AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશમાં બાગાયતી પાકોનો વિસ્તાર વધ્યો, આ વર્ષે શાકભાજીમાં ઘટાડો અને ફળોનું ઉત્પાદન વધવાનું અનુમાન

કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના ડેટાના આધારે બહાર પાડવામાં આવેલા અંદાજો અનુસાર, 2019ની સરખામણીમાં 2021-22માં બાગાયતી પાક હેઠળનો વિસ્તાર 27478 હેક્ટરથી વધીને 27563 હેક્ટર થયો છે.

દેશમાં બાગાયતી પાકોનો વિસ્તાર વધ્યો, આ વર્ષે શાકભાજીમાં ઘટાડો અને ફળોનું ઉત્પાદન વધવાનું અનુમાન
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2022 | 2:31 PM
Share

એક તરફ જ્યાં આ વખતે કૃષિ મંત્રાલયે (Ministry of Agriculture) દેશમાં રેકોર્ડ 306 મિલિયન ટન અનાજ (Food Grains) ના ઉત્પાદનનો અંદાજ લગાવ્યો છે, તો બીજી તરફ દેશમાં બાગાયતી (Horticulture) પાકોના વિસ્તાર અને ઉત્પાદનમાં વધારો થયો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના ડેટાના આધારે બહાર પાડવામાં આવેલા અંદાજો અનુસાર, 2019ની સરખામણીમાં 2021-22માં બાગાયતી પાક હેઠળનો વિસ્તાર 27478 હેક્ટરથી વધીને 27563 હેક્ટર થયો છે. સાથે જ ઉત્પાદનની દૃષ્ટિએ આ વર્ષે પણ દેશમાં ફળોનું ઉત્પાદન વધવાની આશા છે. જ્યારે આ વર્ષે શાકભાજીનું ઉત્પાદન ઘટવાની ધારણા છે.

બાગાયતી પાકોના ઉત્પાદનમાં 4 ટકાથી વધુનો થયો વધારો

કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે સરકારી સ્ત્રોતોમાંથી પ્રાપ્ત ડેટા પછી વર્ષ 2019-20, 2020-21 અને 2021-22 માટે અંતિમ અંદાજો જાહેર કર્યા છે. જે અંતર્ગત 2019-20ની સરખામણીમાં 2020-21 અને 2021-22માં દેશમાં બાગાયતી પાક હેઠળનો વિસ્તાર વધ્યો છે. વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા અંદાજ મુજબ, 2020-21માં કુલ બાગાયત ઉત્પાદન રેકોર્ડ 334.60 મિલિયન ટન રહેવાનો અંદાજ છે, જે 2019-20ના કુલ ઉત્પાદન કરતાં લગભગ 14.13 મિલિયન ટન અથવા 4.4 ટકા વધુ છે.

2021-22માં કુલ બાગાયત ઉત્પાદન 333.3 મિલિયન ટન રહેવાનો અંદાજ છે, જે 2020-21 કરતાં લગભગ 1.35 મિલિયન ટન ઓછું છે, પરંતુ આમ 2019 ની સરખામણીમાં છેલ્લા બે વર્ષમાં દેશની અંદર બાગાયતનો વિસ્તાર અને ઉત્પાદન વધ્યું છે.

ફળોના ઉત્પાદનમાં સતત બીજા વર્ષે વધારો થવાની ધારણા

કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા અંદાજ મુજબ દેશમાં ફળોના ઉત્પાદનમાં સતત બીજી વખત વધારો થવાની ધારણા છે. ડેટા અનુસાર, 2019-20માં 102.08 મિલિયન ટન ફળોનું ઉત્પાદન થયું હતું, જે 2020-21માં વધીને 102.48 મિલિયન ટન થવાની ધારણા છે. તે જ સમયે, 2021-22માં 102.9 મિલિયન ટન ફળોનું ઉત્પાદન થવાનો અંદાજ છે.

આ વર્ષે શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો થવાનો અંદાજ

કૃષિ વિભાગ દ્વારા જાહેર કરાયેલા અંદાજ મુજબ દેશમાં આ વર્ષે શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો થવાનો અંદાજ છે. વિભાગ દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, 2019માં દેશમાં 188.28 મિલિયન ટન શાકભાજીનું ઉત્પાદન થયું હતું, જેની સરખામણીએ 2020-21માં 200.45 મિલિયન ટન શાકભાજીનું ઉત્પાદન થવાની ધારણા છે. જ્યારે 2021-22 દરમિયાન 199.9 મિલિયન ટન શાકભાજીના ઉત્પાદનનો અંદાજ છે.

આ રીતે ચાલુ વર્ષમાં શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો થવાની ધારણા છે. જેમાં ડુંગળીનું ઉત્પાદન 2020-21માં 26.6 મિલિયન ટનની સરખામણીએ 31.1 મિલિયન ટન થવાનો અંદાજ છે. તે જ સમયે, બટાટાનું ઉત્પાદન 56.2 મિલિયન ટનની સરખામણીએ 2020-21માં 53.6 મિલિયન ટન થવાની ધારણા છે.

આ પણ વાંચો: કૃષિ સાથે ખેડૂતો અને મહિલાઓને આત્મનિર્ભર બનાવાની દિશામાં કામ કરી રહ્યું છે NDDB

આ પણ વાંચો: Tech News: Adani ગ્રુપની Google સાથે ભાગીદારી, ડિજિટલ ભારતને મળશે વેગ

Follow Us
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન
ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન
સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી તબાહી જ તબાહી, ખેતરો બેટમાં ફેરવાયા
સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી તબાહી જ તબાહી, ખેતરો બેટમાં ફેરવાયા
માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે, ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે
માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે, ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે
અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન
અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન
દમણમાં ઊછળ્યા 10 ફૂટ ઊંચા મોજા, પ્રવાસીઓને દરિયાકિનારે ન જવા સૂચના
દમણમાં ઊછળ્યા 10 ફૂટ ઊંચા મોજા, પ્રવાસીઓને દરિયાકિનારે ન જવા સૂચના
અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, સ્થાનિક નદીઓમાં આવ્યા નવા નીર
અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, સ્થાનિક નદીઓમાં આવ્યા નવા નીર
g clip-path="url(#clip0_868_265)">