AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Animal Husbandry: ઉનાળાની કાળઝાળ ગરમીમાં દુધાળા પશુઓની આ રીતે રાખો કાળજી

ઉનાળામાં, દૂધાળા પશુઓની દૂધ (Milk) આપવાની ક્ષમતા પણ સામાન્ય રીતે ઘટી જાય છે, તેમજ તેમની રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટી જાય છે. જેના કારણે પશુપાલન વ્યવસાય (Animal Husbandry)માં મોટુ નુકશાન થઈ શકે છે.

Animal Husbandry: ઉનાળાની કાળઝાળ ગરમીમાં દુધાળા પશુઓની આ રીતે રાખો કાળજી
Animal Husbandry (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2022 | 1:38 PM
Share

ઉનાળાની ઋતુમાં પશુઓની ખાસ કાળજી લેવી પડે છે, કારણ કે ઉનાળાની ઋતુમાં તાપમાન ઉંચુ રહેવાથી પશુઓમાં રોગચાળાનો ખતરો વધી જાય છે. સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં પશુઓમાં પાચન તંત્રને લગતી સમસ્યાઓ આવે છે. તે જ સમયે પશુઓના નવજાત બચ્ચાને પણ ઘણી અસર થાય છે. ઉનાળામાં દૂધાળા પશુઓની દૂધ (Milk)આપવાની ક્ષમતા પણ સામાન્ય રીતે ઘટી જાય છે, તેમજ તેમની રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટી જાય છે. જેના કારણે પશુપાલન વ્યવસાય (Animal Husbandry)માં મોટુ નુકશાન થઈ શકે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને આ લેખ દ્વારા ઉનાળાની ઋતુમાં દુધાળા પશુઓની સંભાળ કેવી રીતે રાખવી તેની માહિતી આપવાના છીએ.

ઉનાળામાં દુધાળા પશુઓની આ રીતે કાળજી રાખવી

  1. ઉનાળાની ઋતુમાં ગરમીનો પારો ઉંચો જતો હોય છે, જે પશુઓ માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. આવી સ્થિતિમાં પશુઓને ઉનાળાની કાળઝાળ ગરમીથી બચાવવા માટે તેમના રહેઠાણમાં જ્યાં સીધો તડકો આવતો હોય ત્યાં પડદો લગાવવો જોઈએ.
  2. આ પછી ઉનાળાની ઋતુમાં જો કોઈ પશુ વાછરડાને જન્મ આપે તો તે સમયે તેના મોંમાંથી વહેતી બધી લાળ બહાર કાઢી લેવી, જેથી વાછરડાને શ્વાસ લેવામાં કોઈ તકલીફ ન પડે.
  3. ઉનાળાની ઋતુમાં પશુઓને લીલો ચારો ખવડાવવો જોઈએ, કારણ કે લીલા ચારામાં પાણીનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, જે શરીરમાં પાણીની ઉણપને દૂર કરે છે.
  4. ઉનાળાની ઋતુમાં પ્રાણીઓના ખાવા-પીવા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.
  5. ઉનાળાની ઋતુમાં પશુઓમાં રોગો થવાનું જોખમ રહેલું છે, તેથી સમયસર રસીકરણ કરાવો.
  6. પશુઓને રાત્રે ખુલ્લામાં બાંધવા જોઈએ, જેથી તેઓ ખુલ્લી હવામાં રહી શકે.
  7. પશુઓના રહેઠાણની આસપાસ લીલાછમ છોડ વાવો, જેથી તેમને છાંયો અને શુદ્ધ હવા મળી રહે.
  8. જો પશુઓ વધુ હાંફતા હોય તો તેમના પર ભીના કોથળા નાખવા જોઈએ.

ઉપરોક્ત બાબતોનું ધ્યાન રાખી દુધાળા પશુની કાળજી રાખવી જોઈએ, તેનાથી પશુનું આરોગ્ય સારૂ રહેશે અને દૂધ ઉત્પાદન પણ જળવાઈ રહેશે. ત્યારે પશુઓને ઉનાળાની આ ગરમીમાં પાણીની વ્યવસ્થા કરવી જોઈએ અને છાયાદાર અને ઠંડકવાળી જગ્યાએ પશુઓની રાખવાની વ્યવસ્થા કરવી જોઈએ.

આ પણ વાંચો: Delhi Dharma sansad: પોલીસે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી, કહ્યું દિલ્હી ધર્મ સંસદમાં કોઈ નફરતજનક ભાષણ આપવામાં આવ્યું નથી

આ પણ વાંચો: વેરાવળના માથાસુરિયા ગામે ગુરૂ-શિષ્યના પવિત્ર સંબંધોને લાંછન લગાડતો કિસ્સો, 7માં ધોરણમાં ભણતી સગીરાને ચોકલેટની લાલચ આપી આચાર્યએ અડપલાં કર્યાં

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">