AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good News : 2 દિવસ પછી 10 કરોડ પરિવારને મળશે ખુશખબર, બેન્ક એકાઉન્ટમાં આવશે 2000-2000 રૂપિયા

PM-કિસાન યોજના હેઠળ, પાત્ર લાભાર્થી ખેડૂત પરિવારોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. જે 4-મહિનાના અંતરાલ પર દરેકને રૂ.2000ના ત્રણ સમાન હપ્તામાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

Good News : 2 દિવસ પછી 10 કરોડ પરિવારને મળશે ખુશખબર, બેન્ક એકાઉન્ટમાં આવશે 2000-2000 રૂપિયા
PM Modi to release Rs 20,000 crore under PM-KISAN for 10 crore farmers on Jan 1
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 4:28 PM
Share

નવા વર્ષના પહેલા દિવસે એટલે કે 1 જાન્યુઆરી 2022ના રોજ મોદી સરકાર ખેડૂતોને ખુશખબર આપવા જઈ રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan scheme) હેઠળ 10મા હપ્તાના નાણા બે દિવસ પછી શનિવારે બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ખેડૂતોને સશક્ત બનાવવાના અભિયાન વચ્ચે જાહેર કરશે. આ અંતર્ગત 10 કરોડથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોને 20,000 કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે.

PM-કિસાન યોજના હેઠળ, પાત્ર લાભાર્થી ખેડૂત પરિવારોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. જે 4-મહિનાના અંતરાલ પર દરેકને રૂ.2000ના ત્રણ સમાન હપ્તામાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પૈસા સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે. આ યોજનામાં અત્યાર સુધીમાં 1.6 લાખ કરોડથી વધુની સન્માન રકમ ખેડૂત પરિવારોને ટ્રાન્સફર કરવામાં આવી છે.

કાર્યક્રમ દરમિયાન, વડાપ્રધાન 351 ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPOs)ને રૂ. 14 કરોડથી વધુની ઇક્વિટી ગ્રાન્ટ પણ રિલીઝ કરશે. જેના કારણે 1.24 લાખથી વધુ ખેડૂતોને ફાયદો થશે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન એફપીઓ સાથે વાતચીત કરશે અને રાષ્ટ્રને સંબોધન પણ કરશે.

સરકારે પ્રધાનમંત્રી કિસાન યોજના pmkisan.gov.in ની વેબસાઈટ પર તમામ લાભાર્થીઓની સંપૂર્ણ યાદી અપલોડ કરી છે. તેના ‘ફાર્મર કોર્નર’ પર જઈને તમે ચેક કરી શકો છો કે તમને તમારા બેંક ખાતા, આધાર અથવા મોબાઈલ નંબર દ્વારા પૈસા મળ્યા છે કે નહીં. આ સરળ પગલું છે. તેના લાભાર્થી સ્ટેટસ પર ક્લિક કરીને, તમારે તેમાં કોઈપણ એક આધાર, બેંક એકાઉન્ટ અથવા મોબાઈલ નંબર દાખલ કરવો પડશે.

  • સૌથી પહેલા વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ.
  • જમણી બાજુના ‘ફાર્મલ કોર્નર’માં Beneficiary List પર ક્લિક કરો.
  • આ પછી તમારા રાજ્ય, જિલ્લા, ઉપ-જિલ્લા, બ્લોક અને ગામની વિગતો દાખલ કરો.
  • આ ભર્યા પછી, Get Report પર ક્લિક કરો અને સંપૂર્ણ સૂચિ મેળવો.

કૃષિ મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે આ યોજના હેઠળ મોટાભાગના લાભાર્થીઓને પૈસા મળી રહ્યા છે, પરંતુ જો કોઈને તે મળ્યા નથી, તો તેના રેકોર્ડમાં ચોક્કસપણે કોઈ ભૂલ છે. આવા લોકોએ પોર્ટલ પર જ પોતાના ગામનું લિસ્ટ જોઈ લેવું જોઈએ અને જાણવું જોઈએ કે કોને પૈસા કેમ નથી મળી રહ્યા. પછી તમારા લેખપાલ અથવા જિલ્લા કૃષિ કાર્યાલયનો સંપર્ક કરો. જો તે કામ ન કરે તો જિલ્લા ખેતીવાડી અધિકારીને મળો. જો ત્યાંથી કોઈ ઉકેલ ન આવે તો પીએમ યોજનાના હેલ્પલાઈન નંબર (155261 અથવા 011-24300606) પર વાત કરો.

આ પણ વાંચો –

કૃષિ ક્ષેત્રે 2030 સુધીમાં ભારતની થશે 61.78 લાખ કરોડ રૂપિયાની કમાણી, મળશે લાખો નોકરીઓ, જાણો શું કહે છે રિપોર્ટ

આ પણ વાંચો –

Mandi: અમરેલીના APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 10005 રહ્યા,જાણો જુદા-જુદા પાકના ભાવ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">