Success Story: સરકારી નોકરી છોડીને શરૂ કરી એલોવેરાની ખેતી, હવે કરે છે લાખો રૂપિયાની કમાણી

|

Aug 15, 2023 | 4:49 PM

ખેડૂતો પરંપરાગત પાકોને બદલે વૈજ્ઞાનિક પદ્ધતિથી બાગાયતી પાકોની ખેતી કરી રહ્યા છે. જો બાગાયતી પાકની વાત કરવામાં આવે તો ખેડૂતો ઔષધીય પાકોની પણ મોટા પ્રમાણમાં ખેતી કરી રહ્યા છે.

Success Story: સરકારી નોકરી છોડીને શરૂ કરી એલોવેરાની ખેતી, હવે કરે છે લાખો રૂપિયાની કમાણી
Aloe Vera Farming

Follow us on

હાલમાં બદલાતા આ વૈજ્ઞાનિક યુગમાં ખેતી દ્વારા પણ વધારે આવક મેળવી શકાય છે. ખેડૂતો (Farmers) પરંપરાગત પાકોને બદલે વૈજ્ઞાનિક પદ્ધતિથી બાગાયતી પાકોની ખેતી કરી રહ્યા છે. જો બાગાયતી પાકની વાત કરવામાં આવે તો ખેડૂતો ઔષધીય પાકોની પણ મોટા પ્રમાણમાં ખેતી કરી રહ્યા છે. એક યુવા ખેડૂત છે જેમણે સરકારી નોકરી છોડી અને ખેતીમાં ઝંપલાવ્યું છે. તેમણે હંમેશા ડિમાન્ડમાં રહેતા એલોવેરાની ખેતી (Aloe Vera Farming) કરીને લાખો રૂપિયાની કમાણી કરી છે.

સરકારી નોકરી છોડી એલોવેરાની ખેતી શરૂ કરી

રાજસ્થાનમાં રહેતા હરીશ ધનદેવ એન્જિનિયર હતા. તેઓ જેસલમેર મ્યુનિસિપલ કાઉન્સિલમાં જુનિયર એન્જિનિયર તરીકે કામ કરતા હતા, પરંતુ તેને નોકરીમાં મજા આવતી ન હતી સાથે જ તેને તેના પરિવારથી દૂર રહેવું પડતું હતું. તેથી તેમણે સરકારી નોકરી છોડી દીધી અને એલોવેરાની ખેતી શરૂ કરી હતી.

એલોવેરાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે જાણ્યું

યુવા ખેડૂત હરીશે કહ્યુ કે, સરકારી નોકરી દરમિયાન તે એક દિવસ દિલ્હી ગયા અને ત્યાં એક કૃષિ પ્રદર્શન જોયું. તે સમયે તેમણે એલોવેરાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે જાણ્યું. હરીશને એલોવેરાની ખેતી કરવાનો વિચાર આવ્યો. સાથે જ ખેતી કરવાનું તેનું સપનું હતું, તેથી નોકરીમાંથી રાજીનામું આપ્યું અને તેમના ગામમાં પરત આવી 120 એકર જમીનમાં એલોવેરાની ખેતી શરૂ કરી.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ પણ વાંચો : ખેડૂતોએ બાગાયતી પાકોમાં કયા ખેતી કાર્ય કરવા, જાણો ફળ પાકોમાં શું કાળજી લેવી જોઈએ

તેનો ઉપયોગ લક્ઝરી કોસ્મેટિક ઉત્પાદનોમાં થાય છે

હરીશ એલોવેરાની બાર્બી ડેનિસ જાતની ખેતી કરે છે. હોંગકોંગ, બ્રાઝિલ અને અમેરિકા જેવા મોટા દેશોમાં એલોવેરાની આ જાતિની વધારે માગ રહે છે. તેનો ઉપયોગ લક્ઝરી કોસ્મેટિક ઉત્પાદનોમાં થાય છે. તેથી જ મોટા વેપારીઓ સીધા જ તેમના ખેતરમાંથી એલોવેરાની ખરીદી કરે છે. હરીશે જેસલમેરમાં નેચરો એગ્રો નામની પોતાની કંપની શરૂ કરી છે. તેઓ હવે એક કરોડપતિ ખેડૂત બની ગયા છે અને તેનું વાર્ષિક ટર્નઓવર 2 થી 3 કરોડ રૂપિયાનું છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article