AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan Samman Nidhi Scheme : હવે કૃષિ સાધનો ખરીદવા પર મળશે 80 ટકા સુધીની સબસિડી, જાણો કેવી રીતે મેળવી શકશો લાભ

મોંઘવારીના સમયમાં ખેડૂતોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે સરકાર દ્વારા પીએમ કિસાન સમામ યોજના હેઠળ કૃષિ સાધનો ખરીદવા પર મળશે 80 ટકા સુધીની સબસિડી મળશે.

PM Kisan Samman Nidhi Scheme : હવે કૃષિ સાધનો ખરીદવા પર મળશે 80 ટકા સુધીની સબસિડી, જાણો કેવી રીતે મેળવી શકશો લાભ
File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 1:44 PM
Share

ખેડૂતો (Farmers) આપણા દેશના અન્નદાતા છે અને તેમની મહેનતથી અનાજ ઉગાડે છે. જેમ સૈનિક સરહદ પર દેશની રક્ષા કરે છે. તેવી જ રીતે ખેડૂત પણ અનાજ ઉત્પન્ન કરવા માટે સખત મહેનત કરે છે. વધતી જતી મોંઘવારીની અસર હવે ખેતી પર પણ દેખાઈ રહી છે. ખેતીના સાધનો મોંઘા થઈ ગયા છે. તેથી જેઓ ગરીબ ખેડૂતો છે તેઓ હજુ પણ જૂની રીતોથી ખેતી કરવા મજબૂર છે.

જેને ધ્યાનમાં રાખીને સરકારે વર્ષ 2020માં PM Kisan Samman Nidhi Scheme  શરૂ કરી હતી. આ યોજના હેઠળ ખેડૂતને કૃષિ સાધનો ખરીદવા માટે સબસિડી આપવામાં આવશે. આ યોજના હેઠળ, ખેડૂતને કૃષિ સાધનો માટે 80 ટકા સુધીની સબસિડી મળશે. જો તમે સરળ ભાષામાં સમજીએ તો ધારો કે એક કૃષિ સાધનોની કિંમત 100 રૂપિયા છે. તો ખેડૂતે તેમાં માત્ર 20 રૂપિયા ચૂકવવા પડશે. સરકાર 80 રૂપિયાની ગ્રાન્ટ આપશે. જો તમે પણ ખેડૂત છો તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. આવો જાણીએ કેવી રીતે.

આ યોજનાથી થનારા લાભ આ યોજના ખેડૂતોને કૃષિ સાધનો ખરીદવામાં મદદ કરશે.

સારા સાધનોની મદદથી ઉપજ પણ વધશે અને આવક પણ વધુ થશે.

આ યોજના હેઠળ સાધનોની ખરીદી માટે 50 થી 80 ટકા સબસિડી ઉપલબ્ધ છે.

આ યોજનાનો લાભ માત્ર OBC, SC, ST સમાજના લોકોને જ મળશે.

ખેડૂતોને તેમની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા પછી જ આ યોજનાનો લાભ મળશે.

જરૂરી દસ્તાવેજો અરજદારનું ઓળખ કાર્ડ (આધાર કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ) સરનામાનો પુરાવો બેંક પાસબુકની નકલ મોબાઇલ નંબર જમીનના કાગળો જાતિ પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝનો ફોટો

કેવી રીતે અરજી કરવી સૌપ્રથમ અરજદારે અધિકૃત વેબસાઇટ agrimachinery.nic.in પર જવું પડશે. રજીસ્ટ્રેશન વિકલ્પ હોમ પેજ પર જ દેખાશે. નોંધણી માટે 4 વિકલ્પો હશે, અરજદારે ખેડૂત પર ક્લિક કરવાનું રહેશે. આ પછી રજીસ્ટ્રેશન ફોર્મ ખુલી જશે. ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી યોગ્ય રીતે અને કાળજીપૂર્વક ભરો અને સબમિટ કરો. તે પછી તમારી અરજી સ્વીકારવામાં આવશે.

આ પણ વાંચો : CDS Bipin Rawat Funeral Live : દેશના શહીદોને અંતિમ વિદાય, સીડીએસ રાવતના ભીની આંખે અંતિમ દર્શન કરી રહ્યા છે લોકો

આ પણ વાંચો : જનરલ બિપિન રાવત પછી હવે કોણ બનશે દેશના બીજા CDS? આર હરિ કુમાર અને એમએમ નરવણેનું નામ મોખરે

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">