, જેને હવે ઓર્ગેનિક ખેતી દ્વારા સુધારી શકાય છે. દેશના અન્ય ખેડૂતોને આ માહિતી આપવાથી મનને રાહત મળે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ઓર્ગેનિક ખેતી માટે અળસિયાનું ખાતર બનાવવા ઉપરાંત, દેશી જંતુનાશક પણ અહીં તૈયાર કરવામાં આવે છે, જે પાકના રોગો અને ફુલ ખરવા જેવી સમસ્યાઓ સાથે ઘટાડી અને પાકની ઉપજમાં વધારો કરે છે. આ દેશી જંતુનાશક બનાવવા માટે, આકડો, લીમડો, ધતૂરો, કુંવારપાઠા, તમાકુ, લાલ કે લીલા મરચાં, એરંડાના પાન સહિત 35 પ્રકારની વનસ્પતિઓનું મિશ્રણ કરીને પ્રવાહી સ્પ્રે તૈયાર કરવામાં આવે છે.

આ દેશી પદ્ધતિથી બનાવેલ જંતુનાશક દવાનો પાક પર છંટકાવ કરવાથી છોડના તમામ પ્રકારના રોગોથી છુટકારો મળે છે અને ફૂલ ખરવા જેવી સમસ્યામાંથી પણ છુટકારો મળે છે. પ્રવાહીની એક બોટલ 30 લિટર પાણીમાં ભેળવીને એક એકર પાકમાં છાંટવામાં આવે તો તે ઉત્પાદન વધારવાની સાથે ફૂલો ખરતાં અટકાવવામાં પણ ખુબ જ અસરકારક છે.

આ પણ વાંચો: Foodgrains Production in India: દેશમાં રેકોર્ડ 316.06 મિલિયન ટન અનાજ ઉત્પાદન, કેન્દ્ર સરકારે મુખ્ય પાકોનો જાહેર કર્યો અહેવાલ

આ પણ વાંચો: Ranji Trophy 2022: રણજી ટ્રોફી 2 વર્ષ બાદ 9 સ્થળો પર મેચ સાથે આજથી ફરી શરુ, ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે પર રહેશે સૌની નજર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">