દેશમાં બાગાયતી પાકોનો વિસ્તાર વધ્યો, આ વર્ષે શાકભાજીમાં ઘટાડો અને ફળોનું ઉત્પાદન વધવાનું અનુમાન

કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના ડેટાના આધારે બહાર પાડવામાં આવેલા અંદાજો અનુસાર, 2019ની સરખામણીમાં 2021-22માં બાગાયતી પાક હેઠળનો વિસ્તાર 27478 હેક્ટરથી વધીને 27563 હેક્ટર થયો છે.

દેશમાં બાગાયતી પાકોનો વિસ્તાર વધ્યો, આ વર્ષે શાકભાજીમાં ઘટાડો અને ફળોનું ઉત્પાદન વધવાનું અનુમાન
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2022 | 2:31 PM

એક તરફ જ્યાં આ વખતે કૃષિ મંત્રાલયે (Ministry of Agriculture) દેશમાં રેકોર્ડ 306 મિલિયન ટન અનાજ (Food Grains) ના ઉત્પાદનનો અંદાજ લગાવ્યો છે, તો બીજી તરફ દેશમાં બાગાયતી (Horticulture) પાકોના વિસ્તાર અને ઉત્પાદનમાં વધારો થયો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના ડેટાના આધારે બહાર પાડવામાં આવેલા અંદાજો અનુસાર, 2019ની સરખામણીમાં 2021-22માં બાગાયતી પાક હેઠળનો વિસ્તાર 27478 હેક્ટરથી વધીને 27563 હેક્ટર થયો છે. સાથે જ ઉત્પાદનની દૃષ્ટિએ આ વર્ષે પણ દેશમાં ફળોનું ઉત્પાદન વધવાની આશા છે. જ્યારે આ વર્ષે શાકભાજીનું ઉત્પાદન ઘટવાની ધારણા છે.

બાગાયતી પાકોના ઉત્પાદનમાં 4 ટકાથી વધુનો થયો વધારો

કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે સરકારી સ્ત્રોતોમાંથી પ્રાપ્ત ડેટા પછી વર્ષ 2019-20, 2020-21 અને 2021-22 માટે અંતિમ અંદાજો જાહેર કર્યા છે. જે અંતર્ગત 2019-20ની સરખામણીમાં 2020-21 અને 2021-22માં દેશમાં બાગાયતી પાક હેઠળનો વિસ્તાર વધ્યો છે. વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા અંદાજ મુજબ, 2020-21માં કુલ બાગાયત ઉત્પાદન રેકોર્ડ 334.60 મિલિયન ટન રહેવાનો અંદાજ છે, જે 2019-20ના કુલ ઉત્પાદન કરતાં લગભગ 14.13 મિલિયન ટન અથવા 4.4 ટકા વધુ છે.

2021-22માં કુલ બાગાયત ઉત્પાદન 333.3 મિલિયન ટન રહેવાનો અંદાજ છે, જે 2020-21 કરતાં લગભગ 1.35 મિલિયન ટન ઓછું છે, પરંતુ આમ 2019 ની સરખામણીમાં છેલ્લા બે વર્ષમાં દેશની અંદર બાગાયતનો વિસ્તાર અને ઉત્પાદન વધ્યું છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ફળોના ઉત્પાદનમાં સતત બીજા વર્ષે વધારો થવાની ધારણા

કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા અંદાજ મુજબ દેશમાં ફળોના ઉત્પાદનમાં સતત બીજી વખત વધારો થવાની ધારણા છે. ડેટા અનુસાર, 2019-20માં 102.08 મિલિયન ટન ફળોનું ઉત્પાદન થયું હતું, જે 2020-21માં વધીને 102.48 મિલિયન ટન થવાની ધારણા છે. તે જ સમયે, 2021-22માં 102.9 મિલિયન ટન ફળોનું ઉત્પાદન થવાનો અંદાજ છે.

આ વર્ષે શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો થવાનો અંદાજ

કૃષિ વિભાગ દ્વારા જાહેર કરાયેલા અંદાજ મુજબ દેશમાં આ વર્ષે શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો થવાનો અંદાજ છે. વિભાગ દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, 2019માં દેશમાં 188.28 મિલિયન ટન શાકભાજીનું ઉત્પાદન થયું હતું, જેની સરખામણીએ 2020-21માં 200.45 મિલિયન ટન શાકભાજીનું ઉત્પાદન થવાની ધારણા છે. જ્યારે 2021-22 દરમિયાન 199.9 મિલિયન ટન શાકભાજીના ઉત્પાદનનો અંદાજ છે.

આ રીતે ચાલુ વર્ષમાં શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો થવાની ધારણા છે. જેમાં ડુંગળીનું ઉત્પાદન 2020-21માં 26.6 મિલિયન ટનની સરખામણીએ 31.1 મિલિયન ટન થવાનો અંદાજ છે. તે જ સમયે, બટાટાનું ઉત્પાદન 56.2 મિલિયન ટનની સરખામણીએ 2020-21માં 53.6 મિલિયન ટન થવાની ધારણા છે.

આ પણ વાંચો: કૃષિ સાથે ખેડૂતો અને મહિલાઓને આત્મનિર્ભર બનાવાની દિશામાં કામ કરી રહ્યું છે NDDB

આ પણ વાંચો: Tech News: Adani ગ્રુપની Google સાથે ભાગીદારી, ડિજિટલ ભારતને મળશે વેગ

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">