દેશમાં ખાતરની કોઈ અછત નથી, રાજ્ય સરકારોએ સપ્લાય પર નજર રાખવી જોઈએ: મનસુખ માંડવિયા

મંત્રીએ રાજ્યોના કૃષિ મંત્રીઓ સાથે વર્ચ્યુઅલ રીતે ખાતરની ઉપલબ્ધતાની સ્થિતિની સમીક્ષા કરી. મનસુખ માંડવિયાએ કહ્યું કે વૈકલ્પિક ખાતરો શોધવાની અને નેનો યુરિયા અને ઓર્ગેનિક ખાતર જેવા વૈકલ્પિક ખાતરોના ઉપયોગને પ્રોત્સાહન આપવાની જરૂર છે.

દેશમાં ખાતરની કોઈ અછત નથી, રાજ્ય સરકારોએ સપ્લાય પર નજર રાખવી જોઈએ: મનસુખ માંડવિયા
Mansukh Mandaviya
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 8:05 PM

કેમિકલ અને ફર્ટિલાઇઝર્સ મિનિસ્ટર મનસુખ માંડવિયા (Chemicals and Fertilizers Minister Mansukh Mandaviya) એ મંગળવારે કહ્યું કે, દેશમાં ખાતરની કોઈ અછત નથી. તેમણે રાજ્યોને વિનંતી કરી કે તેઓ રોજિંદા ધોરણે જમીનના આ મુખ્ય પોષક તત્વોની માંગ-પુરવઠા પર નજર રાખે, ઉપરાંત યુરિયા (Urea)ને ઉદ્યોગો તરફ વાળવામાં આવતા અટકાવે. મંત્રીએ રાજ્યોના કૃષિ મંત્રીઓ સાથે વર્ચ્યુઅલ રીતે ખાતરની ઉપલબ્ધતાની સ્થિતિની સમીક્ષા કરી. માંડવિયાએ કહ્યું કે વૈકલ્પિક ખાતરો શોધવાની અને નેનો યુરિયા અને ઓર્ગેનિક ખાતર (Organic Manure) જેવા વૈકલ્પિક ખાતરોના ઉપયોગને પ્રોત્સાહન આપવાની જરૂર છે.

આ ઉપરાંત, તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો દ્વારા જણાવવામાં આવેલી જરૂરિયાતના આધારે કોઈપણ વિલંબ કર્યા વિના તમામ રાજ્યોને ખાતરની સપ્લાય કરી રહી છે. માંડવિયાએ એક સરકારી નિવેદનમાં જણાવ્યું હતું કે, “દેશભરમાં ખાતરનું પર્યાપ્ત ઉત્પાદન છે અને કોઈ અછત નથી.” આ સમીક્ષા બેઠકમાં 18 રાજ્યોના કૃષિ પ્રધાનોએ ભાગ લીધો હતો.

‘યુરિયાની જરૂરિયાત પૂરી કરવા માટે અથાક મહેનત કરી રહ્યા છીએ’

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

માંડવિયાએ કહ્યું કે ખેડૂતો (Farmers) અને કૃષિ ક્ષેત્રની ખાતરની જરૂરિયાતનું સંચાલન કરવાની કેન્દ્ર અને રાજ્યોની સામૂહિક જવાબદારી છે. તેમણે રાજ્ય મંત્રીઓને ખાતરી આપી કે કેન્દ્ર આગામી રવી સિઝનમાં દેશની યુરિયાની જરૂરિયાતને પહોંચી વળવા માટે અથાક મહેનત કરી રહ્યું છે. મંત્રીએ રાજ્યોને જાગરૂકતા વધારવા અને ખેડૂતોને ખાતરના વ્યાજબી ઉપયોગ માટે પ્રેરિત કરવા અને બગાડ અને દુરુપયોગ ઘટાડવા કહ્યું છે.

ખાતર માટે ખેડૂતો પરેશાન

દેશના મોટાભાગના રાજ્યોમાં ખેડૂતો ખાતરની અછતથી પરેશાન છે. ખાતર ન મળવાની સતત સૂચનાઓ બાદ કેન્દ્રીય મંત્રીએ બેઠક યોજીને આ નિવેદન આપ્યું હતું. હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, બિહાર અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ખેડૂતો રવિ પાકની વાવણી કરી રહ્યા છે. સિઝન શરૂ થતાની સાથે જ ખાતરની અછતના સમાચાર આવવા લાગ્યા હતા. જો કે વહીવટીતંત્ર કહે છે કે પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ છે, પરંતુ આ દાવાથી વિપરીત ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો: Covid in Germany: જર્મનીમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર!, સ્વાસ્થ્ય મંત્રીએ આપી એવી ચેતવણી કે લોકો ચોંકી ગયા

આ પણ વાંચો: ઈઝરાયેલે કૃષિ ક્ષેત્રે આ રાજ્યની કરી પ્રશંસા, ભવિષ્યમાં ઈઝરાયલ ભારતના વિવિધ રાજ્યોમાં અનેક પ્રોજેક્ટ સ્થાપશે

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">