પ્રધાનમંત્રી-કિસાન સન્માન નિધિ યોજના(PM-Kisan Samman Nidhi scheme)ના 11મા હપ્તા માટે નાણાંની રાહ જોવાઈ રહી છે, જે ખેડૂતોને ખેતી માટે સીધા તેમના બેંક ખાતામાં પૈસા આપે છે. આ અઠવાડિયે સરકાર તમારા ખાતામાં 2000 રૂપિયા નાખવા જઈ રહી છે. કૃષિ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે મંત્રાલય દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તેને રિલીઝ કરવા માટે માત્ર વડાપ્રધાન પાસેથી સમય મેળવવાનો બાકી છે. અત્યારે સરકારે ‘કિસાન ભાગીદારી-પ્રાથમિકતા હમારી’ કાર્યક્રમ ચલાવ્યો છે. જે અંતર્ગત મોટી સંખ્યામાં ખેડૂતોના KCC (Kisan Credit Card)બનાવવામાં આવ્યા છે. યોગાનુયોગ, આ યોજનાને હવે પીએમ કિસાન યોજના સાથે જોડવામાં આવી છે. આ અભિયાન સમાપ્ત થયા બાદ હવે સરકાર ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા જઈ રહી છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક 6000 રૂપિયા ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. એક અધિકારીએ જણાવ્યું કે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં લગભગ 11 કરોડ ખેડૂતોના ડેટાની ચકાસણી કરવામાં આવી છે. ખેડૂતોને ઇ-કેવાયસી કરાવવા માટે કહેવામાં આવ્યું છે. આ યોજનામાં એક સાથે લગભગ 22000 કરોડ રૂપિયા મોકલવામાં આવશે. તો તમારો રેકોર્ડ તપાસો. તેમાં કોઈ સમસ્યા તો નથીને. આ યોજનામાં મોટાભાગના લાભાર્થીઓ ઉત્તર પ્રદેશના છે.
પીએમ કિસાન યોજના મોદી સરકારની સૌથી મોટી ખેડૂત યોજના છે. જેમાં ખેડૂતોને 1.81 લાખ કરોડ રૂપિયા 10 હપ્તાઓ દ્વારા આપવામાં આવ્યા છે. સમયાંતરે સરકારે આ યોજનામાં ફેરફાર કર્યા છે. જેમાં જાતે સ્ટેટસ જોવાની સુવિધા અને જાતે અરજી કરવાની સુવિધા સામેલ છે.
ખેડૂતોની સુવિધા માટે હેલ્પલાઈન નંબર પણ આપવામાં આવ્યો છે. તેથી, જો તમને આ યોજના સંબંધિત કોઈ સમસ્યા હોય, તો તમે સીધો કેન્દ્રીય કૃષિ મંત્રાલયનો પણ સંપર્ક કરી શકો છો. પીએમ કિસાન હેલ્પલાઈન નંબર (PM-Kisan Helpline Number) 155261 અને 011-24300606 છે.
આ પણ વાંચો: ડુંગળીના લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરવાની માગ, ભાવ ઘટવાથી ખેડૂતો પરેશાન
આ પણ વાંચો: Rooftop Gardening: થોડી મહેનતથી ઘરની છત પર ઉગાડી શકાય છે શાકભાજી, જાણો સરળ રીત
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો