AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Edible Oil : ખાદ્ય તેલ સસ્તા કરવા માટે સરકારે આપ્યો આ આદેશ, હવે થશે કડક કાર્યવાહી

તેલના ભાવ વધારાને અટકાવવા દર અઠવાડિયે તેલના વેપારીઓએ સ્ટોકની માહિતી આપવી પડશે. માહિતી છુપાવવા બદલ વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

Edible Oil : ખાદ્ય તેલ સસ્તા કરવા માટે સરકારે આપ્યો આ આદેશ, હવે થશે કડક કાર્યવાહી
File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 4:49 PM
Share

નવા પાકના આગમન અને વૈશ્વિક કિંમતોમાં સંભવિત ઘટાડા સાથે ડિસેમ્બરથી દેશમાં ખાદ્ય તેલના (Edible oil Price) ભાવમાં ઘટાડો થશે. ભારત તેના 60 ટકા ખાદ્ય તેલની આયાત કરે છે. વૈશ્વિક વિકાસને કારણે દેશમાં ખાદ્ય તેલોના છૂટક ભાવ છેલ્લા એક વર્ષમાં 64 ટકા વધ્યા છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે તહેવારો દરમિયાન ખાદ્ય તેલોની કિંમતોને અંકુશમાં લેવા માટે કાર્યવાહી કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગ્રાહક મંત્રાલયે તમામ રાજ્યોને પત્ર લખી વેપારીઓને દર અઠવાડિયે પોતાનો સ્ટોક જાહેર કરવા જણાવ્યું છે. હવે સરકાર કઠોળની જેમ તેલીબિયાંનો સ્ટોક અને ભાવ તપાસશે. રાજ્યોના પુરવઠા અધિકારીઓ સ્ટોકની તપાસ કરશે અને દરની સમીક્ષા કરશે. તમને જણાવી દઈએ કે છેલ્લા એક વર્ષમાં ખાદ્ય તેલોની કિંમતોમાં જબરદસ્ત વધારો થયો છે અને કેટલાક તેલના ભાવમાં 50 થી 70 ટકાનો વધારો થયો છે. સરકારે ભાવને નિયંત્રિત કરવા માટે આયાત વધારવા માટે વિવિધ પગલાં લીધા છે.

સરકારે કડક પગલા લીધા સરકારનું કહેવું છે કે ખાદ્ય તેલોની આયાત પર કસ્ટમ ડ્યૂટીના દરો ઘટાડવા છતાં કિંમતો નીચે નથી આવી રહી અને તેનું સાચું કારણ સંગ્રહખોરી છે. તેથી, સંગ્રહખોરીને રોકવા માટે, વેપારીઓ, પ્રોસેસિંગ એકમોએ એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ (ECA) હેઠળ તેમનો સ્ટોક જાહેર કરવો પડશે. રાજ્ય સરકારો આ કામ કરશે અને તેમને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ આ અધિકાર આપવામાં આવ્યો છે.

આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે મને સૂચના આપવામાં આવી છે કે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, 1955 હેઠળ, તમામ આવશ્યક ચીજવસ્તુઓ સામાન્ય માણસને વાજબી ભાવે ઉપલબ્ધ કરાવવાની જોગવાઈ છે. પરંતુ ભૂતકાળમાં ખાદ્ય તેલોની આયાત ડ્યૂટી ઘટાડવાના સરકારના નિર્ણય છતાં તેલના ભાવમાં ભારે વધારો થયો છે. તેનું કારણ સ્ટોકિસ્ટો દ્વારા કરાયેલ જમાખોરી હોઈ શકે છે.

આ નિર્ણય કેમ લીધો આયાતી ખાદ્યતેલોની સાથે સ્થાનિક ઉત્પાદિત સરસવના તેલના ભાવમાં પણ વધારો થયો છે. રવિ સીઝન (2021-22) માટે સરસવનો લઘુતમ ટેકાનો ભાવ (MSP) પ્રતિ ક્વિન્ટલ 4650 રૂપિયા હતો, પરંતુ હાલમાં બજારમાં સરસવના ભાવ 9500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પર પહોંચી ગયા છે.

આ કારણે, સરસવના તેલના ભાવમાં વધારો ચાલુ રહેવાની સંભાવના છે. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) ની સૂચના દ્વારા સરસવના તેલમાં અન્ય ખાદ્ય તેલોનું મિશ્રણ હવે બંધ કરવામાં આવ્યું છે. આ કારણે પણ સરસવની માગ વધી છે.

થોડા મહિના પહેલા કઠોળના ભાવને કાબુમાં લેવા માટે સરકારે આ કાયદાની મદદ લઈને સ્ટોક મર્યાદા લાગુ કરી હતી. તમામ રાજ્યોને પત્ર લખ્યો છે. પત્રમાં ખાદ્યતેલોનો સંગ્રહખોરી બંધ કરવાની માંગણી કરવામાં આવી છે. તમામ વેપારીઓએ પોતાનો સ્ટોક મંત્રાલયની વેબસાઇટ પર જાહેર કરવો પડશે.

આ સિવાય વેપારીઓએ દર અઠવાડિયે સ્ટોકની માહિતી આપવી પડશે. માહિતી છુપાવવા બદલ વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આયાત ડ્યૂટીમાં ઘટાડો થયો હોવા છતાં ખાદ્યતેલોના ભાવ વધ્યા હતા.

હાલમાં એક વર્ષમાં ભારત સરકાર રૂ. 60,000 થી 70,000 કરોડનો ખર્ચ કરીને 15 મિલિયન ટન ખાદ્ય તેલ ખરીદે છે. કારણ કે સ્થાનિક ઉત્પાદન 70-80 લાખ ટનની આસપાસ છે. જ્યારે દેશને તેની વસ્તી માટે વાર્ષિક 25 મિલિયન ટન ખાદ્ય તેલની જરૂર છે. ભારતે ગયા વર્ષે મલેશિયા અને ઇન્ડોનેશિયામાંથી 7.2 મિલિયન ટન પામતેલની આયાત કરી હતી.

બ્રાઝિલ અને આર્જેન્ટિનામાંથી 34 લાખ ટન સોયાબીન તેલ આયાત કરવામાં આવ્યું હતું અને રશિયા અને યુક્રેનથી 2.5 મિલિયન ટન સૂર્યમુખી તેલ આયાત કરવામાં આવ્યું હતું. મલેશિયા અને ઇન્ડોનેશિયા બંનેમાંથી ભારતમાં પામતેલની આયાત થાય છે. માગ અને પુરવઠાના આ તફાવતને કારણે સ્થાનિક બજારમાં ભાવને અસર થાય છે.

મિશન સાથે સુરત બદલાશે શંકર ઠક્કર કહે છે કે ખાદ્ય તેલનું સ્થાનિક ઉત્પાદન માત્ર 30 ટકા છે. તેથી, ઉત્પાદનમાં વધારો થયો હોવા છતાં, સ્થાનિક સ્તરે ભાવ ઘટતા નથી. શંકર ઠક્કરે જણાવ્યું હતું કે વિદેશથી આયાત કરાયેલા ખાદ્યતેલોમાં પામતેલનો હિસ્સો 55 ટકા છે, ભારત સરકારે 2025-26 સુધીમાં પામતેલનું સ્થાનિક ઉત્પાદન ત્રણ ગણા 11 લાખ ટન સુધી વધારવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

આ પણ  વાંચો :Afghanistan Crisis : તાલિબાન સરકારને લઈને સાઉદી અરેબિયાએ આપી પ્રતિક્રિયા, કહ્યું – સાચી દિશામાં આગળ વધી રહ્યું છે અફઘાનિસ્તાન

આ પણ વાંચો : જાણો કઈ રીતે ભારતી સિંહે ઉતાર્યું 15 કિલો વજન, તમે પણ અપનાવો આ ડાયટ પ્લાન અને જુઓ ચમત્કાર

સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
g clip-path="url(#clip0_868_265)">